Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 40
________________ મધ્યે રહેલું હોય તો પણ કાદવથી લેવાતું નથી તેમ. અજ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગી છે તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મરજથી લેપાય છે – જેમ લોખંડ કાદવ મધ્યે રહ્યું થયુ લેપાયા છે તેમ. (અર્થાત્ લોખંડને કાટ લાગે છે) આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે. જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણામે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે. - અજ્ઞાની સુખ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ ઈત્યાદિ શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિ પરિણામ ઉત્પન્ન કરનારા ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આનાથી વિપરીત સમજવું. - આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે. અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી. - અવિરત સગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની સમજવા. તેમાં અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહાર વિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તો પણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચચથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જવળ છે. તે ઉજ્જવળતાને તેઓ જ (જ્ઞાનીઓ જ) જાણે છે, મિથ્યાદષ્ટિઓ. તે ઉજ્જવળતાને જાણતા નથી. મિથ્યાદષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલુ બુરૂ માને છે, અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? - વજપાતના ભયથી ત્રણે લોકના જીવો ભયથી કંપી ઊઠે છે – ૩૬ સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73