Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 14
________________ ભાષામાં ધર્મનું સ્વરૂપ સમજાયું, તેથી રાજા અને આખી સભા - મુગ્ધ બની ગઈ અને મુનીશ્રીને વાદના વિજેતા જાહેર કર્યા, તે નગરમાં જ મુકુંદ પંડિતે વૃદ્ધવાદીસુરી પાસે દીક્ષા લીધી અને ગુરૂએ - તેમને “કુમુદચંદ્ર” સ્વામી તરીકે જાહેર કર્યા. દીક્ષા લઈ ગુરુ પાસે . સૂત્રસિદ્ધાંત શીખી શાસ્ત્ર પારગામી બન્યા અને પોતે આચાર્યપદ સુધી . પહોંચી ગયા. પોતે પ્રખર જૈન તત્વજ્ઞ મુની બન્યા. એકદા વાદ કરવા આવેલા એક બ્રાહ્મણ પંડિતની સમાજ માટે : ચૌદ પૂર્વના આદિ મંગલમાં રહેલા શ્રી નવકાર મંત્રના મૂળ પાઠના . સ્થાને તે મંત્રને સંસ્કૃતમાં અનુવાદ કરી આ પ્રમાણે નમોëરિણઢા. ચાવાયાલાપુખ્યઃ બેલ્યા. અને પોતે હોશે તે સંસ્કૃત મંત્ર - ગુરુને બતાવી, બધા શાસ્ત્રો જે પ્રભુએ અર્ધ માગધી કે પ્રાકૃત - ભાષામાં પ્રરૂપિયા છે તે સંસ્કૃતમાં રચવાની આજ્ઞા માગી. ગુરુએ આ સાંભળી કહ્યું તમે ભારે અનર્થ કર્યો. પ્રથમ ગુસ્તી - આજ્ઞા લઈને પછી જ વિનિત શિવે કશું પણ કરવું જોઈએ. વળી તીર્થકર ભગવંતો હેતુપૂર્વક પ્રાકૃત ભાષામાં દેશના - આપે છે અને ગણધર ભગવંતો તે જ ભાષામાં સિદ્ધાંતની રચના કરે “બાલ સ્ત્રી મંદમૂખણાં નૃણ ચારિત્રકાંક્ષિણાં ! અનુગ્રહાય તત્ત્વજ્ઞઃ સિધ્ધાંત પ્રાકૃત કૃતઃ | અર્થ: “બાળ, સ્ત્રી અને મંદબુધ્ધિ વાળા અને સંયમ માર્ગના . ઇચ્છુક આદિ પુરુષોની ઉપર કરણ લાવીને તે સરળતાથી સમજી શકે તે માટે તત્ત્વોએ સિધ્ધાંતની રચના પ્રાકૃત ભાષામાં કરી છે.” તેમાં કશો પણ ફેરફાર કરવાથી વીતરાગ પ્રભુની આશાતના - થાય. માટે જ સૂત્રસિધ્ધાંતમાં કાને માત્ર આદિને ફેરફાર પણ ન કરવાનું ફરમાવ્યું છે અને કોઈ ફેરફાર કરે તેને માટે આકરૂં પ્રાયશ્ચિત : ફરમાવ્યું છે, તમે નવકાર જે પવિત્ર આદિ–મંત્ર આજ્ઞા વગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98