________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૨૧ પર્યાય એક પછી એક, એક પછી એક-દમસર થવાવાળી હોય તે જ થશે. પણ એ ક્રમબદ્ધનું તાત્પર્ય શું? (ક) વીતરાગતા. તો વીતરાગતા કેવી રીતે ઉત્પન્ન થાય ? એ પણ આવી ગયું અંદર ક્રમબદ્ધમાં કેઃ દ્રવ્યનો આશ્રય લેવો! આહા.... હા ! જરી સૂક્ષ્મ (વાત) છે! ભગવાન! વાત તો એનાથી (પણ) ઘણી ગંભીર છે!
પ્રવચનસાર' ગાથા-૧૦૧ માં તો એમ પણ કહ્યું (કેટ) ઉત્પાદના આશ્રયે ઉત્પાદ છે. વ્યયના આશ્રયે વ્યય છે અને ધ્રુવના આશ્રયે ધ્રુવ છે! પરના આશ્રયે તો (ઉત્પાદ-વ્યય) નથી (જ). પણ જે ઉત્પાદના કાળે ઉત્પાદ થાય છે (તે) ક્રમબદ્ધ છે (તોપણ) ઉત્પાદમાં વ્યયની અપેક્ષા નથી. વ્યયમાં ઉત્પાદની અપેક્ષા નથી. ધ્રુવમાં ઉત્પાદ (-વ્યય) ની અપેક્ષા નથી. ઉત્પાદ ઉત્પાદના આશ્રયથી છે. એ સત્ છે ને..! ત્રણે સત્ છે ને..! સમજાય છે કાંઈ?
મગજમાં તો ઘણી સૂક્ષ્મ વાતો છે. એટલી બધી એકદમ આવે તો (લોકોને) કઠણ પડી જાય.
સમયસાર” માં ૪૭ શક્તિઓ-ગુણો (લીધાં) છે ને! એમાં એક ઉત્પાદવ્યયધૃવત્વશક્તિ ગણી છે. આત્મામાં જેમ જ્ઞાનગુણ છે, આનંદગુણ છે, શાંતિગુણ છે, (શાંતિ) એટલે વીતરાગતા; એમ એક ઉત્પાદવ્યયધ્રુવ નામનો ગુણ છે. એ ગુણના કારણે નવી પર્યાય ક્રમસર આવવાવાળી આવે છે, પૂર્વની પર્યાય વ્યય થાય છે અને ધ્રુવ છે (એ ધ્રુવ રહે છે). એમ ત્રણેમાં એકની-કોઈને (કોઈની) અપેક્ષા નથી. ત્રણે સત્ છે. માટે અહેતુક છે. માટે કોઈની અપેક્ષા નથી !
આહા... હા! ગજબ વાત છે!! હવે લોકોને ક્યાં આટલું બધું (સમજાય) ?
(વળી,) “પ્રવચનસાર' ૧૦ર-ગાથા (ની ટીકા) માં એમ કહ્યું કે એનો જન્મક્ષણ છે! આમ તો આપણે “તત્ત્વાર્થસૂત્ર' માં સાધારણ આવે છે ને..! “ઉત્પાવ્યયધ્રૌવ્ય યુ સતા સત્ દ્રવ્ય નક્ષણન” (અને) અહીં તો (૪૭-શક્તિમાં એમ કહ્યું કે:) અંદરમાં ( આત્મામાં) ઉત્પાદવ્યયધુવત્વ નામનો તો ગુણ છે. એ ગુણના કારણે સમય સમયમાં જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે ઉત્પન્ન થશે જ. તો ક્રમબદ્ધ પણ (સિદ્ધ) થઈ ગયું. અને નિમિત્તથી પણ થતું નથી એમ (પણ સિદ્ધ) થઈ ગયું. ( જોકે) નિમિત્ત હોય છે. નિમિત્ત ચીજ છે.
એ તો હમણાં (એક મોટા વિદ્વાને) “જૈનસંદેશ” માં બે વાત કબૂલ કરીઃ ક્રમબદ્ધ છે અને સોનગઢ નિમિત્ત છે એમ માને છે પણ નિમિત્તથી પરમાં થાય છે એમ નથી (માનતા.) – એ બન્ને વાત યથાર્થ છે.
૨૧ વર્ષ થયાં. વર્ણીજી સાથે “પંચાસ્તિકાય” ની ૬રમી ગાથા ( વિષે) એ ચર્ચા તો ઘણી થઈ હતી. એમાં કહ્યું છે કે વિકાર જે થાય છે તે પોતાના પકારકથી થાય છે. એને પરકારકની અપેક્ષા છે જ નહીં. -શું કહ્યું? પોતાનાથી ઉત્પાદની જે પર્યાય કમબદ્ધમાં ઉત્પન્ન થાય છે (એન) કોઈની અપેક્ષા નથી. વિકારને હોં ! વિકાર જે થાય છે-મિથ્યાત્વનો, રાગનો, દ્વેષનો, તે એક સમયની પર્યાયમાં પકારકથી થાય છે. એને દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી અને નિમિત્તની અપેક્ષા નથી. (અર્થાત્ નિમિત્ત હોય પણ એની (નિમિત્તની) અપેક્ષાથી, એના કારકથી એ વિકાર ઉત્પન્ન થાય છે, એમ નથી.
- ઇન્દોરવાળા (એક પંડિતજી) (આ) ૬રમી ગાથા બોલતા હતા, પણ એ (અર્થ) લોકોને ન બેઠો. એ તો “અભિન્ન' ની વાત છે, (એમ એ લોકો માનતા હતા). પણ “અભિન્ન” નો અર્થ શું?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com