Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 53
________________ પ્રશ્ન – આત્માને પ્રજ્ઞા વડે ગ્રહણ કઈ રીતે કરવો ? ઉત્તર – ૧) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે, તે મારાથી પર છે. અર્થાત પોતાને ચેતનાર તરીકે અનુભવવો. હું માત્ર શુદ્ધચૈતન્યસ્વરૂપ છું - એમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. ૨) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે – જે જાણનારો છે તે હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે. ૩) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે – જે દેખનારો છે, તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે, તે મારાથી પર છે. ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શનપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. “ગ્રહણ કરવું” એટલે અન્ય કોઈ વસ્તુને ગ્રહવાની-લેવાની નથી. ચેતનાનો અનુભવ કરવો, તે જ આત્માનું “ગ્રહણ કરવું? છે. પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો અને આત્માને એક શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો હતો. હવે આ બે ગાથાઓમાં જ્ઞાતા-દ્રષ્ટાનો અનુભવ કરાવ્યો છે. કારણકે ચેતના દર્શનજ્ઞાન વિશેષોને ઉલ્લંઘતી નથી. પ્રશ્ન – ચેતના દર્શનજ્ઞાન ભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે? ઉત્તર – સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ (દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ (જ્ઞાનરૂપી હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો અભાવ જ થાય. ચેતના આત્મા સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં સમયસાર નો સાર ૪૯

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73