________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ ) ખાણમાં ઉતરે છે. સુખને માટે બીજાની ગુલામગીરી કરે છે. સુખને માટે જ્યાં ત્યાં ભટકયા કરે છે. સુખને માટે નદીમાં રહો છે. સુખને માટે બીજાનાં મસ્તક કાપી દયાને દેશવટે આપો છો, સુખને માટે વ્યભિચાર કર્મ કરે છે, સુખને માટે અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પ કર્યા કરે છે, સુખને માટે રાજાની ગુલામગીરી કરી છે. સુખને માટે ટાઢમાં કામ કરે છે. સુખને માટે સ્ત્રીના પગે પડે છે. સુખને માટે તમે તેનાં વખાણ કરે છે. સુખને માટે વિશ્વાસઘાત, ચોરી વગેરે અપકૃત્યો કરે છે. સુખને માટે શરીરને તોડી નાંખે છે. ઘડી નિરાંતથી થાક પણ લેતા નથી. જરા નિરાંતથી ખાતાપણું નથી, પણ તમે જરા મનમાં વિચાર કર્યો છે, સુખ કયાં રહે છે, જડમાં રહે છે કે ચેતનમાં ? જે જડમાં સુખ નથી રહેતું, તો જડવસ્તુઓને પ્યારી ગણી તેમાંથી સુખ લેવા આટલા બધા ધમપછાડા કેમ મારો છે; જરા વિચાર કરે. અંતમાં શોધે. સુખ તો આત્મામાં રહ્યું છે અને આત્મા શરીરમાં તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યા છે, માટે બ્રાંતિનો ત્યાગ કરી આત્મામાં સુખ શોધે, આત્મામાં સુખ છે. એમ શ્રદ્ધા રાખીને તમે જડમાં ઇષ્ટપણાની બુદ્ધિ છે તેને ત્યાગ કરે,
www.kobatirth.org
For Private And Personal Use Only