________________
સર્વથા એકાંતવાદી મિથ્યાદષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતીમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શન જ્ઞાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક પાણી છોડી દે છે. આવા જ્ઞાનનય પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરૂષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે, તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે.
મોક્ષમાર્ગી જીવો શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતાં સુધી પુરૂષાર્થ કર્યા જ કરે છે. આવા જીવો સંસારથી નિવૃત થાય છે.
(પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૨૫