Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 29
________________ સર્વથા એકાંતવાદી મિથ્યાદષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતીમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શન જ્ઞાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક પાણી છોડી દે છે. આવા જ્ઞાનનય પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરૂષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે, તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. મોક્ષમાર્ગી જીવો શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતાં સુધી પુરૂષાર્થ કર્યા જ કરે છે. આવા જીવો સંસારથી નિવૃત થાય છે. (પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત) સમયસાર નો સાર ૨૫

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73