Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ ) કપટી છું, વ્યભિચારી છું, મહાદેવી છું, પાખંડી છું, નિર્ધન છું, માહી છું, હેવી છું, ઈત્યાદિ અશુદ્ધપર્યાયમય પિતાના આત્માને ભાવશે તો તમારે આત્મા તમને તે ભાસશે. વસ્તુતઃ જે વિચારશે તો માલુમ પડશે કે, ક્રોધ એ મારો ધર્મ નથી. ત્યારે ક્રોધને મારે કેમ ગણું ? કેાધથી. હું ભિન્ન છું. કપટથી ભિન્ન છું. વ્યભિચારથી ભિન્ન છું. દેવથકી હિત છું. મારા શુદ્ધસ્વરૂપમાં પાખંડ છેજ નહીં તો કેમ આત્માને પાખંડી કહું? અશુદ્ધ ધર્મનો આરોપ કરી ખરાબ ભાવનાથી મારા આત્માને કેમ નીચ ગણું ? નીચ ભાવનાથી મારો આત્મા નીચ થાય છે, અને ઉચ ભાવનાથી આત્મા ઉચ્ચ થાય છે, માટે એમ ભાવના કરવી કે હું કદી પાખંડી પુંજ નહીં. તેમજ કદી નિર્ધનની ભાવના કરવી નહીં; જ્ઞાનાદિ અનંત ધનનો સ્વામી આત્મા છે, તેને કેમ નિર્ધન ગણાય? પિસા નથી તેથી નિધન આત્માને નિર્ધાન છે એમ કહે તો તે સત્ય નથી. કારણ કે તેનું રૂપુ વિગેરે પુકલ ધનથી તો આત્મા ત્રણ કાલમાં ધનવાન છે જ નહીં, જડ વસ્તુને ધન કેમ કહેવાય ? વ્યવહારમાં જગતના લોકે ભ્રાંતિથી ગમે તેમ કહો, પણ જ્ઞાનીજીવ તો જ્ઞાન દર્શન ચારિત્ર, વીર્યાદિગુણને જ ધર્મ કહે છે, માટે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98