Book Title: Paryavaran Vaishvik Tapman Ane Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 21
________________ BE0B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ » » તેની પાછળ તેનું જ્ઞાન કામ કરી રહ્યું છે. તેનું બીજું કારણ છે-આધ્યાત્મિક સ્વાધ્યની ઊણપ. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા જૈન ધર્મના સંદર્ભ પર આચાર્ય મહાપ્રજ્ઞના વિચારો ચિંતનપ્રેરક છે. ભગવાન મહાવીરે કહ્યું : માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ તમામમાં જીવન છે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વના અસ્વીકારનો અર્થ છે - પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ જ તેમના અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દશ્ય અને અદશ-તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. અચેતન જગતના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. આ જગતમાં રહેનારી પ્રત્યેક ચેતન સત્તાએ અચેતનની ઓઢણી ઓઢેલી છે. જીવ જીવને પ્રભાવિત કરે છે, તેમ અજીવને પણ પ્રભાવિત કરે છે. આ પ્રવાહો અત્યંત સંક્રમણશીલ છે, તેથી કોઈ પણ વ્યક્તિ એકલી નથી. હિમાલયની ગુફામાં બેઠેલી વ્યક્તિ પણ પોતાની સાથે સમગ્ર સંસાર લઈને બેઠેલી છે. અન્યનાં અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાને સ્વીકારનાર માણસ જ વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરી શકે છે. અહિંસા સામંજસ્યનું સૂત્ર છે. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસામાં અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીની ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત અત્યંત પ્રાચીન છે. ચૈત્યવૃક્ષની પરંપરા મહાવીર સાથે વનસ્થલીનું નામ જોડાયેલું છે. વનમાં રહેનાર માણસે નગર વસાવ્યું. વનમાં જે ઉપલબ્ધ છે તે નગરમાં નથી. આ અનુભૂતિએ વળી પાછું નગરને વનસ્થલી સાથે જોડ્યું છે. વૃક્ષો અને માણસને ક્યારેય અલગ પાડી શકાતાં નથી. વૃક્ષો દ્વારા ઑક્સિજનની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું શારીરિક આરોગ્ય જળવાઈ રહે છે. તે આધ્યાત્મિક આરોગ્યના વિકાસમાં પણ સહાયક નીવડે છે. મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. વૃક્ષોનો એક વર્ગ છે - ચૈત્યવૃક્ષ. જેની આસપાસ ચોતરો હોય, ચબૂતરો બનાવેલો હોય તેને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. આ એક અભિગમ છે. આ શબ્દનો બીજો અર્થ આ પ્રમાણે BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક છે. જેનું સાન્નિધ્ય ચિત્તને અલ્લાદિત કરનારું અથવા તો ચેતનાને જગાડનારું હોય તે ચૈત્યવૃક્ષ છે. ચૈત્યવૃક્ષની પરંપરા ચેતના સાથે જોડાયેલી છે. પીપળો, અશોક, શાલ-આવાં વૃક્ષોનો ચેતનાના જાગરણ સાથે ગાઢ સંબંધ છે. તેમની ઉપેક્ષા પોતાના અસ્તિત્વની ઉપેક્ષા કરતાં જરાય ઓછી નથી. જૈનોના તમામ તીર્થંકરોના દીક્ષા અને કેળવજ્ઞાનની પ્રાપ્તિના પ્રસંગો (કલ્યાણકો) વન અને વૃક્ષ સાથે જાડાયેલા છે. અજિતનાથને શકરમુખ ઉદ્યાનમાં સપ્તપર્ણ વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. તીર્થંકર સંભવનાથને સહમવનમાં શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું. આદિનાથ પ્રથમ તીર્થંકર 2ષભદેવને શમુખ ઉદ્યાનમાં વટવૃક્ષ (વડલા) નીચે કેવળજ્ઞાન થયું. પાર્શ્વનાથ ભગવાનને આશ્રમપદ ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીને શ્યામવનમાં શાલવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન પછી સમોસરણમાં બિરાજી ચૈત્યવૃક્ષ નીચે પ્રથમ દેશના આપી. ચરમતીર્થંકર મહાવીરસ્વામી ગુણશીલ આદિ ચૈત્ય - વિ. ઉદ્યાનોમાં શેષકાળમાં વાસ કરતા અને ઉદ્યાનમાં ચાતુર્માસ અર્થે રોકાતા. આમ જૈન તીર્થંકરોનો વૃક્ષો-વન અને પ્રકૃતિ સાથેનો અતૂટ નાતો અભિપ્રેત છે. મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દીના પ્રસંગ પછી મહાવીર વનસ્થલીનું કાર્ય શરૂ થયું. દિલ્હી માત્ર હિન્દુસ્તાનની જ રાજધાની નથી, પ્રદૂષણની પણ રાજધાની છે. અનેક પાર્ક અને વનસ્થલી હોવા છતાં તે બે દસકા પછી રહેવા યોગ્ય નહીં હોય એમ પ્રતીત થયા કરે છે. આવા સંજોગોમાં મહાવીર વનસ્થલીનું શું વિશેષ મહત્ત્વ હશે એ પણ એક પ્રશ્નાર્થચિહ્ન છે. આનું સમાધાન આપણે મહાવીરના જીવનદર્શનમાંથી શોધવાનું – પામવાનું છે. પ્રદૂષણની સમસ્યા - મહાવીર અહિંસાના મહાન પ્રવક્તા હતા. તેમના અહિંસાવિજ્ઞાનને પર્યાવરણવિજ્ઞાન પણ કહી શકાય છે. પાણીનો અનાવશ્યક વ્યય, વૃક્ષો - છોડવાઓનો અનાવશ્યક ઉપભોગ આ બધું મહાવીરની અહિંસામાં અક્રણીય કાર્ય છે. ધ્વનિ, વાયુ-પ્રદૂષણ અને જળ-પ્રદૂષણની સમસ્યાનું સમાધાન માત્ર નવસ્થલીનું નિર્માણ જ નથી. તેનું સમાધાન છે વ્યાવસાયીકરણની આંધળી પ્રવૃત્તિ પર નિયંત્રણ. શું આ મુક્ત માનસિકતા અને મુક્ત ભોગના વાતાવરણમાં સંયમની વાત વિચારી ૨૮ ૨૭

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186