________________
જૂનાગમ સૂત્રસાર
૯. બંધન જે સમયે જીવ જે ભાવ ધારણ કરે છે, તે સમયે તે તેવા જ શુભ-અશુભ કર્મો વડે બંધાય છે. (૯)
જૈન દર્શનમાં કર્મના સિદ્ધાંતની ચર્ચા ખૂબ જ ઊંડાણથી અને વિસ્તારથી કરવામાં આવી છે. માત્ર અશુભ કર્મો જ નહિ પરંતુ શુભ કર્મો પણ મોક્ષ માર્ગમાં બાધક છે-અવરોધરૂપ છે એમ કહેનાર એક માત્ર જૈન દર્શન છે.
કમેં મન દ્વારા, વચન દ્વારા અને દેહ દ્વારા થાય છે પણ અહીં મનના ભાવને મહત્વનું ગણવામાં આવ્યું છે. ભારતીય શાસ્ત્રોમાં પણ વારંવાર કહેવામાં આવ્યું છે કે,
મન એવમ્ મનુષ્યાણામ
કારણમ બંધ મેક્ષ : અર્થાત મન એ જ બંધનનું કારણ છે અને મોક્ષનું કારણ પણું મન જ બની શકે. ભગવદ્ગીતાને અનાસક્તિયેગ પણ આમ જ કહે છે.
અશુભ ભાવે કરેલ શુભકમની વ્યર્થતા આથી સમજી લેવા જેવી છે, શુભ હેતુથીશુભભાવે કદાચ સંજોગવસાત્ કઈ અશુભકમ આચરવાને પ્રસંગ આવી પડે તો પણ એને ક્ષમ્ય-હળુકમી ગણું શકાય. ભારતીય નીતિશાસ્ત્રમાં આવા શુભ હેતુથી કરેલ અપવાદરૂ૫ અશુભ કર્મને આપધમ કહેવામાં આવેલ છે.
૧૦. કુટુંબીજને જ્ઞાતિ, મિત્રવર્ગ, પુત્ર અને બંધુએ એના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી. એ એક પિતે જ દુઃખને અનુભવ કરે છે, કારણ કે કર્મ એના કરનારની પાછળપાછળ જાય છે.
(૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org