Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 16
________________ (અર્થાત્ જેમની સત્તા, સ્વરૂપ અને સત્ત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય, જ્યાં વ્યાપ્યવ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તાક ભાવ હોય. વ્યાયવ્યાપક ભાવ વિના કર્તાકર્મ ભાવ ન હોય. આવુ જે જાણે તે પુગલને અને આત્માને કર્તાક્ષ્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા – જગતનો સાક્ષીભૂત – થાય છે. પુદ્ગલ કર્મને જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ છે કે નથી? જ્ઞાની અનેક પ્રકારના પગલકર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. પુદ્ગલ કર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુગલકર્મને જાણે છે; પુદ્ગલ કર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નહિ? જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. પુલકર્મના ફળને જાણતા એવા જીવને પુગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાતારૂપે પરિણમતો પોતે પુગલકર્મના ફળને જાણે છે; માટે પુગલકર્મના ફળને જાણતા એવો જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન હોઈ શકે. જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદગલદ્રવ્યને જીવ સાથે ૧૨ સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73