SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન – આત્માને પ્રજ્ઞા વડે ગ્રહણ કઈ રીતે કરવો ? ઉત્તર – ૧) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે, તે મારાથી પર છે. અર્થાત પોતાને ચેતનાર તરીકે અનુભવવો. હું માત્ર શુદ્ધચૈતન્યસ્વરૂપ છું - એમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. ૨) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે – જે જાણનારો છે તે હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે. ૩) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે – જે દેખનારો છે, તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે, તે મારાથી પર છે. ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શનપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. “ગ્રહણ કરવું” એટલે અન્ય કોઈ વસ્તુને ગ્રહવાની-લેવાની નથી. ચેતનાનો અનુભવ કરવો, તે જ આત્માનું “ગ્રહણ કરવું? છે. પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો અને આત્માને એક શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો હતો. હવે આ બે ગાથાઓમાં જ્ઞાતા-દ્રષ્ટાનો અનુભવ કરાવ્યો છે. કારણકે ચેતના દર્શનજ્ઞાન વિશેષોને ઉલ્લંઘતી નથી. પ્રશ્ન – ચેતના દર્શનજ્ઞાન ભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે? ઉત્તર – સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ (દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ (જ્ઞાનરૂપી હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો અભાવ જ થાય. ચેતના આત્મા સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં સમયસાર નો સાર ૪૯
SR No.009128
Book TitleSamaysaarno Saar
Original Sutra AuthorN/A
AuthorShobhnaben Kamdar
PublisherNeemaben Kamdar
Publication Year2011
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy