________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સંસાર-સાગરને તરવા સમર્થ થાય છે. તમે જે વાયુની જેમ તેમના અંતરમાં ન રહે તો તે ભવિજન પણ સંસાર-સાગરમાં ડૂબી જ મરે. “ટૂંકમાં ભવિજોએ જે સંસાર-સાગરને શીધ્ર તરી જતો હોય તો સહેલામાં સહેલ માર્ગ પ્રભુરૂપી નાવિકને દેહ (હૃદય) રૂપી નાવમાં બેસાડી શ્રદ્ધાપૂર્વક પ્રભુનું સ્મરણ કરવું તે છે.” અત્રે ભવિ જનોના તારક ભગવાનને કહીને જૈન તત્ત્વજ્ઞાનની વાત કરી છે. જીવ બે પ્રકારના મુખ્યત્વે છે, ભવિ અને અભવિ. તેમાં જે ભવિ છે તે જ મોક્ષે જવાની લાયકાત ધરાવે છે અને અભવિ કદાપિ પણ મોક્ષ ગતિને પામતા નથી, તેમ છતાં અભવિ પણ જપતપાદિ કરી નવમી ગ્રેવેયકના દેવલોક સુધી જઈ શકે છે. માટે કોઈને પણ જપ તપાદિ ક્રિયા કરતા રોકવા કે ટેકવા નહિ. અત્રે બાહુબલિજી, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ગૌતમ સ્વામી આદિ ગણધરે, જયંતી શ્રાવિકા ઈપુકાર રાજા અને કમળાવતી રાણ ઇત્યાદિના અધિકાર ચિંતવવા. 10 હવે પંચ મહાવ્રત અને તેમાંયે બ્રહ્મચર્ય વ્રતનું મહત્વ સાધક જીવ માટે બતાવે છે : યસિમન હરપ્રભૂતોડપિ હતપ્રભાવ: સોડપિ વયા રતિપતિ: ક્ષપિત: ક્ષણેન: વિધ્યાપિતા હતભુજ: પયસાથ એન. પીત ન કિ તદપિ દુધર વાઇન 11: અન્વયઃ સ્મિન હર પ્રભુતય: (શંકર પ્રમુખ) અપિ હતપ્રભાવાઃ સ: અપિ રતિપતિઃ (કામદેવ) ત્વયાં ક્ષણેન ક્ષપિત: (ક્ષય કર્યો છે) અથ (દષ્ટાંત) યેન હુતભુજઃ (અગ્નિ) વિધ્યાપિતા (બુઝાવી દીધા) તદપિ તો પણ દુર્ધર (ભીષણ) વાવેન (વડવાનલ) કિ ન પીત 11" 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust