________________
૨૨ પ્રતિક્રમં? ત્યારે ગુરુ આદેશ આપે કે પ્રતિક્રમો, પછી શિષ્ય કહે કે આજ્ઞા પ્રમાણ છે. ઈચ્છામિ પડિકમિઉં૧ ઈરિયાવહિયાએ વિરાણાએ. / ૨ /
અર્થ - હું પાપ થકી નિવર્તવાને ઈચ્છું છું. ૧. જવા આવવાના માર્ગમાં તથા સાધુ-શ્રાવકના માર્ગમાં જે વિરાધના (પાપયુક્ત ક્રિયા) થઈ હોય. ૨. જેમ કેગમણાગમણે | ૩ . પાણક્કમણે, બીયક્રમણ, હરિયર્કમણ, ઓસાઉસિંગ-પણ -દગ-મટ્ટી-મકડાસંતાણા-સંકમણે..૪
અર્થ:- એક સ્થાનકથી બીજે સ્થાનકે જતાં-આવતાં. ૩ (બે-ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા) જીવોને પગે કરી ચાંપવાથી, ધાન્યના બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને, કીડીયોનાં નગરોને, પાંચવર્ણી નીલફુલને, સચિત્ત માટી યુક્ત પાણીને, કરોળીયાની જાળને પગે કરી ચાંપવાથી વા મસળવાથી. ૪ જે મે જીવા વિરાહિયા. | ૫
અર્થ :- જે જીવોની મેં વિરાધના કરી હોય અર્થાત્ જે જીવોને દુઃખી કર્યા હોય. ૫