________________
પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાન પરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદુ જ પુગલ દ્રવ્યનું કર્મ પરિણામ છે. પુગલદ્રવ્યથી જુદુ જ જીવનું પરિણામ છે.
જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્ગલકર્મ તો રાગાદિરૂપે પરિણમી શકતું નથી. તેથી પુગલકર્મનો ઉદય કે જે રાગાદિ પરિણામને નિમિત્ત છે તેનાથી જુદુ જ જીવનું પરિણામ છે.
જીવમાં કર્મ બંધાયેલું છે તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહાર નયનું કથન છે અને જીવમાં કર્મ અણબંધાયેલું, અણસ્પર્શાયેલું છે, એવું શુદ્ધ નયનું કથન છે.
પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો. છે, તે જ સમયસાર છે. અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ છે.
જ્યાં સુધી નયોનો પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. નયોનો પક્ષપાત મટી જાય ત્યારે વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતિન્દ્રિય સુખ અનુભવાય છે.
બદ્ધ-અબદ્ધ, મૂઢ-અમૂઢ, રાગી-અરાગી, દ્વેષી-અદ્વેષી, કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા, જીવ-અજીવ, સુક્ષ્મ-ધૂળ, કારણ-અકારણ, કાર્ય-અનાર્ય, ભાવ-અભાવ, એક-અનેક, સાન્ત-અનંત, નિત્ય-અનિત્ય, વાચ્ય-અવાચ્ય, નાના-અનાના, ચેત્ય-અચેત્ય, દશ્ય-અદશ્ય, વેધ-અવેદ્ય, ભાત-અભાત ઈત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરૂષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષા પૂર્વક તત્વનો વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે, તે પુરૂષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તેને પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે, તેથી તેને મુખ્ય કરીને અહિં
સમયસાર નો સાર
૧૯