Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 43
________________ જાણવો. ૩) નિર્વિચિકિત્સા - સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી. પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે. તેથી નિર્જરા થાય છે. ૪) અમૂદષ્ટિ - સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યર્થાથ જાણે, તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઈષ્ટાનિષ્ટ ભાવો ઉપજે તો પણ તે ભાવોનો તે કર્તા થતો નથી. તેને મૂઢદષ્ટિકૃતા બંધ થતો નથી. ) ઉપગૃહન ગુણ - ઉપગૂહન એટલે ગોપવવું તે. અહિં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે તેથી પર વસ્તુના ધર્મો પર દષ્ટિ જ ન રહી તેથી તે પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે અને આત્મશકિતનો વધારનાર છે. ૬) સ્થિતિકરણ - જે પોતાના સ્વસ્વરૂપી મોક્ષમાર્ગથી ચ્યતા થતા પોતાના આત્માને માર્ગમાં સ્થિત કરે તે સ્થિતિકરણ ગુણા યુક્ત છે. તેને માર્ગથી ટ્યુત થવાના કારણે બંધ થતો નથી પરંતુ ઉદય આવેલા કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા થાય છે. ૭) વાત્સલ્ય ગુણ - જે આત્મા મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, એ ત્રણ સાધુઓ પ્રત્યે) વાત્સલ્ય કરે છે તે વત્સલભાવયુક્ત સમ્યગ્દષ્ટિ જાણવો. ૮) પ્રભાવનાઃ- જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે છે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચિત પ્રભાવના કરનાર છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને નિઃશક્તિ આદિ આઠ ગુણો સમયસાર નો સાર ૩૯

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73