Page #1
--------------------------------------------------------------------------
________________
નાગમ
સૂત્રસાર
- VT/Tયા
માવજી ઇં. સાવલા
Applied Philosophy Study CenteN_45. Gandhidham 370 207 Hndia)
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈનાગમ સૂત્રસાર
માવજી કે. સાવલા
પ્રકાશક :
અક્ષરભારતી ૫, રાજગુલાબ શોપીંગ સેન્ટર, વાણિયાવાડ,
ભુજ-કચ્છ
Page #3
--------------------------------------------------------------------------
________________
JAINAGAM-SUTRASAR.
A short commentary on some select. cantos from Jain Scriptures; by Mavji K. Savla (b. 1930)
' Many a man who sees, does not see the word. And many a man who hears does not hear it. Yet for another it reveals itself like a radiant bride yielding to her husband."
Rig-Veda
માવજી કે. સાવલા (N-45, ગાંધીધામ-કચ્છ)
પ્રથમ આવૃત્તિ : એગષ્ટ ૧૯૯૧
નકલ ૧૦૦૦
પ્રકાશક : રમેશ સંધવી
અક્ષર-ભારતી
૫, રાજગુલામ શોપીંગ સેન્ટર, વાણિયાવાડ,
लुज-१२छ
મુફ્ફ : લીલામેન એન. પટેલ મહાકાળી ટાઈપ સેટીગ ૪૩૮/૩, દૂધવાળી પેાળ, ઘીકાંટા રેડ, અમદાવાદ-૧
મૂલ્ય : સાડા બાર રૂપિયા
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રારતાવિક
જેવી રીતે ઇસ્લામતા ધગ્રંથ કુરાન છે, ખ્રિસ્તી ધર્મના માન્ય ગ્રંથ બાઈબલ છે, હિંદુ ધર્મ'ના મુખ્ય ગ્રંથ ભગવદ્ગીતા ગણાય છે, બૌદ્ધ ધર્માંતુ ધમ્મપદ છે, એવી જ રીતે જૈન ધર્મના ક્રાઈ એક પ્રાતિનિધિષ્ઠ સર્વસામાન્ય ગ્રંથ હવે જોઈ એ એવા વિચારને કેન્દ્રમાં રાખીને વિનેબા ભાવેની પ્રેરણાથી ૧૯૭૬માં સમણુમુત્ત ’ શીર્ષક હેઠળ એક ગ્રંથનું પ્રકાશન યજ્ઞ પ્રકાશન સમિતિ (વડોદરા ) તરથી થયું. અનેક જૈનાચાર્યો, જૈન વિદ્વાનેએ સાથે મળીને મૂળ આગમ ગ્રંથા અને અન્ય કેટલાક પ્રાચીન સૂત્રગ્રંથામાંથી કુલ્લે ૭૫૬ ગાથાઓ પસદ કરીને એ ‘ સમણુસુત્ત` ' ગ્રંથની રચના કરી. એમાં અધ માગધી ભાષામાં મૂળ ગાથા, એ ગાથાને સંસ્કૃત પદ્યાનુવાદ, મૂકવામાં આવ્યા છે અને સામા પાના ઉપર ગાથા ગુજરાતી ગદ્યાનુવાદ છે, જે શ્રી અમૃતલાલ ગોપાણીએ કર્યાં છે.
* સમણુસુત્ત ’ પ્રગટ થયું એ વખતે જ એ વાંચીને મે' એમાંની કેટલીક ગાથા લાલ શાહીની નિશાનીથી અંકિત કરી રાખી હતી અને એ અરસામાં જ (૧૯૭૬) મેં પસંદ કરેલ એ ગાથાએ ઉપર સક્ષિપ્ત વિવેચન લખવાની ઇચ્છા થયેલ; પરંતુ ત્યારે તેા એ બાબત એમ જ રહી.
તાજેતરમાં જ ગાંધીધામના મારા એક મિત્ર નરસિ`હુભાઈ કુંવરજી શાહ મારી પાસેથી ‘સમણુસૂત્ત...' વાંચવા લઇ ગયા. મે અંકિત કરેલ ગાથાઓમાં એમને ખૂબ જ રસ પડયો. અને એટલી ગાથાઓના ગુજરાતી ગદ્યાનુવાદ પુસ્તિકારૂપે છપાવી આપવાનુ મને એમણે સૂચન કર્યુ. મે એમને ઠેઠ ૧૯૭૬થી વિવેચન લખવાની મારી સુષુપ્ત ઇચ્છાની વાત કરી અને આમ આ લેખનકાર્ય હાથ ધયુ''; આમ નરસિહભાઈ આમાં આ રીતે નિમિત્ત બન્યા. કેટલાક વર્ષાથી ઉત્તમ ધાર્મિક-પ્રેરક સાહિત્ય ગાંધીધામમાં મામાઈલ લાય
Page #5
--------------------------------------------------------------------------
________________
(iv) બ્રેરીની જેમ નરસિંહભાઈ ઘેર ઘેર પહોંચાડે છે અને આવું પરિશ્રમભર્યું કાર્ય તેઓ સેવાભાવે, તદ્દન સ્વેચ્છાએ, આગવી સૂઝબૂઝથી માત્ર પિતાના પગ ઉપર ઉભા રહીને કરી રહ્યા છે.
કુલે એકાદ લાખ મૂળ ગાથાઓમાંથી ૭૫૬ ગાથાઓની પસંદગી “સમણુસૂત્ત' માટે થઈ; અને એ ૭૫૬ ગાથાઓમાંથી આપણું વર્તમાનકાળના જીવનની પરિસ્થિતિઓ અને સમસ્યાઓના સંદર્ભમાં પ્રેરક, પિષક અને દિશાસૂચક બની શકે એવી ૮૩ ગાથાઓની પસંદગી મેં અહીં મારી રીતે કરી છે. આ પસંદગીમાં મારા પૂર્વગ્રહે પણ કદાચ હોય એને હું સ્વીકાર કરું છું.
એ સમયની ભગવાન મહાવીરની પ્રત્યક્ષ પ્રગટ વાણું અને આજે ભગવાન મહાવીરને નામે આપણને લેખિત સ્વરૂપે જે આગમ સૂત્રસાહિત્ય ઉપલબ્ધ છે એ બંને વચ્ચે લગભગ ૮૦૦ વરસને સમયગાળો વહી ગયેલ હોવાથી એ આગમગ્રંથે-સૂત્રોમાં નિરૂપિત સિદ્ધતિની પ્રમાણભૂતતા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસોટી ઉપર સૌ કોઈએ સારગ્રાહી વલણથી પિતાપિતાની વ્યક્તિગત વિવેકક્ષમતા અનુસાર જ સમજવાની–સ્વીકારવાની રહે છે.
મૂળ ગાથાઓને અહીં પ્રસ્તુત ગુજરાતી ગદ્યાનુવાદ “સમણુસુનં માંથી યથાવત લીધે છે અને એ માટે શ્રી અમૃતલાલ ગોપાણુ તેમજ સમણુસુપ્ત' ગ્રંથના સંકલનકાર અને પ્રકાશકને આભારી છું. પુસ્તકમાં છેલ્લે મુકવામાં આવેલ જૈન આગમ સાહિત્ય વિષેની માહિતી લેખમાંની સામગ્રી માટે “જેનરત્નચિંતામણી સર્વસંગ્રહ સાથે ” ગ્રંથમાંના કોકિલાબેન સી. ભટ્ટના લેખ “જૈન આગમ સાહિત્યનું સ્વરૂપ” (પૃ. ૬૩૦) તેમજ શ્રી કપુરચંદ રણછોડદાસ વારયાના લેખ
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય” (પૃ. ૬૨૬) અને મુનિશ્રી બાલચંદ્રજી સંપાદિત કર્મયોગ' પુસ્તકના પૃ. ૩૦૫ ઉપરના કોઠાઓનો આધાર લીધે છે, જે માટે એ લેખકો અને ગ્રંથ પ્રકાશકોને
Page #6
--------------------------------------------------------------------------
________________
(v). ઋણી છું. આવા અનેક ઉત્તમ મૂલ્યવાન ગ્રંથે વાંચવા માટે મને ઉપલબ્ધ કરી આપનાર પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મ. ને સવિશેષ ઋણી છું.
મારી કિશોરાવસ્થા દરમિયાન જૈન ધર્મના મારા અધ્યયનમાં નિમિત્ત બનનાર મુંબઈમાં પાલાગલી ખાતેની શ્રી ક. વિ. એ. . જન હાઈસ્કૂલના ધર્માશિક્ષક શ્રી ભોગીલાલભાઈને તેમજ સને ૧૯૪૩ આસપાસના વર્ષમાં કચ્છમાં મારા વતનના ગામ તુંબડી ખાતે ચાતુર્માસ કરનાર પૂ. મુનિશ્રી મેહનવિજયજી અને એમના શિષ્ય પૂ. મુનિશ્રી રામવિજયજીને ઋણું છું. ગોખણપટ્ટીને એ જમાનો હતો. મુનિશ્રી રામવિજયજી પ્રતિદિન સૂત્રોની ૨૫ ગાથા મને મેઢે કરાવતા. હાઈસ્કૂલમાં ધમ શિક્ષક શ્રી ભોગીલાલભાઈએ જીવવિચારસૂત્ર અને “નવતત્ત્વ પ્રકરણ”ની બધી ગાથાઓ અર્થ સહિત મોઢે કરાવેલી. મુનિશ્રી મોહનવિજયજી મારા પિતાશ્રીને અવારનવાર ખાસ ભલામણ કરતા, “માવજીને અંગ્રેજી અને સંસ્કૃતને અભ્યાસ સારી રીતે કરાવજે.”
કાચી હસ્તપ્રતથી લઈને સુંદર હસ્તાક્ષર પ્રેસપી તૈયાર કરવામાં ચિ. જાહન્વીબહેન દેળકિયાની સેવાઓની નોંધ લેતાં આનંદ થાય છે. અક્ષર-ભારતીએ પ્રકાશનની જવાબદારી સ્વીકારીને મને નચિંત કર્યો છે. એમના થકી જ મારાં આવા પુસ્તક વિશાળ વાચક વર્ગ સુધી ત્વરિત પહોંચી શકે છે.
– માવજી કે. સાવલા
શનિવાર તા. ૨૭-૪-૧૯૯૧ એપ્લાઈડ ફિસોફી સ્ટડી સેન્ટર, N-45, ગાંધીધામ-કચ્છ
Page #7
--------------------------------------------------------------------------
________________
માવજી કે. સાવલાના
હવે પછી પ્રગટ થનાર પુસ્તક (૧) શ્રી નિસર્ગદર સંવાદ (ભાગ-૧-૨) મૂળ મરાઠી પરથી
સ્વ. જયરામ ધનજી ઠક્કર સાથે કરેલ અનુવાદ (૨) સુગમ હોમિયોપેથિક ચિકિત્સા (૩) ગુજફનું તત્ત્વ-રહસ્ય દર્શન (૪) સોક્રેટીસથી સાત્ર સુધી (૫) હિન્દુ દર્શનશાસ્ત્રો (૬) Silence Speaks (ગેવિંદ કહે છેને અંગ્રેજી અનુવાદ) (૭) The world Philosophies on Finger Tips.
Page #8
--------------------------------------------------------------------------
________________
અર્પણ
સદ્ગત પૂ. મુનિશ્રી ખાંતિવિજયજી મ.
[કચ્છ ગામ ગોધરાના શા ખેરાજ ઉમરશી] અને
ૐ બાળપણથી આજદિન સુધી મારી વાંચન-અધ્યયનવૃત્તિને સમથન આપનાર મારા પુ. પિતાશ્રી.
શાહે કેશવજી લધાભાઈને
Page #9
--------------------------------------------------------------------------
________________
સદ્. પૂ. મુનિશ્રી ખાંતિવિજયજી મ.
મૂળ કચછ ગામ ગોધરોના-શા ખેરાજ ઉમરસી. મુંબઈમાં કાળાએકી રેડ ઉપર અમારી દુકાને નજીકમાં અને રહેઠાણ તે જોડાજોડ. મારા પિતાશ્રીના તેઓ અંતરંગ મિત્ર. દેવદર્શન-પૂજાપ્રતિક્રમણમાં લાલવાડી દેરાસરમાં તેઓ મારા પિતાશ્રી સાથે જ હેય. એમને ધર્મકરણુ તરફ વાળવામાં મારા પિતાશ્રી જ નિમિત્ત હતા.
એ વખતે બીજા વિશ્વયુદ્ધને સમય. મારી ઉંમર તે માંડ ૧૩-૧૪ વર્ષની. ખેરાજભાઈએ પિતાની દુકાનમાં જ એક કબાટ ભરીને જૈન ધર્મના ૨૦૦-૨૫૦ ઉત્તમ ગ્રંથે ખરીદીને મૂક્યાં. એમની ભાવના એવી કે કાળાકી બજારના જેન ભાઈઓ એવું થોડુંક વાંચે અને પ્રેરણા પામે. પોતે તે સાવ અલ્પશિક્ષિત. એમની સરળતા અને નિર્મળતાનું તે શબ્દોથી વર્ણન જ ન થઈ શકે. એ કાચી ઉંમરે પણ કોણ જાણે કેમ એમાંના ઘણાખરાં પુસ્તકો મેં વાંચી કાઢ્યાં. સમજ પડી કે ન પડી એની કશી ચિંતા કરી નહિ અને આજે એમાંનું ખાસ કશું યાદ પણ નથી. પરંતુ એ વાંચનને સૂમ સંસ્પર્શ આજે પણ મારા ઘડતરને એક ભાગ બની મારા હૃદયમાં ધબકી રહ્યો છે. આમ એ ખેરાજકાકાની એક મરણીય સુભગ બી મારા હૃદય પર સદા ય માટે અંક્તિ થયેલી છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
(ix) પછી તે સારી એવી મોટી ઉંમરે પણ શુદ્ધ વૈરાગ્ય ભાવે એમણે દીક્ષા લીધી. (સને ૧૯૫૧-૫ર આસપાસ) દિક્ષા બાદ ૧-૨ વરસે એમના કેટલાક સગાંઓ એમના દર્શને ગયા અને કહ્યું “તમારે પુત્ર તે હમણું હેરાન થઈ ગયું છે અને મુશ્કેલીઓમાં છે વ-વ.” એમણે સ્પષ્ટતાથી અને નિર્લેપભાવે કહ્યું, “આવી વાત તમારે મારી આગળ કરવાની જરૂર નથી. એ સંસાર–તો મેં કયારને ય મૂકી દીધુંઆમ સાચા અર્થમાં તેઓ નિય હિતા, શ્રમણુધર્મને એમણે પ્રતિષ્ઠા આપી.
મોટે ભાગે એમની, આયંબીલની તપસ્યા ચાલુ હેય. આયંબીલમાં પણ ઘણું કરીને માત્ર પેટલી–અને પાણી સાથે રોટલી ખાય અને એમાં પણ ખૂબ પ્રસન્નતાભાવથી સંતોષ અનુભવે.
યોગાનુયોગે એક વાર કછ તરફનો એમને વિહાર થયો અને ગાંધીધામ પણ ૨-૩ દિવસ રહ્યા. હું એમની પાસે ઉપાશ્રયમાં થડીવાર બેઠે. એમનું શાસ્ત્રજ્ઞાન તો નહિવત ; વાક્યાતુર્ય તે એમના સ્વભાવમાં જ નહીં. પણ નેહભાવે મને ઉપદેશરૂપે થોડાક હિતવયને એમણે સહજભાવે કહ્યાં એને હું મારું પરમ ભાગ્ય સમજુ છું; કારણ કે એ માત્ર નિર્જીવ શબ્દ નહતા પણ એમના નિજી જીવનના સત્યને એ રણકાર હતા.
આજે દાયકાઓ પછી એમની એ સ્મરણ છબીને અહીં અક્ષરે રૂપે અંકિત કરવાનો મને આ અવસર મળે એ પણ એક સાવ ગાનુગ જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧. ઉપદેશ અધિકાર
૨. સદાચાર
૩. ગુચ્છ
૪. વ્યવહાર અને પરમાથ
૫. ક્રુતિ ૬. કામભોગે
અનુક્રમણિકા
૭. માયા
t.
કલેશ
૯. મધન
૧૦. કુટુ’ખીજતા
૧૧. પરવશતા
૧૨. આત્મધ્યાન
૧૩. આઠ પ્રકારે કમ
૧૪. કમ' સ્વરૂપ
૧૫. મિથ્યાત્વ
૧૬. અહિરાભા
૧૭. જન્મમરણ ૧૮. વિરક્તિ
૧૯. દશ પ્રકારે ધમ
૨૦. ક્ષમા
૨૧. કુળમદ્દ
લેાભ
૨૨.
૨૩. બ્રાહ્મણું કાણું ? ૨૪. પરમ વિજેતા
૧
– જ છું નૃ
૪
b
ર
૧૦
૧૦
૧૨
૧૨
૧૩
૧૪
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૮
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૧
૨૫
૨૫
૨૬
ર૭
ર૭
૨૫. સવનાશ ૨૬. સતેજ ૨૭. પરિગ્રહ ૨૮, યા ૨૯. અહિંસા ૩૦. મૃત્યુ ૩૧. શાસ્ત્રાભ્યાસ - ૩૨. હું મારું ૩૩. સ્વ–ભાવ ૩૪. ધર્માચરણ ૩૫. પુણ્યચ્છા ૩૬. સુવર્ણપિંજર ૩૭. ચાર પુરુષાર્થ ૩૮. અજ્ઞાન ૩૯, અંધપંગુ ન્યાય ૪૦. અકર્તાભાવ ૪૧, અનાસક્ત ૪૨. અપ્રમાદ ૪૩. શાસ્ત્રશરણ ૪૪. પિંડે-બ્રહ્માંડે . ૪૫. જ્ઞાન અને આચરણ ૪૬. ધ્યાનમાગ ૪૭. તૃષ્ણ ૪૮. સમતાથી શ્રમણ ૪૯, સાધુના લક્ષણ ૫૦. બધું જ વ્યર્થ પ૧ ક્યાં છે જેને ?
.
જ
ઇ છે
oઇ
લઇ
લા દ ી ઇ
6
૩૮
૩૮
Page #13
--------------------------------------------------------------------------
________________
(xii)
૪૦
૪૧
૪૩
૪૩
૪૩
૪૫
४७
પર. વેશપુજા ૫૩. ભાવ શુદ્ધિ ૫૪. સામાયિક ૫૫. તપસ્વી ૫૬. ઉપવાસ પ૭. ધ્યાનાગ્નિ ૫૮, શાંતિની શૈધ ૫૯. રવાય એ જ તપ ૬૦. ક્ષણભંગુરતા ૬૧. ૮૪ લાખ ૬૨. મેહ ૬૩. સંસાર સાગર ૬૪. પંડિત મરણ ૬૫. બંધન મુક્તિ ૬૬. કમં પ્રવાહ ૬૭. જ્ઞાનાગ્નિ ૬૮. નિર્વાણ ૬૯. પુદ્ગલપિંડ ૭૦. સ્વાવાદ ૭૧. સર્વધર્મ સમભાવ ૭૨. અનુત્તર જ્ઞાન–દશી મહાવીર
પરિશિષ્ટજૈન આગમ સાહિત્ય
૪૮
૪૯
૫o:
૫૧
૫૧
પર
૫૩
૫૪
૫૮
Page #14
--------------------------------------------------------------------------
________________
૧. ઉપદેશ અધિકાર
જે સ્વસમય અને પરસમયના જાણુકાર, કીર્તિ'માન, કલ્યાણકારી અને સૌમ્ય છે, તથા યુક્ત છે, એ જ નિગ્રંથ પ્રવચનના સારને અધિકારી છે.
અધિકાર કાને છે?
તીથ કરાની વાણીને સાર કહેવાના જે પોતાના મનને જાણે છે અને શ્રોતાના મનને એટલે કે શ્રોતાની ચે।ગ્યતા અને પાત્રતાને જાણે છે એવા તેજસ્વી, સા પરહિત ઇચ્છનાર અને કરુણાવાનને જ તીય કરાની વાણી વિષે લવાના અધિકાર છે.
તીથ કરાની વાણી વિષે લાંખા લાંબા પ્રવચન આપવાનુ તે ગેા ખણપટ્ટીથી ગમે તેવા પોથીપડિત કરી શકે; પરંતુ તીથંકરોની વાણીના સાર તા તે જ કહી શકે જેણે એ નિમ્ર થવાણી પોતાના આચરણમાં ઉતારી હાય.
પ્રાચીન ઋષિ પર પરાનું સૂત્ર છે :
“અમારું જીવન એ જ અમારા ઉપદેશ.”
ગંભીર, ગુણાથી
કહેવાના
(૧)
૧. સદાચાર
તમે પેાતાના માટે જે ઇચ્છતા હૈ। તે ખીજા માટે
પેાતાને માટે ન ઇચ્છતા હૈ। કેંચ્યા. આ જ જિનશાસન (૨) :
પશુ ઇચ્છે; અને જે તમારા એ ખીન્ન માટે પણ ન તીથ કરાના ઉપદેશ છે.
૧
Page #15
--------------------------------------------------------------------------
________________
જનાગમ સૂત્રસાર
બધા જ ધમ'માં માન્ય એવી સદાચારની આ પાયાની વ્યાખ્યા છે.
જીવનના બધા જ ક્ષેત્રોમાં હરીફાઈ તીવ્ર બની છે. એક ભિખારીથી લઈ ને મેટા-મેટા શ્રીમંતા સુધી સૌ આ હરીફાઈમાં રેસના ધેાડાની માફક દોડી રહ્યા છે. ખીજાતે પાછળ રાખી આગળ ને આગળ દેહવાની બધે વૃત્તિ છે, પછી આ આંધળી દોટમાં સદાચારના વિચાર કરવાની પણ ફુરસદ કર્યાંથી હાય?
ધામિ ક-આધ્યાત્મિક ક્ષેત્રો ઉચ્ચસ્થાને બિરાજેલાએ પણ વધુ ને વધુ ઠઠારાની સહાયથી પેાતાના હરીફાને પાછળ રાખીતે આગળ ને આગળ આવી હરીફ્રાઇમાં દોડી તા નથી રહ્યા ને?
૩. ગચ્છ
રત્નત્રય જ ‘ગણુ' કહેવાય છે;
માક્ષમાગ ઉપર ગમન કરવાને છ' કહું છે; સવ એટલે ગુણુના સમૂહ,
નિર્મળ આત્મા જ સમય કહેવાય છે.
(3)
ગણધર' એટલે ૫૦-૫૦૦-૧૦૦૦ સાધુઓના વડા હાવુ એમ નહિ પરંતુ જ્ઞાન-દર્શીન-ચારિત્રરૂપી ત્રણ રત્નેાને ધારણ કરનાર. ગચ્છ' એટલે માત્ર સાધુઓના એક ચોક્કસ સમૂહ નહિ પરંતુ જેઓનું એક માત્ર લક્ષ્ય મેક્ષ છે એવા સાધક-સાધિકાઓના સમૂહ. સધ એટલે કાઈ ખાસ પ્રકારની ક્રિયાકાંડને માન્ય લેાકાનુ ટાળું નહિ; પરતુ ગુણવાન વ્યક્તિઓના સમૂહ. નિમ*ળ–નિખાલસ મન એટલે જ હળુકી આત્મા.
કરનાર
Page #16
--------------------------------------------------------------------------
________________
જતાગમ સૂત્રસાર
૪. વ્યવહારે અને પરમા
જેવી રીતે અનાચ ભાષા વિના અનાય પુરુષને સમાવી ન શકાય તેવી રીતે વ્યવહાર વિના પરમાથ ના ઉપદેશ અસંભવિત છે.
ૐ
(૪)
જેને અંગ્રેજી ભાષા આવડતી જ ન હેાય એવી વ્યક્તિને અંગ્રેજી ભાષામાં ગમે તેટલા ઉપદેશ આપવામાં આવે તે પણ એ યુથ જ છે.
એવી જ રીતે વ્યવહારમાં રહેલાએતે પરમાર્થતા ઉપદેશ એ જ આપી શકે કે જે પોતે વ્યવહારને જાણતા હોય, અર્થાત્ જે તે જાતે વ્યવહારની આંટીઘૂંટી, સમસ્યાઓ અને સધર્મોંમાંથી પસાર થયા હોય.
ભગવાન મહાવીર્ પણું ગૃહસ્થાશ્રમના અનુભવામાંથી પસાર થયા. ભગવાન બુદ્ધ પશુ ગૃહસ્થાશ્રમમાંથી પસાર થયા. પ્રથમ તીર્થંકર ઋષભદેવ । ગૃહસ્થાશ્રમમાંથી પસાર થયા. એટલું જ નહિ પણ આખી સમાજવ્યવસ્થાને નકશા આપ્યા. શ્રી રામચ, શ્રીકૃષ્ણ, હઝરત પગભર અને ઈશુખ્રિસ્ત પશુ ગૃહસ્થાશ્રમના અનુભવમાંથી
પસાર થયા.
પરમાથ ના અથ એવા નથી કે વ્યવહારચ્યુત થવુ` કે વ્યવહારભ્રષ્ટ થવું. પરમા માગે જનારને વ્યવહાર તા ઊલટાના વધુ સુદર હોવા જોઈએ.
વ્યવહારને સુ ંદર બનાવે એનું નામ જ સાચા પરમાથ, એનું નામ જ સાચા ધમ,
૫. દુતિ
ધ્રુવ, અશાશ્વત અને દુઃ ખખડ્ડલ સંસારમાં એવું કયુ" કમ' છે કે જેને લીધે હું દુગતિમાં ન જાઉં ? (૫)
Page #17
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
સાવ અનિશ્ચિત અને ક્ષણિક એવો આ સંસાર છોલે-પગલે દુઃખોથી અને સમસ્યાઓથી ઘેરાયેલો છે.
માત્ર વર્તમાન સમસ્યાઓ અને દુઃખથી માણસ ચિંતિત છે. એટલું જ નહિ પરંતુ મૃત્યુ પછી પોતાની કેવી ગતિ થશે એ ચિંતાથી પણ મનુષ્ય ભયભીત છે.
જેને સંસારની ક્ષણિકતા ગંભીર પણે સમજાઈ જાય એ સહજ સ્વભાવથી જ એવું જીવન જીવશે કે દુર્ગતિને ભય એને રહેશે જ નહિ. કશા પણ ભાર વગર, હળવાશથી અને સ્વસ્થતાથી એ સંસારસાગર તરી જશે.
સંસારનું ક્ષણિક સ્વરૂપ સમજી લેનારને કોઈ પણ પ્રકારનું દુ:ખ ચલિત નહિ કરી શકે. દુર્ગતિને ભય તો એને સ્વને પણ ન હોય.
૬. કામ આ કામગ ક્ષણભર સુખ અને દીર્ઘકાળ દુઃખ આપનારાં છે, ઝાઝું દુઃખ અને થોડું સુખ દેનારા છે, સંસારથી છૂટવામાં બાધક છે અને અનર્થોની ખાણ છે.
(૬) કામ, ક્રોધ, લોભ, મોહ અને તૃણુઓથી ઘેરાયેલે મનુષ્ય સારા-સારનું ભાન ગુમાવી બેસે છે; પરિણમે તે પિતા માટે તેમજ બીજાઓ માટે પણ અનર્થોની ખાણુરૂપ બને છે.
અર્થ (ધનસંપત્તિ પાછળની આંધળી દોડ) એ જ અનર્થનું મૂળ છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈતાગમ સૂત્રસાર
૭. માયા
જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થનારા દુઃખને જીવ જાણે છે અને એના વિચાર પણ કરે છે; પરં તુ વિષયેાથી અહા ! માયા (ભ)ની ગાંઠ
વિરક્ત થઈ શકતા નથી. કેટલી મજબૂત છે ? !
(૭)
દુઃખ તે કોઇ તે પશુ નથી જોતું. દુ:ખનુ કારણ આસક્તિવિષયેા છે એમ જાણ્યા પછી પણ એ વિષયેાથી નિવૃત્તિ-મુક્ત ન થઈ શકવું એવી આ સંસારની માયાજાળ છે. આ સમજવા માટે ‘મધુબિંદુ પુરુષ' નું દૃષ્ટાંત પ્રસિદ્ધ જ છે.
વિષયાથી વિરક્ત ન થઈ રાકવું એ એક વાત છે. અતિ સામાન્ય અને દેખીતી વાત છે; પરંતુ આસક્તિએ-વિષયાથી પોતે મુક્ત હાવાતા દેખાવ કરવા કે એવી ભ્રમણામાં રહેવું એવી આ માયાની ગાંઠ 'ભ થકી અત્યંત મજબૂત બની જાય છે. પેાતાની જાતને છેતરવાનું અને જગતને છેતરવાનુ આ દંભની ગાંઠ થકી શરૂ થઈ જાય છે.
સંસ્કૃતિના આદિકાળમાં મનુષ્યમાં દંભ નહિવત્ હતા. પ્રથમ તી'કર ઋષભદેવના સમયમાં લેાકે સાવ ભેળા અને સરળ હતા એમ કહેવાયુ છે. આજે જો દંભની વાત કરીએ તેા કેવી સ્થિતિ છે ?
પ્રકૃતિ→સંસ્કૃતિ→વિકૃતિ
પ્રકૃતિના કેટલાક અનિચ્છનીય-અનિષ્ટ તત્ત્વાથી ઊંચે જવા માટે -એમાંથી મુક્ત થવા સંસ્કૃતિના ચરણના આરંભ થાય છે. ની ખેાલબાલા માંઝા મૂકે છે
પરંતુ જયારે સ ંસ્કૃતિના નામે માયા ત્યારે માત્ર વિકૃતિ જ રહે છે જે આખા સમાજમાં સડો ફેલાવે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
૮ કલેશ જન્મ દુઃખ છે, ઘડપણ દુઃખ છે, રોગ દુઃખ છે; અને મૃત્યુ દુઃખ છે. અહે, સંસાર દુઃખ જ છે. એમાં જીવને કલેશ પ્રાપ્ત થતું રહે છે.
વૈદિક સંસ્કૃતિ અર્થાત હિંદુ ધર્મ અને શ્રમણ સંસ્કૃતિ એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બન્ને વચ્ચે એક પાયાને ભેદ. અહીં દેખાય છે. સંસારને સાવ અસાર, ભયાનક, દુઃખરૂપ અને કદરૂપે ચીતરવામાં શ્રમણ સંસ્કૃતિએ કંઈક અતિશયોક્તિ કરી હોય એમ લાગે છે. સ્યાદવાદની દષ્ટિએ પણ આવું એકાંગીપણું દેખીતી રીતે અસંગત છે. સ્યાદવાદને વરેલ જેને માત્ર એટલું જ કહી શકે. કે “અમુક અપેક્ષાએ સંસાર દુઃખરૂપ છે.”
જન્મ અને મૃત્યુ વચ્ચે પણ એક સમયગાળો છે જેને આપણે જીવન કહીએ છીએ. વ્યક્તિગત જીવનમાં અને સમાજજીવનમાં એવી અનેક બાબતો છે કે જે આ જીવનને પ્રમાણમાં વધુ સુખદ, મેળભર્યું અને સુંદર બનાવી શકે.
જીવનના સ્વીકાર સાથે સુખ અને દુઃખ એ બંનેને સમભાવે સ્વીકાર કરે એ વધુ સ્વસ્થ દષ્ટિકોણ છે.
ધર્મને નામે સંસારને માત્ર દુઃખરૂપ, ઘણાજનક ચીતરીને દેવકના વધુ સુખ પ્રાપ્ત કરવાની દોડ પોતે જ એક રીતે લાલસા, તૃષ્ણ અને લુપતા જ બની રહે છે. ધનસંપત્તિના પોટલાં ભેગાં કરવાં કે દેવકના સુખની લુપતાથી “પુણ્ય' ના પિટલાં ભેગાં કરવાં એ બે વચ્ચે પછી ફેર શું રહ્યો ? પલાયનવાદી વિચારધારાઓના હાનિકારક પરિણમેને ગંભીરપણે અને સ્વસ્થતાથી તપાસવાં જોઈએ.
Page #20
--------------------------------------------------------------------------
________________
જૂનાગમ સૂત્રસાર
૯. બંધન જે સમયે જીવ જે ભાવ ધારણ કરે છે, તે સમયે તે તેવા જ શુભ-અશુભ કર્મો વડે બંધાય છે. (૯)
જૈન દર્શનમાં કર્મના સિદ્ધાંતની ચર્ચા ખૂબ જ ઊંડાણથી અને વિસ્તારથી કરવામાં આવી છે. માત્ર અશુભ કર્મો જ નહિ પરંતુ શુભ કર્મો પણ મોક્ષ માર્ગમાં બાધક છે-અવરોધરૂપ છે એમ કહેનાર એક માત્ર જૈન દર્શન છે.
કમેં મન દ્વારા, વચન દ્વારા અને દેહ દ્વારા થાય છે પણ અહીં મનના ભાવને મહત્વનું ગણવામાં આવ્યું છે. ભારતીય શાસ્ત્રોમાં પણ વારંવાર કહેવામાં આવ્યું છે કે,
મન એવમ્ મનુષ્યાણામ
કારણમ બંધ મેક્ષ : અર્થાત મન એ જ બંધનનું કારણ છે અને મોક્ષનું કારણ પણું મન જ બની શકે. ભગવદ્ગીતાને અનાસક્તિયેગ પણ આમ જ કહે છે.
અશુભ ભાવે કરેલ શુભકમની વ્યર્થતા આથી સમજી લેવા જેવી છે, શુભ હેતુથીશુભભાવે કદાચ સંજોગવસાત્ કઈ અશુભકમ આચરવાને પ્રસંગ આવી પડે તો પણ એને ક્ષમ્ય-હળુકમી ગણું શકાય. ભારતીય નીતિશાસ્ત્રમાં આવા શુભ હેતુથી કરેલ અપવાદરૂ૫ અશુભ કર્મને આપધમ કહેવામાં આવેલ છે.
૧૦. કુટુંબીજને જ્ઞાતિ, મિત્રવર્ગ, પુત્ર અને બંધુએ એના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી. એ એક પિતે જ દુઃખને અનુભવ કરે છે, કારણ કે કર્મ એના કરનારની પાછળપાછળ જાય છે.
(૧૦)
Page #21
--------------------------------------------------------------------------
________________
જૂનાગમ સૂત્રસાર
અહીં કર્મ અને કર્મફળના સિદ્ધાંતની લાક્ષણિકતા બતાવવામાં આવી છે. વાલિયા લુંટારાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ જ છે. અશુભ કર્મનું ફળ તે વ્યક્તિએ પિતે જ ભોગવવાનું હોય છે, અને કર્મના ઉદય વખતે મિત્રો, કુટુંબીજને એ દુઃખમાં ભાગ લેતા નથી–લઈ શકતા પણ નથી.
જયારે ભયાનક રોગોથી શરીર ઘેરાય છે ત્યારે કુટુંબીજને એ રોગના દુઃખને હિસ્સો લઈ શકતા નથી. માત્ર તેઓ લાચારીથી રાગીની એ યાતનાઓ જોઈ રહે એટલું જ.
પિતાના કુટુંબીજનોના વધુ ને વધુ સુખ ખાતર મેહધ બનીને જે ગમે તેવા અધમ કાર્યો કરતો રહે છે, – મેનકેન પ્રકારે ધનસંપત્તિની પાછળ દોડતો રહે છે, તે પોતાની દુર્દશાને તે નેતરે જ છે પણ સમાજની પણ હાનિ જ કરતે રહે છે.
૧૧. પરવશતા જેવી રીતે કોઈ પુરુષ વૃક્ષ ઉપર ચડતી વખતે સવવશ હોય છે; પરંતુ પ્રમાદવશ એ જ્યારે વૃક્ષ ઉપરથી નીચે પડે છે ત્યારે એ પરવશ બની જાય છે, તેવી રીતે જીવ વવશપણે કર્મ કરે છે પણ કર્મના ઉદય વખતે એને (કમ) ભેગવવું પડે છે ત્યારે એ પરવશ બની જાય છે.
(૧૧) - કોઈ એક કામ કરવું કે ન કરવું એ માટે મનુષ્ય સ્વતંત્ર છે પરંતુ એકવાર એ કર્મ કર્યા પછી એનું ફળ ભોગવવામથી એ કદી પણ છટકી શકે નહિ. જેવી રીતે શું ખાવું અને શું ન ખાવું એ આપણું હાથની જ વાત છે પરંતુ સ્વાદની લુપતાને વશ થઈને
Page #22
--------------------------------------------------------------------------
________________
નાગમ સત્રસાર
જે કંઈ સ્વાથ્યને હાનિકારક આહાર કર્યો હશે એનું પરિણામ રોગ અને પીડા રૂપે અવશ્ય ભોગવવું જ પડે છે.
જેમ રોગ થાય જ નહિ એ માટે સ્વાથ્ય અંગે આપણે જાગૃત રહીએ છીએ- રોગને આવતો અટકાવવામાં જ ડહાપણ છે એમ લાચારીપૂર્વક પરવશ થઈને કર્મફળ ભોગવવાનો વખત આવે એને બદલે જીવનની પ્રત્યેક પળ ઉપગપૂર્વક એટલે કે સાવધાનીથી વીતાવીએ.
૧૨. આમધ્યાન ઈન્દ્રિયાદિ ઉપર વિજય મેળવીને જે ઉપયોગમય (જ્ઞાન-દર્શનમસ્ય) આત્માનું ધ્યાન કરે છે તેને કર્મબંધન નથી. માટે દિગલિક પ્રાણ એની પાછળ-પાછળ કેવી રીતે જઈ શકે ? (અર્થાત એને ન જન્મ લે પડતું નથી.
(૧૨) જેના જીવનની પ્રત્યેક પળ જાગૃતિપૂર્વક વીતે છે એને માટે કર્મબંધનને પ્રશ્ન જ રહેતો નથી. સંચિત કર્મો ભગવાઈ જાય અને નવા કર્મબંધન થાય નહિ એટલે દેખીતું જ છે કે એવા આત્મા માટે જન્મ-મરણની આ ઘટમાળને આખરી અંત આવેઅર્થાત મોક્ષને પામે.
જેવી રીતે આજે વૈજ્ઞાનિક દષ્ટિએ રોગને સંબંધ જુદા જુદા રોગના જંતુઓનું (બેકટીરીઆ-વાયરસ) શરીરમાં લેવું અથવા તે શરીરમાં પ્રવેશવા સાથે છે, તેવી રીતે જૈન દર્શન અનુસાર કર્મનું સ્વરૂપ પુદગળ રૂપે છે. શુભ-અશુભ કર્મરૂપી પુદગળ આપણું નજીક ખેંચાઈને આવે જ નહિ એવું નિત્ય વિવેકપૂર્વકનું અને અપ્રમાદયુક્ત જીવન જીવવું એ જ મહાવીરઅણુત મોક્ષમાર્ગ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
નાગમ સૂત્રસાર
૧૩. આઠ પ્રકારે કર્મ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગેત્ર અને અંતરાય-સંક્ષેપમાં આ આઠ કર્મો છે.
(૧૩) જન દશનમાં કમનું અનેક ભેદ-પ્રભેદ દ્વારા ખૂબ જ સૂક્ષ્મ વર્ણન કરવામાં આવેલ છે, પરંતુ અહીં આઠ પ્રકારના મુખ્ય કર્મો દર્શાવવામાં આવ્યા છે.
આપણી આસપાસના જગતમાં સામાન્ય અવલેકનથી પણ જોઈ શકાય છે કે સો માણસોમાં સમાન બુદ્ધિ હેતી નથી. જૈન દર્શન અનુસાર જ્ઞાનાવરણ (જ્ઞાનને આવરિત કરનાર) કર્મફળ અનુસાર બુદ્ધિની ન્યુનાધિકતા મનુષ્યને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે કેટલીક વ્યક્તિએ જીવનમાં વારંવાર અનેક પ્રકારના રોગે કે અકસ્માતની યાતનાઓમાંથી પસાર થાય છે જ્યારે કેટલીક વ્યક્તિઓ સામાન્ય રીતે તંદુરસ્ત અને યાતના વગરનું જીવન ભોગવે છે. જેના દર્શન અનુસાર આમાં વેદનીય કમ કારણભૂત છે. એવી જ રીતે આયુષ્ય કમ વિશે સમજવું. કયા કુટુંબમાં અને ક્યા કુળમાં જન્મ થવો એ ગોત્ર કમ અનુસાર પ્રાપ્ત થાય છે. આ પછીની ગાથામાં આ અંગે ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે.
૧૪. કર્મ સ્વરૂપ
આ કર્મોને સ્વભાવ પડદે, દ્વારપાળ, તલવાર, મદ્ય, હેડ (લાકડું), ચિતાર, કુંભાર અને ભંડારી જે છે.
(૧૪)
Page #24
--------------------------------------------------------------------------
________________
નાગમ સૂત્રસાર
૧૧
(૧) જેવી રીતે ઓરડાની અંદર રહેલી વસ્તુનું જ્ઞાન પડદો થવા દેતા નથી તેવી રીતે જ્ઞાનાવરણય કમજ્ઞાનને રોકવાનું અથવા ઓછું-વધતું કરવાનું નિમિત્ત બને છે. એના ઉદયની ન્યૂનાધિકતાને કારણે કોઈ વિશિષ્ટ જ્ઞાની અને કોઈ અજ્ઞાની બને છે.
(૨) જેવી રીતે દ્વારપાળ દર્શનાથીઓને રાજાના દર્શન કરવામાં રૂકાવટ કરે છે તેવી રીતે દર્શનનું આવરણ કરનારું કર્મ દર્શનાવરણય કર્મ કહેવાય છે.
(૩) તલવારની ધાર પર લગાવેલા મધને ચાટવામાં જેવી રીતે મધુર સ્વાદ જરૂર આવે છે, પણ સાથે સાથે જીભ કપાવાનું અસહ્ય દુઃખ પણ અનુભવાય છે; તેમ વેદનીય કમ સુખદુ:ખનું નિમિત્ત બને છે.
(૪) દારૂ પીવાથી મનુષ્ય કેફથી બેહોશ બને છે, આ ધબૂધ ગુમાવી બેસે છે તેમ મોહનીય કર્મના ઉદયથી વિવશ બનેલે જીવ પિતાનું સ્વરૂપ ભૂલી જાય છે.
(૫) હેડમાં (બેડીમાં) પગ નાખેલી વ્યક્તિ હાલવા-ચાલવામાંથી રોકાઈ જાય છે. તેવી રીતે આયુકર્મના ઉદયથી છવ પિતાના શરીરમાં મુકરર સમય સુધી ગેરંધાયેલું રહે છે.
(૬) જેવી રીતે ચિતારો વિવિધ પ્રકારના ચિત્રો બનાવે છે, તેવી રીતે નામ કમના ઉદયથી જીવોના વિવિધ પ્રકારના દેહની રચના થાય છે.
(૭) જેવી રીતે કુંભાર નાનાં-મોટાં વાસણે બનાવે છે તેવી રીતે ગોત્ર ક્રમના ઉદયથી જીવને ઉચ્ચ કે નીચ કુળની પ્રાપ્તિ થાય છે.
(૮) જેવી રીતે ભંડારી (ખજાનચી) દાતાને દેતાં અને ભિક્ષુકને લેતાં રોકે છે તેવી રીતે અંતરાય કમના ઉદયથી દાનલાભાદિમાં બાધા ઊભી થાય છે. આ પ્રમાણે આઠ કર્મના સ્વભાવે છે. * આ વિવેચન “સમસ્ત’ના પાના નં. ૨૨-૨૩ ઉપરની પાદટીપ
મુજબનું યથાવત લેવામાં આવેલ છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
નાગમ સૂત્રસાર
-
૧૫, મિથ્યાત્વ જે જીવ મિથ્યાત્વથી ગ્રસ્ત થાય છે તેની દ્રષ્ટિ વિપરીત થઈ જાય છે. જેવી રીતે જવરગ્રસ્ત મનુષ્યને મીઠે રસ પણ ગમતું નથી તેવી રીતે એને પણ ધર્મ ગમતો નથી.
જે ન દર્શનમાં સમકિત અને મિથ્યાત્વ એ બે શબ્દો ખાસ અર્થમાં વારંવાર આપણી સામે આવે છે. સમકિતને અર્થ છે સત્યને યર્થાથરૂપે સત્ય તરીકે સ્વીકારવું. એનાથી વિપરિત સત્યને અસત્ય તરીકે કે મારીમચડીને વિકૃતરૂપે કે સગવડિયા અર્થધટને કરીને માનવું એનું નામ મિથ્થા દષ્ટિ. અહીં ઉદાહરણ દ્વારા એ વાત સમાવવામાં આવી છે કે જેવી રીતે તાવગ્રસ્ત રોગીને મિષ્ટ પદાર્થો પણ કડવા અને તુરા લાગે છે, તેવી રીતે મિથ્યાવીને ધમ વચને કડવાં લાગે છે.
૧૬. બહિરાભા તીવ્ર કષાય-યુક્ત બની મિસ્યાદ્રષ્ટિ શરીર અને જીવને એક માને છે, એ બહિરાત્મા છે. (૧૬)
અહીં શરીર અને આત્માની ભિન્નતાની વાત કહેવામાં આવી છે. દર્શનશાસ્ત્ર ક્ષેત્રે ખાસ કરીને ભૌતિકવાદી અને જડવાદી એવા ચાર્વાકદર્શન સિવાયના ઘણુંખરા દર્શનેએ પોતપોતાની રીતે શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. ચાર્વાકનું તો સૂત્ર છે કે “ખાઓ, પીઓ અને જીવનમાં વધુ ને વધુ સુખ અને આનંદને ઉપભેગ કરતા રહે.” – “ઈશ્વર નથી–આત્મા નથી. પરલેક નથી અને મૃત્યુ સાથે બધી જ બાબતોનો અંત આવી જાય છે. આથી પરલેકની કે પરભવની ચિંતા કરવાની કે ભયભીત થવાની જરૂર નથી.”
Page #26
--------------------------------------------------------------------------
________________
જનાગમ સૂત્રસાર
આ ગાથામાં પણ તીવ્ર કષાયુક્ત અર્થાત્ ક્ષુદ્ર ભેગ-ઉપભોગમાં ડૂબેલાઓ જાણે કે શરીરને જ સર્વસ્વ માનીને જીવે છે, એ નિર્દેશ છે. “મિથ્યા દષ્ટિ'ને અહીં અર્થ છે જે મિથ્યાને અર્થાત . અસતને સત્ય માનીને ચાલે.
૧૭. જન્મ-મરણ રાગ અને દ્વેષ કર્મના બીજ (મૂળ કારણ છે. કમ” મોહથી ઉત્પન્ન થાય છે, એ જન્મમરણનું મૂળ છે. જન્મમરણને દુઃખના મૂળ કહેવામાં આવ્યા છે. (૧૭)
જન્મનું દુઃખ જન્મ લેનાર મનુષ્યની સ્મૃતિમાં તે હેતું નથી. પરંતુ મૃત્યુને ભય સર્વસામાન્ય છે. એટલે વાસ્તવમાં તો ભય અને એની સાથે સંકળાયેલ બિનસલામતીની લાગણું સવ* દુઃખનું મૂળ છે એમ કહી શકાય.
વળી, સામાન્ય રીતે તો એવું દેખાય છે કે જન્મ-મરણ દુ:ખનું મૂળ હોવાને વારંવાર ઉપદેશ દેનાર અને સાંભળનાર એ બન્નેનું લક્ષ્ય તો ફરી પાછું વધુ સારે જન્મ-દેવકના મોજશોખો મેળવવા તરફની લેલુપતાભરી દૃષ્ટિમાં જ સમાઈ જાય છે.
બૌદ્ધ દર્શનમાં દ્વાદશનિદાન મુજબ આવા કાર્યકારણની શૃંખલામાં બાર કારણેનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને ફરીથી. જન્મ લેવાની ઈચ્છાને જ જન્મનું કારણ ગણવામાં આવ્યું છે.
અર્થાત જ્યાં સુધી ઈચ્છાઓને અને તૃષ્ણાઓને અંત નહીં આવે ત્યાં સુધી ફરી-ફરીને જન્મ હશે જ અને જ્યાં સુધી આવી ફરી-ફરીને જન્મ લેવાની ઈચ્છા સુષુપ્તપણે પણ હશે ત્યાં સુધી મુક્તિની–મોક્ષની આશા વ્યર્થ છે. માત્ર વાક્યાતુર્યભર્યા શબ્દો દ્વારા મોક્ષની ઇચ્છાનું રટણ એ દંભ માત્ર છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
'૧૪
જેનાગમ સૂત્રસાર ૧૮. વિરક્તિ ભાવથી વિરક્ત થયેલે મનુષ્ય શેકમુક્ત બની જાય છે. જેવી રીતે કમળના છેડનું પાંદડું પાણીથી લેપાતું નથી તેવી રીતે સંસારમાં રહ્યો થકે પણ તે અનેક દુઃખની પરંપરાથી લેપાતો નથી.
(૧૮) સંસારમાં રહેવા છતાં અને સંસારના સર્વસામાન્ય કર્તવ્યને ન્યાય આપતાં–આપતાં પણ સંસારથી અર્થાત મોહપાશથી નિર્લેપ રહી શકાય છે, એવી સંભાવના અહીં દર્શાવવામાં આવી છે.
સંસારમાં ડગલે પગલે લાભ અને હાનિ તેમજ સુખ અને દુઃખની ગણતરીમાં રહીને મોટેભાગે માણસ પોતે જ પિતાની આસપાસ અનેકવિધ દુઃખની જાળ ઊભી કરે છે. પાણીમાં રહેલા કમળપત્રની જેમ સંસારમાં રહીને પણ નિલેં૫૫ણે જીવવાની કળા જેણે શીખી લીધી હેય એને માટે કોઈ લાભ થવો એ આનંદની બાબત નથી અને કોઈ હાનિ થવી એ અફસોસ કે આઘાતની બાબત નથી. પરિણામે દુઃખેની પરંપરાથી આ મનુષ્ય મહદ્ અંશે મુક્ત જ હોય છે.
સાંખ્યદર્શન અને વેદાન્તદનમાં આને જીવનમુક્તદશા કહેવામાં આવી છે. એને અર્થ છે કે જીવનમાં રહ્યા છતાં પણ જેને મેક્ષ એક અપેક્ષાએ થઈ ચૂક્યો જ છે. શ્રીમદ્ રાજચંદ્ર આવી રીતે જ જીવી ગયા.
૧૯. દશ પ્રકારે ધર્મ ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આજવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિચન્ય તથા ઉત્તમ બ્રહ્મચર્ય આ દશ પ્રકારના ધર્મ છે.
(૧૯)
Page #28
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
ધર્મ શું છે? ધર્મ કોને કહેવાય? જેને ધાર્મિક કહી શકાય એવી વ્યક્તિના જીવનના લક્ષણે શું હોય ? –આવા પ્રશ્નોને ઉત્તર આપણને આ ગાથામાંથી મળી રહે છે.
આ દશેદશ લક્ષણો જેનામાં હોય એવી વ્યક્તિના નક્કર દષ્ટાંત દ્વારા એક દર્પણની જેમ પોતાની જાતની ઓળખ થઈ શકે– પિતે ક્યાં ઊભે છે એનું ભાન થઈ શકે.
પરંતુ આજે વાસ્તવિકતા શું છે? સત્યનું તો નામનિશાન શોધ્યું જડતું નથી, સંયમને નામે દંભની બેલબાલા છે, તપ અને સ્વાદ લોલુપતા બને સાથે સાથે ચાલી રહ્યાં છે એટલે કે તપનું પરિણામ સ્વાદેન્દ્રિય પર કે વાણુ ઉપર સંયમ રૂપે દેખાવું દુર્લભ થઈ પડયું છે. બસ આટલું જ; વધુ કંઈ વાત કરવા જેવી જ નથી.
૨૦. ક્ષમા હું તમામ જીવોને ક્ષમા પ્રદાન કરું છું, તમામ જી મને ક્ષમા આપે, તમામ પ્રાણીઓ તરફ મને મૈત્રીભાવ છે. મને કોઈ સાથે વેર નથી. (૨૦)
જૈન ધર્મમાં આ એક મહત્ત્વની ગાથા છે. અહિંસાને પરમ ધર્મ કહ્યો છે અને સૂક્ષ્મ દષ્ટિએ અહિંસામાં રાગ-દ્રષ-ઈષ્યવેર વગેરે ઘણું બધી બાબતેને સમાવેશ થયેલ જ છે. આથી ક્ષમાપનાને ખૂબ જ મહિમા છે. માત્ર માણસ માણસ વચ્ચે જ નહીં પરંતુ જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવાનું અહીંયા સૂચન છે.
અજાણ્યું કે સંજોગવશાત કોઈપણ જીવની હિંસા થઈ હોય કે અન્ય કોઈ રીતે દુર્ભાવ થયે હેય તો એ માટે હૃદયપૂર્વકની ક્ષમા માગવાની અને બીજાઓને ક્ષમા આપવાની વાત આટલી નક્કર અને સૂક્ષ્મરૂપે ભાગ્યે જ કોઈ અન્ય દર્શનમાં કરવામાં આવી હશે.
Page #29
--------------------------------------------------------------------------
________________
જનાગમ સૂત્રસાર
૧૬
જૈનના સૌથી મહત્વના તહેવાર સંવત્સરીને દિવસે આખા વર્ષ દરમ્યાનને આવા વેરઝેર અને દુર્ભાવને અંત વિધિવત સાંવત્સરિક પ્રતિક્રમણ દરમ્યાનના સૂત્રો દ્વારા લાવવામાં આવે છે અને ઔપચારિક રીતે પણ અરસપરસ પ્રત્યક્ષ મળીને કે પત્ર દ્વારા આવી ક્ષમાનું આદાન-પ્રદાન થાય છે.
જ્યાં રિવાજ અને વિધિ દાખલ થાય છે ત્યાં જડતા, યાંત્રિકત: અને પછી દંભ દાખલ થઈ જાય છે. પરિણામે આવી સુંદર વાત પણ લગભગ નિષ્માણ અને કેટલીકવાર તે પિતાની જાતને જ છેતરનારી ન બની જાય એટલી સાવધાની રાખીએ.
૨૧. કુળમદ આ પુરુષ અનેકવાર ઉચ ગોત્ર અને અનેકવાર નીચ ગાત્રને અનુભવ કરી ચૂક્યો છે, એટલા માટે નથી કોઈ હીન કે નથી કોઈ અતિરિક્ત, (એટલા માટે એણે ઉચ ગોત્રની) ઈછા ન કરવી. (આ પુરુષ અનેક વખત ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રને અનુભવ કરી ચૂક્યો છે) આવું જાણ્યા પછી ગોત્રવાદી કેણ હોઈ શકે? કોણ માનવાદી હોઈ શકે ?
(૨૧) ૮૪ લાખ યોનિની વાત હિન્દુ ધર્મમાં પણ સર્વસ્વીકૃત છે. જૈન દર્શને જીવવિચારસૂત્રમાં જીવોના અનેક ભેદે અને પ્રભેદનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યું છે. જન્મમરણ અને પુનર્જન્મની ઘટમાળમાં આ રીતે એવી કોઈપણ યોનિ નહીં હશે કે જેમાંથી જીવ પસાર ન થયો હોય. આથી જ આ ગાથા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મનુષ્ય જગતમીના પિતાના ઉચ્ચ કુળ, ઉચ્ચ ગોત્ર કે ઉચ્ચ વર્ણ વિશે અભિમાન કરવું કે ગૌરવ લેવું એ તદ્ન અર્થહીન છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
૧૭
આજે પણ વર્ણવ્યવસ્થાના સંદર્ભમાં અસ્પૃશ્યતા અંગેની સમસ્યાઓ આપણે ત્યાં તેમજ પશ્ચિમના વિકસિત દેશોમાં રંગભેદની સમસ્યા પડકારરૂપે ઊભી જ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો શ્રમણ સંસ્કૃતિ (અર્થાત જૈન અને બૌદ્ધ ધર્મા) વૈદિક સંસ્કૃતિમાં પ્રવેશેલ વર્ણવ્યવસ્થાની અને ક્રિયાકાંડની જડતા સામે એક પ્રતિક્રિયા અને વિદ્રોહ તરીકે આવી છે. સૈદ્ધાંતિક દૃષ્ટિએ જૈન દર્શનમાં વર્ણવ્યવસ્થા કે કુળ અને ગોત્રની દષ્ટિએ ઉચ્ચ-નીચના ભેદ સંપૂર્ણપણે અસ્વીકાર્યું અને અમાન્ય છે.
૨૨લાભ કદાચ સેના અને ચાંદીના કેલાસ – સમા અસંખ્ય પર્વત ઉત્પન્ન થઈ જાય, તે પણ લોભી પુરુષને એથી કશી અસર થતી નથી. (તૃપ્તિ થતી નથી, કારણ કે ઈચ્છા આકાશ જેટલી અનંત છે.
(૨૨) લેભ અને તૃષ્ણની વૃત્તિઓની વાત અહીં સાવ સરળ અને સ્પષ્ટ રીતે મૂકવામાં આવી છે. લોભને થોભ નથી એ કહેવત તો પ્રસિદ્ધ છે. એવું જ તુષ્ણુઓ-ઈચ્છાઓ વિશે છે. મનુષ્યના જીવનમાં સામાન્ય રીતે ઈચ્છાઓને ક્યાંય જાણે કે અંત જ દેખાતો નથી.
સામાન્ય સંસારીઓની તે શું વાત કરવી ? પરંતુ કહેવાતા ત્યાગીએ–બૈરાગીઓની તૃષ્ણએને શું અંત આવી ગયો છે?
ત્યાગના નામે પત્ની-પુત્ર-પૌત્રાદિ પરિવારને ત્યાગ કર્યો તે વળી બીજા સ્વરૂપે શિષ્ય-શિષ્યાઓનાં ટોળાં ઊભાં કર્યા !
ઘર-જમીન-જાગીરનો ત્યાગ કરીને મંદિર-મઠો-ઉપાશ્રય ઊભા કરાવ્યા !
Page #31
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સત્રસાર
૨૩. બ્રાહ્મણ કેણ? આ જે પ્રમાણે જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળ વડે લેપાતું નથી, તેવી રીતે કામ–ભેગના વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી પાસે નથી એને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૨૩) અગાઉ કહેવાયું તેમ વર્ણવ્યવસ્થા સામે વિદ્રોહ તરીકે અને વર્ણવ્યવસ્થાને નામે અન્ય વર્ગોના શેષણ સામે એક પ્રતિક્રિયા અને ક્રાંતિ તરીકે શ્રમણ સંસ્કૃતિને ઉદય થયે. આથી જન્મથી નહીં પરંતુ કર્મ થકી વર્ણ નિર્ધારિત કરવા અહીં બ્રાહ્મણની વ્યાખ્યા આપવામાં આવી છે. બ્રાહ્મણ એ છે કે જે સંસારની વચ્ચે સાંસારિક પ્રલેભનોની વચ્ચે રહીને પણ જળમાં રહેલ કમળની જેમ નિલેષપણે રહી શકે છે. અર્થાત ગીતામાં કહેલ અનાસક્તિયોગ મુજબ આસક્તિ રહિત જીવન જીવી શકે એ જ બ્રાહ્મણ છે.
અલબત્ત શ્રમણ સંસ્કૃતિના આગમન બાદ ઉપનિષદના કાળમાં ઋષિઓએ પણ આવી જ વ્યાખ્યા બ્રાહ્મણની આપી છે –બ્રહ્મ તત્ત્વને જાણે તે જ બ્રાહ્મ.”
મહાવીરે તે સ્પષ્ટ કર્યું છે કે વર્ણ-જાતિ-કુળ-ગોત્ર એ જન્મ થકી નહીં પરંતુ જે તે વ્યક્તિના કર્મ અનુસાર જ સમજવા :
કમથી જ બ્રાહ્મણ થવાય છે. કમથી જ ક્ષત્રિય થવાય છે. કર્મથી જ વૈશ્ય થવાય છે. કર્મથી જ શુદ્ર થવાય છે.”
૨૪પરમવિજેતા દુજેય યુદ્ધમાં જે હજારો યે દ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેને એ વિજય પરમ વિજય છે.
(૨૪)
Page #32
--------------------------------------------------------------------------
________________
જનાગમ સૂત્રસાર
યુદ્ધમાં હારે અને લાખેની દુશ્મન સેનાને જીતવી સહેલી છે. પરંતુ પિતાની જાત ઉપર વિજય મેળવે એ કેટલું કઠિન છે, એ વાત આપણે સૌ જાણીએ છીએ (અને જાણવા છતાં પણ આપણે કદી ગંભીરપણે એને અનુસરતા નથી.)
જેન તીર્થકરે માટે “જિન' શબ્દ વપરાય છે અને એને અર્થ જ આ ગાથા મુજબનો સ્પષ્ટ છે કે જેણે પિતાના આંતરશત્રુઓ ઉપર–અર્થાત રાગ-દ્વેષ-કામ-ક્રોધ-લભ-મોહ-તૃષ્ણાઓ આદિ પર વિજય પ્રાપ્ત કર્યો છે. “જૈન” શબ્દ પણ આ જિન ઉપરથી પ્રચારમાં આવ્યો છે. વાસ્તવમાં પોતાને જન કહેવડાવવાને અધિકાર એ જ વ્યક્તિને છે કે જેણે પિતાના આંતર શત્રુઓને જીત્યા હોય.
ચોવીસ વર્ષ પહેલાં થઈ ગયેલ ગ્રીસ દેશના સેક્રેટિસે પણ know thyself” દ્વારા આ જ વાત બીજા શબ્દોમાં કહી છે. અહીં પિતાની જાતને જીતવાને બદલે પોતાની જાતને ઓળખવાની વાત છે. ઉપનિષદેના દષ્ટા ઋષિઓએ પણ “બ્રહ્મતત્ત્વને જાણે એ જ બ્રાહ્મણ.” એવી વ્યાખ્યા દ્વારા આ જ વાત કરી છે. પરંતુ જૈન દર્શન એક વાસ્તવવાદી અને કર્મવાદી દશન છે એટલે એક ડગલું આગળ વધીને કહે છે કે માત્ર પિતાની જાતને ઓળખીને ત્યાં અટકવાનું નથી પરંતુ એ ઓળખ પછી કશુંક નક્કર કરવાનું પણ છે; અર્થાત નક્કર કાર્ય–આંતર શત્રુઓને જીતવાનું કાર્ય.
૨૫, સર્વનાશ કોઇ પ્રીતિને, માન વિનયને, માયા મૈત્રીને અને લોભ તમામનો નાશ કરે છે.
ક્રિોધ, માન, માયા અને લોભ એ ચારેયમાં લોભ એ સૌથી વિશેષ હાનિકારક હોવાનું અહીં કહેવામાં આવે છે. આનું કારણ
Page #33
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
સ્પષ્ટ છે કે લેભ એ મૂળભૂત તૃષ્ણાઓનું જ એક સ્વરૂપ છે. આ તુણુઓનું એક સાતત્ય હોય છે. જયારે ક્રોધ, માન, માયા વગેરે કષાયમાં આવો સાતત્યભાવ નથી હોતું. પ્રમાણમાં ક્ષણિક કે સમયાંતરે આ કષાયે માથું ઉંચકે છે.
લેભ એ એક મૂળભૂત વૃત્તિ હોવાને કારણે ક્રોધ, માન, માયા આદિ અન્ય કલાને–દુર્ગણોને જન્મ આપવામાં પણ એ કારણભૂત બને છે.
ર૬. સંતેષ ક્ષામાથી ક્રોધને હણે, નમ્રતાથી માનને છત, સરળ સ્વભાવથી માયા ઉપર અને સંતોષથી લાભ ઉપર વિજય મેળવે.
(૨૬) લેભ ઉપર વિજય મેળવવો એ સૌથી પ્રથમ મહત્વનું કદમ છે અને સંતેષ દ્વારા લેભ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું અહી કહેવામાં આવ્યું છે. સંત તુલસીદાસે પણ કહ્યું છે :
ગોધન-રજધન–વાજધન ઔર રતનધન ખાન જબ મિલે સંતેષધન
સબ ધન સમાન. અર્થાત જેને સંતોષરૂપી ધન પ્રાપ્ત થયું છે એને માટે અન્ય સાંસારિક બધી જ સંપત્તિ ધૂળ સમાન છે.
એક ગુરુ શિષ્ય કયાંક જઈ રહ્યા હતા. શિષ્ય સહેજ પાછળ પાછળ ચાલતો હતો. શિષ્ય રસ્તામાં એક સોનામહોરોની ઢગલી જોઈ. સોનામહોરો ઉપાડવાની લાલચ ન થાય એટલે એના ઉપર એણે પગથી ધૂળ નાખી દીધી. ગુરુએ આ જોઈ લીધું અને શિષ્યને કહ્યું, “તને હજી સેનામહોરો અને ધૂળ એ બન્ને વચ્ચેને ભેદ દેખાય છે એટલો હજી તારો વૈરાગ્ય કાચા છે.”
Page #34
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
૨૭. પરિગ્રહ પરિગ્રહને કારણે જીવ હિંસા કરે છે, અસત્ય લે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે અને અત્યધિક આસક્તિ કરે છે. (આ પ્રકારે પરિગ્રહ પાંચેય પાપિની જડ છે. (૨૭) - જૈન ધર્મ પાંચ પ્રકારના મુખ્ય દેશોની નિવૃત્તિ માટે પંચમહાવતની પેજના કરી છે. આ પંચ મહાવ્રત આ મુજબ છે : (૧) અહિંસા
(૪) બ્રહ્મચર્ય (૨) સત્ય
(૫) અપરિગ્રહ (૩) અચૌર્ય
આ ગાથા દ્વારા પરિગ્રહને પાંચેય પ્રકારના દોષોનું મૂળ ગણવામાં આવ્યું છે. જે વધુ ને વધુ પરિગ્રહ કરવાની-ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવાની દેહને અંત આવે તો હિંસા, અસત્ય કે ચેરીના દેષ વહોરવાનું ભાગ્યે જ બને.
પ્રતિક્રમણમાં બાર અતિચારના સૂત્રમાં આ પાંચેય પ્રકારના દેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. માત્ર સ્થળ રીતે નહીં પરંતુ સૂક્ષ્મ રીતે પણ પિતાના સુદ્ર સ્વાર્થ ખાતર મનુષ્ય નિરંતર આવી અનિષ્ટ પ્રવૃત્તિઓમાં સદા ઘેરાયેલું રહે છે.
૨૮ દયા જીવન વધ આપણે પિતાને જ વધ છે. જીવ ઉપર દયા રાખવી એ આપણું પોતાના ઉપર દયા રાખવા બરાબર છે. એટલા માટે આ મહિૌષિ (આત્મકામ) પુરુષોએ તમામ પ્રકારની જીવહિંસાને ત્યાગ કર્યો છે. (૨૮)
“આમવત સર્વ ભૂતેષુ' એવા સર્વસામાન્ય ભારતીય તત્વ જ્ઞાનનું સૂત્ર અહીં પણ જોવા મળે છે. અર્થાત જેણે આત્માનું
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૨
જેનાગમ સૂત્રસાર
યથાર્થ સ્વરૂપ જાણી લીધું છે એને માટે હિંસા અશકયવત જ બની જાય. અહીં બીજી એક મહત્વની વાત પણ સૂચિત થાય છે, “જીવ ઉપર દયા રાખવી એ આપણે પિતાના ઉપર દયા રાખવા બરાબર છે.” બીજા શબ્દોમાં કહીએ તે અહિંસા એ એક ભાવ છે અને અહિંસાભાવનું ઉદ્ગમસ્થાન કરૂ થકી જ હેય. જ્યાં કરૂણું હશે ત્યાં અન્ય જીવોનું સહેજ દુઃખ જોઈને પણ વ્યક્તિ પિતે એ જ દુઃખનો અનુભવ કરશે.
જયાં હદયમાં કરૂણ પ્રસરેલી નથી અને સ્વભાવમાં ડગલે પગલે નિષ્ફરતા છે ત્યાં અહિંસાને નામે આઠમ ચૌદસની લીલોતરીના ત્યાગ જેવા વ્રત એ દંભ છે, -તીથી કરોની વાણુની હાંસી ઉડાવવા બરાબર છે.
" માં કા અહિંસાની વાણું
ર૯. અહિંસા જિનેશ્વર દેવે કહ્યું છે – રાગ વગેરેની અનુત્પતિ અહિંસા છે અને એની ઉત્પતિ હિંસા છે. (૨૯)
“અહિંસા પરમે ધર્મ' એ સૂત્ર જૈન ધર્મનો પાયો છે. પરંતુ આ હિંસા માત્ર સ્થળ હિંસાની નિવૃત્તિથી પૂરી થઈ જતી નથી. જન સૂત્રોમાં વારંવાર કહેવાયું છે કે કર્મબંધનમાં ભાવ એ મુખ્ય વાત છે. અહીં અહિંસાને મને સ્પષ્ટ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રાગદ્વેષમાંથી મુક્ત ન થવાય ત્યાં સુધી બાહ્ય રીતે કશી હિંસા ન આચરવા છતાં એવા રાગ ષથી સતત ઘેરાયેલો મનુષ્ય હિંસક જ છે–હિંસા આચરી રહ્યો છે.
વળી સામાન્ય સંસારીઓ સાંસારિક સ્વાર્થવશ રાગ-૮ષમાં તણાતા હેય એ કંઈક સમજી શકાય એવી વાત છે. પરંતુ આત્મકલ્યાણ અથે સંસારનો ત્યાગ કરીને અત્યંત કઠેર અને
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈનાગમ સૂત્રસાર
૨૩.
તમય જીવન જીવનાર પણ જ્યારે ધમને નામે પિતાના અહમ સંતોષવા અને સત્તા ભોગવવા રાગ-આદિ કષાયોને આશ્રય લેતા રહે ત્યારે તીર્થકરોની વાણી સાંભળવા-સમજવા ક્યાં જવું ?
૩૦, મૃત્યુ આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા આ મારે કરવું છે અને આ નથી કરવું – આ પ્રમાણે મિથ્યા બકવાસ કરનાર પુરુષને ઉઠાવી લેવાના સ્વભાવવાળે, કાળ ઉઠાવી લે છે.
(૩૦) - જીવનની ક્ષણભંગુરતા, તૃષ્ણાઓની વ્યર્થતા અને મેહગ્રસ્ત મનુષ્યની બેહેશીભરી આંધળી દોટનું અહીં દર્શન કરાવવામાં આવ્યું છે.
માણસ સતત જાણે કે કદી મૃત્યુ પામવાને જ ન હોય એમ ભવિષ્ય માટેની યોજનાઓ કરતે રહે છે. સાવ સીધી સાદી વાસ્તવિકતા એ છે કે જીવન અને મૃત્યુ વચ્ચેને ફાસલો એક ક્ષણ માત્રને છે. માણસ ઈરાદાપૂર્વક એને નજર અંદાજ કરતો રહે છે. રોજે-રોજ આ વાસ્તવિકતાનું સ્મરણ કરાવતા અનેક આધ્યાત્મિક પ્રવચને સાંભળવા છતાં, ધ્યાન અને યેગને નામે ચાલતી અનેક શિબિરોમાં આંટાફેરાઓ કરવા છતાં, અનેક ધર્મગ્રંથ અને ફિલસૂફીઓનું વાંચન કરીને પણ મનુષ્ય પોતે સ્વેચ્છાએ ઓઢી લીધેલ આ બેહશીમાંથી બહાર આવવા તત્પર નથી.
૩૧. શાસ્ત્રાભ્યાસ વ્યક્તિને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. એ પોતે ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે, તેમજ અનેક પ્રકારના શાસ્ત્રોનું અધ્યયન કરીને એ શ્રુતસમાધિમાં લીન બની જાય છે.
(૩૧)
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
જેનાગમ સૂત્રસાર
અધ્યયન અને શાસ્ત્રાભ્યાસનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહિ પરંતુ ચિત્તની એકાગ્રતા અને જ્ઞાન માટેનું સાધન પણ શાસ્ત્રાભ્યાસને ગણવામાં આવ્યું છે.
આશ્ચર્યની વાત તે એ છે કે આજકાલ અનેક ગ્રંથ અને શાસ્ત્રોને અભ્યાસ કરીને ધર્મ સભાઓ ગજવનારા મોટેભાગે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ઉત્તમ ગ્રંથના વાંચનને વ્યર્થ ગણાવીને પિતાના શ્રોતાએ તેમજ અનુયાયીઓને જડ ક્રિયાકાંડમાં જ રચ્યાપચ્યા રાખે છે.
મહાવીરે તે સ્પષ્ટ કહ્યું છે :
પઢમં નાણું
તઓ દયા.” અર્થાત પ્રથમ જ્ઞાન અને પછી જ દયા.
દેખીતું જ છે કે જેને જ્ઞાન નથી, યોગ્ય-અયોગ્ય નિર્ણય કરવાને વિવેક નથી એવી વ્યક્તિ કશુંક સત્કર્મ કરવા જશે તો પણ પરિણામ ઘાતક અને હાનિકારક આવે એવો સ્પષ્ટ સંભવ છે.
ધર્મને જ નામે આજે જે વૈમનસ્ય, ઈર્ષ્યા અને લડાઈઓ ફૂલ્યાં-ફાલ્યાં છે એ શું સૂચવે છે?
૩ર. હું-મારું આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાવાળે તથા પરકીય (આત્મ-વ્યતિરિકત, ભાવને જાણવાવાળો એવો કર્યો જ્ઞાની હશે જે “આ મારું છે” એવું કહેશે. (૩૨)
કામ, ક્રોધ, મોહ, લોભ, રાગ, દ્વેષ આદિ સાંસારિક આસક્તિઓમાં ડૂબેલાઓનું આખું જીવન જ “આ મારું–આ પરાયું” વગેરે અજ્ઞાનમૂલક ખેંચાખેંચીમાં વેડફાય છે. વળી, આને કારણે સામાજિક-આર્થિક સ્તરે પણ ભારે વિષમતાઓ અને સંઘર્ષો જન્મે છે. સમાજમાંના મોટાભાગના ગંભીર ગુનાઓ પણ આ પરિસ્થિતિએની નીપજ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈનાગમ સૂત્રસાર
અમારા-ધમ' – અમારા સંપ્રદાય ’-અમારા ગુરુ’–‘અમારા અનુયાયીએ’ –‘અમારા શાસ્ત્રા' જેવા અંધાપાથી મુક્ત, સમષ્ટીની દૃષ્ટિએ જોવાવાળા અને વિચારનારાઓ કાં શેાધવા?
૩૩. સ્વ-ભાવ
હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું તથા જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું. પેાતાના આ શુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય બની હું આ બધા (પરકીય ભાવા)ને ફાય કરુ છુ. (33)
પ્રત્યેક ધમ કે દ્વેશનના આરબ પેાતાની જાતની ઓળખથી થાય છે અને આ પેાતાની જાતની ઓળખ દ્વારા એવુ જીવન જીવવાના પ્રયત્ન કરવાના હાય છે કે અંતિમ લક્ષ્ય મુકિતનેનિર્વાણને-મેક્ષને પામી શકાય,
આ ગાથામાં આત્માની સ્પષ્ટ પરિભ્ર ષા કરવામાં આવી છે. શુદ્ધ સ્વરૂપે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ઐકય પૂણુ છે (Unity), અને મમત્વથી પૂર્ણ પણે મુકત છે. આ આત્મતત્ત્વની એળખ માટે આત્મદ્રય્-અનામદ્રવ્ય વચ્ચેના ભેદ સતત નજર સામે રાખવાના છે. એ તે દેખીતી વાત છે કે જ્યાં સુધી મનાત્મદ્રવ્યના વળગણે તા (પરકીયભાવ) અ ́તન આવે ત્યાં સુધી આત્માનું શુદ્ધ સ્વરૂપ પામી શકાય નહિ.
૨૫
૩૪. ધર્માચરણ
અભવ્ય જીવ જો કે ધમ માં વિશ્વાસ રાખે છે, એની પ્રતીતિ કરે છે, એમાં રુચિ રાખે છે, એનુ પાલન પશુ કરે છે છતાં એ બધું ધર્માચરણુ ભેાગનું નિમિત્ત છે એમ સમજી કરે છે, કમ ક્ષયનું કારણ સમજીને નથી
કરતા.
(૩૪)
Page #39
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
તેથી
જૈન ધર્મ અનુસાર જીવો બે પ્રકારના છે–ભવિ અને અભવિ. ભવિ છ એ છે કે જન્મ-જન્માંતરે પણ જેઓને મોક્ષ નિશ્ચયપણે થવાનું જ છે. અભવિ જી એવા જીવ છે કે જેઓને જન્મજન્માંતરે પણ મોક્ષ થવાને જ નથી.
દાન કરવાથી બીજા જન્મમાં વધુ સંપત્તિ મળશે-તપ કે અન્ય ધર્માનુષ્ઠાન કરવાથી પુણ્યકર્મ બંધાશે અને દેવલોકના ઉત્તમ સુખો પ્રાપ્ત થશે એમ સમજીને મોટેભાગે આજે લોકોના ટોળેટોળાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં વળ્યા છે. હકીકતમાં આમાં ધર્મવૃત્તિનું નહીં પરંતુ લેભ, તૃષ્ણાઓ, પરિગ્રહવૃત્તિ અને લાલસાઓનું જ દર્શન થાય છે. આ બધી અત્યંત અધમ વૃત્તિઓને પંપાળીને ઉત્તેજિત કરનારા માગદશક અને ઉપદેશકોને પણ તોટો નથી.
આંધળો આંધળાને દેરે ત્યારે પરિણામ શું આવે?
જૈન દર્શનમાં મેક્ષ પ્રાપ્તિ અર્થે શુભ કર્મ અને અશુભ કમ એ બન્નેને સંપૂર્ણ ક્ષય અનિવાર્ય છે. અશુભ કર્મની પ્રવૃત્તિઓ ચાલુ રાખીને શુભ કર્મોના નામે કહેવાતી ધર્મ પ્રવૃત્તિઓમાં જોડાનારને મેક્ષ ખપત જ નથી પરંતુ માત્ર બીજ જન્મમાં વધુ કામભોગો. ખપે છે,
૩૫. પુસ્પેચ્છા જે પુણ્યની ઈચ્છા કરે છે એ સંસારની જ ઈચ્છા કરે છે. પુણ્ય સદ્ગતિને હેતુ જરૂરી છે, પરંતુ નિર્વાણ તે પુણ્યના ફાયથી જ થાય છે.
(૩૫) કર્મ અને કર્મફળના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક કર્મનું ફળ તે અવશ્ય જોગવવાનું જ રહે છે. પુણ્ય એટલે કે શુભ કર્મનું ફળ દેખીતી રીતે સુખ ભેગવવારૂપે મળવાનું છે એટલે પુણ્યની ઇચ્છા કરનારના મનમાં વધુ ને વધુ સુખ ભવિષ્યમાં મેળવવાની લાલસા અને લુપતા જ હોય છે. અર્થાત પુણ્યની ઇચ્છા રાખનાર ફરી ફરીને
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈનાગમ સૂત્રસાર
૨૭
જન્મની એટલે કે સંસારની જ ઈચ્છા રાખે છે. જ્યાં મોક્ષની ઈચ્છા જ નથી, ફરી ફરી સંસાર ભોગવવાની જ ઈચ્છા છે ત્યાં મુક્તિ ક્યાંથી હોય ? પુણ્યકર્મ અને પાપકર્મ એ બંનેને અંત એટલે જ મોક્ષ.
૩૬. સુવર્ણ–પિંજર પુરુષને બંને બેડીઓ બાંધે છે-ભલે પછી એ બેડી સેનાની હોય કે લોખંડની હેય. આ પ્રમાણે જ જીવને એના શુભ-અશુભ કર્મો બાંધે છે.
મોક્ષ પ્રાપ્તિ માટે શુભ કર્મોને પણ અહીં બંધનરૂપ
ગણાવ્યા છે.
- પિોપટને લોખંડના પાંજરામાં પૂરો કે સેનાના પાંજરામાં પૂર એથી પિપટના બંધનગ્રસ્ત જીવનમાં કશે જ ફેર પડતો નથી. સોનાની છરીને પણ પેટમાં હુલાવવાથી મૃત્યુ જ થવાનું છે.
શુભ કર્મની સાથે સાથે અશુભ કર્મોની પ્રવૃત્તિઓને તાત્કાલિક કવાની વાતને જે હિંમતપૂર્વક કહેવામાં નહીં આવશે તે કહેવાતા શુભ કર્મો સેનાની બેડીઓ બનીને વ્યક્તિની અને સમાજની અધોગતિ જ કરશે.
૩૭, ચાર પુરુષાર્થ મનુષ્ય જ્ઞાનથી જીવાદિ પદાર્થોને જાણે છે, દર્શનથી એમાં શ્રદ્ધા કેળવે છે, ચારિત્રથી (કર્માસવને) નિરોધ કરે છે, અને તપથી વિશુદ્ધ બને છે.
(૩૭) જુદા જુદા ધર્મો અને દર્શનેએ પિતપોતાની રીતે સંક્ષિપ્તમાં સુંદર જીવન જીવવા માટે માર્ગદર્શાવ્યું છે. આ રીતે બાઈબલના દશ આદેશ (Ten Commandments) છે; બીદ્ધ દશનમાં અષ્ટાંગ માર્ગ છે, પાતાંજલ યોગદર્શનમાં અષ્ટાંગ યોગ છે; ઈસ્લામમાં.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮
જેનાગમ સૂત્રસાર
નમાઝ અને ખેરાત અર્થાત બંદગી અને દાનને પાયાનું કર્તવ્ય ગણવામાં આવ્યું છે. એ રીતે એમ કહી શકાય કે જૈનદર્શને જ્ઞાન, -દર્શન, ચારિત્ર્ય અને તપ એ ચાર સાધનને જીવન માટે પથદર્શક ગણાવ્યા છે.
અહીં જ્ઞાનને અર્થ છે જીવ–અજીવ આદિ જગતના પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવું, એટલે કે આત્મદ્રવ્ય અને અનાત્મદ્રવ્ય વચ્ચેના ભેદને પારખવા. દર્શન દ્વારા જીવનની ક્ષણભંગુરતાને સમજીને શ્રદ્ધા કેળવવી અને અનાત્મકગ્ય પ્રત્યેની આસક્તિથી મુક્ત થવાનું લક્ષ્ય રાખવું. આપણે અગાઉ વારંવાર જોઈ ગયા કે જૈન ધર્મમાં કામ અને કર્મફળને સિદ્ધાંત કેન્દ્રમાં છે એટલે કે કશુંક નક્કર આચરણ કર્યા વગર ચાલે જ નહીં. અર્થાત જ્ઞાન અને દર્શન દ્વારા જે સમજ પ્રાપ્ત થાય એ અનુસારનું ચારિત્રય નવા કર્મોના બંધનથી આત્માને અળગો રાખે. આમ છતાં પૂર્વ સંચિત કર્મોની સમસ્યા તે ઊભી જ રહે છે, અને એ માટે અહીં તપ દ્વારા વિશુદ્ધ થવાની વાત છે.
૩૮. અજ્ઞાન (ત્રણેય એકબીજાના પૂરક છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે, ચારિત્ર વિનાનું જ્ઞાન, સમ્યગ્દર્શન વિનાનું મુનિપણું અને સંયમ વિનાનું તપશ્ચરણ નિરર્થક છે. (૩૮)
અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય એ ત્રણેય એકબીજાના પૂરક હોવાની વાત સુંદર રીતે દર્શાવવામાં આવી છે. જ્ઞાનની મોટી મોટી વાતે કોઈ કરે પણ જે ચારિત્ર્યનું ઠેકાણું ન હોય તે એને શું અર્થ ? એવી જ રીતે બાહ્યાચારથી મુનિપણું હોય તે પણ સમ્યફદર્શન વિનાનું મુનિપણું પિ કળ જ બની રહે છે. અહીં વધુમાં કહેવાયું છે કે “સંયમ વિનાનું તપ નિરર્થક છે.” આ વાતને બરાબર સમજી લેવાની જરૂર છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
૨૯
સંયમને અર્થ છે વૃત્તિઓ ઉપર પિતાને સહજ અંકુશ. વૃત્તિઓનું પરાણે બળપૂર્વક દમન કરવું એ એક બાબત છે પરંતુ તરવાર્થને સમજીને વૃત્તિઓ ઉપર વિજ્ય પ્રાપ્ત કરીને સંયમનું સહજ સ્વભાવથી હવું એ જુદી વાત છે. ગમે તેવું કઠેર બાહ્ય તપ (દા. ત., લાંબા કાળના નિર્જળા ઉપવાસ.) કર્યા પછી પણ, જે સવાદની લેલુપતા એવી ને એવી ઉછાળા મારતી હોય તે આવા તપની વ્યથતા જ સમજવી પડે. અર્થાત તપ એ સાધન છે અને સંયમ એ લા છે–સાય છે. માત્ર સાધનને જડપણે વળગી રહેવાથી, સાધ્ય ચૂકી જવાશે.
૩૯, અંધ૫ગુ ન્યાય
જેવી રીતે વગડામાં પાંગળો અને આંધળો મળ્યા અને બંનેના પારસ્પરિક સંપ્રયોગથી ( વગડામાંથી નીકળી ) બંને નગરમાં પ્રવિષ્ટ થયા તેવી રીતે કહેવામાં આવે છે કે જ્ઞાન અને ક્રિયાના સંયોગથી જ ફલ પ્રાપ્તિ થાય છે. એક પૈડાથી રથ ચાલતું નથી.
(૩૯)
ક્રિયા વગરના જ્ઞાનની વ્યર્થતા અહીં દર્શાવવામાં આવી છે. અહીં ક્રિયાને આચરણના (Action) અર્થમાં સમજવી. જ્ઞાનને અર્થ અને હેતુ જ છે કે સારાસારની વિવેક દષ્ટિ પ્રાપ્ત થાય અને જે પછી વ્યક્તિનું આચરણ એ મુજબનું ન હોય તે આવું જ્ઞાન એ માત્ર પોપટીયું જ્ઞાન છે; લોકો ઉપર છાપ પાડવા–પ્રભાવ પડવા કે પિતાની વાહવાહ કહેવરાવવાના હેતુનું આ જ્ઞાન છે. ગમે તેવી છટાદાર રીતે આચરણ વગરને આ જ્ઞાની ઉપદેશ આપશે તે પણ એ ઉપદેશની અસર શ્રોતા ઉપર પડે નહીં અને મોટેભાગે શ્રોતાઓ પણ આવા આકર્ષક વ્યાખ્યાનો એક પ્રકારનું
Page #43
--------------------------------------------------------------------------
________________
જનાગમ સૂત્રસાર
મનેારંજન માણુવા જ સાંભળે છે. વક્તાને એ રીતે અહમ સતેષાય છે અને શ્રોતાઓને આજના કંટાળાભર્યાં જીવનમાં સમય પસાર કરવાનુ અને ધમ ને નામે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાનુ સાધન મળે છે એટલું જ.
૦
૪૦. અકર્તાભાવ
કાઈક તા વિષયેાનું સેવન કરતા હૈાવા છતાં સેવન કરતા નથી અને કાઈ સેવન ન કરતા હાવા છતાં વિષયેાનું સેવન કરે છે. જેવી રીતે કોઈ પુરુષ વિવાદ્ગાદિ કાર્યાંમાં લાગ્યો રહ્યો હાવા છતાં પણ એ કાય ને સ્વામી નહી હૈવાથી કર્તા નથી ગણાતા.
(૪૦)
આ ગાથાના અર્થે ખુબ જ વિવેકપૂર્વક અને ઊંડાણુથી સમજી લેવા જેવા છે. અહી મુખ્ય વાત અગાઉ વારવાર કહેવાય છે એવી પાણીમાં રહ્યા છતાં કમળ નિલેપ રહે છે એવા પ્રકારના જીવનની અર્થાત્ સ'સારમાં રહ્યા છતાં આસક્તિ વગર જીવવાની વાત છે. જનક રાજાનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ જ છે. રાજકાજમાં વ્યસ્ત અનેક સુખ, સગવડો અને સમૃદ્ધિ વચ્ચે રહેવા છતાં કમળની જેમ સોંપૂ અનાસક્ત એવુ` જીવન જનક રાજાનું હતું. ભગવદ્ગીતામાં અનાસક્તિ યેાગની વાતના સાર પણુ આ જ છે.
અર્થાત્ ક વ્યરૂપે આવી પડેલાં સાંસારિક કમે કરતા રહેા અને આવા કમ ફળની ઇચ્છા રાખ્યા વગર જ અર્થાત્ ફળની આસક્તિ વગર કરો.
આ ગાથા વાંચીને રખે કાઈ પોતાને વિશે જ ભ્રમણામાં રહે. સામાન્ય રીતે કાજળની કાટડીમાં રહીને કાજળને ડાધ ન પડે એ રીતે જીવવું ભારે કઠિન ડ્રાય છે અને એકલા માટે જ ત્યાગ-તપ અને સયમને માગ ઉપદેશવામાં આવ્યા છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
નાગમ સૂત્રસાર
૩૧
૪. અનાસક્ત જે સમસ્ત કર્મફળોમાં અને સંપૂર્ણ વસ્તુધમાં કેઈપણ પ્રકારની આકાંક્ષા નથી રાખતે એને નિકાંક્ષ સમ્યગદડિટ સમજવું જોઈએ.
(૪૧)
જે સત્કાર, પૂજા અને વંદના સુદ્ધાં પણ નથી ચાહતે એ કોઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે કરે ?
(૪૨)
હે યોગી! અગર જો તું પરાકની આશા કરે છે તે ખ્યાતિ, લાભ, પૂજા અને સકારાદિ શા માટે ચાહે છે? શું એથી તને પરલેકનું સુખ મળશે? (૪૩)
અહીં આસક્તિઓના ત્યાગની વાત છે. સામાન્ય સાંસારિક આસક્તિઓ અને તૃષ્ણાઓમાંથી તો કદાચ બાહ્ય-તપ-ત્યાગ આદિ દ્વારા મુક્ત થવાના પ્રયત્નો માણસ સહેલાઈથી કરી શકે. પરંતુ મન તે મટ-વાંદરા જેવું છે. એને મૂળ સ્વભાવ બદલે એ તે કઈક વીરલા માટે જ શકય હોય, એટલે સાંસારિક બાબતોના ત્યાગ પછી સત્કાર, પૂજા, પ્રશંસા, પિતાને લેકે વંદન કરે અને મહાત્મા (!) સમજે એવી વૃત્તિઓનું જોર બમણુ વેગે ઉછાળા મારે છે. આ ગાથાઓ દ્વારા સ્પષ્ટપણે ચેતવણું આપવામાં આવી છે કે યોગી પણ જે માન-સન્માન–પ્રશંસા-સકાર આદિની મોહજાળમાં રાચશે તે જે પરલેકના સુખ માટે એણે આવું કઠેર જીવન સ્વીકાર્યું છે એ સુખ એને મળનાર નથી. અર્થાત્ સદ્ગતિને બદલે દુર્ગતિ જ એના માટે નિમિત છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
૪૨. અપ્રમાદ તું મહાસાગર તે પાર કરી ગયો છે તે પછી, કિનારા પાસે પહોંચીને કેમ ઊભું છું? એને પાર કરવામાં શીઘતા કર. હે ગૌતમ ! ક્ષણભરને પણ પ્રમાદ ન કર.
તીર્થકરોની સમગ્ર વાણુને જે માત્ર બે જ શબ્દોમાં વર્ણવવી. હેય તો એ બે શબ્દ છે સમતા અને અપ્રમાદ. આથી જ મહાવીર પિતાના શિષ્ય ગૌતમને વારંવાર ચેતવે છે, “હે ગૌતમ ! ક્ષણભરને પશુ પ્રમાદ ન કર.”
અહીં ઉદાહરણ પણ સુંદર આપવામાં આવ્યું છે. અનેક તોફાની મહાસાગર પાર કરીને કિનારા આગળ જ અટવાની કે ડૂબવાની સંભાવના પ્રત્યે સાવધ કરવામાં આવ્યા છે. સાધક માટે નિરંતર-ક્ષણેક્ષણની જાગૃતિ માત્ર આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે. જેવી રીતે જીવન અને મૃત્યુ વચ્ચેને ફાસલે માત્ર એક ક્ષણને જ હોય છે, જેવી રીતે સે પગથિયાં ભારે પરિશ્રમપૂર્વક ચડયા પછી એક ક્ષણની પણ બેદરકારી ઠેઠ નીચે સુધી પતન કરાવી શકે છે તેવી જ રીતે વર્ષોની કઠોર સાધના માત્ર એક ક્ષણની મોહનિદ્રાથી નષ્ટ થઈ શકે છે એવા અનેક દષ્ટાંત આપણા શાસ્ત્રોમાં તે છે જ, પરંતુ આપણી આસપાસના જીવનમાં પણ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ-અનુભવી શકીએ છીએ-બીજે બહાર જેવાની શું જરૂર છે? આપણું મનને ઓળખતાં-તપાસતાં રહીએ તે પણ ઘણું છે.
કણુને પણ વિવેક અને ક્ષણને પણ વિવેક એ સુંદર જીવન. જીવવા માટે અચૂક માર્ગ છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
નાગમ મૂત્રમાર
૪૩. શાસ્ત્રશરણ
જેવી રીતે ઢારી પરાવેલી સેય પડી ગયા પછી ખાવાઈ જતી નથી એવી રીતે સસૂત્ર અર્થાત્ શાસ્ત્રજ્ઞાનયુક્ત જીવ સ ંસારમાં હાવા છતાં નાશ પામતા નથી. (૪૫) શાસ્ત્રજ્ઞાન હોય અને એ મુજબનુ જીવન–આચરણ પણ હાય એ વાત તે દુર્લભ જ હાય પરંતુ અહી` શાસ્ત્રજ્ઞાનનું પ્રાધાન્ય દર્શાવવામાં આવ્યું છે. ગ્રીક તત્ત્વચિંતક સેક્રેટિસે પણુ જ્ઞાનતુ પ્રાધાન્ય સ્વીકારીને કહ્યું છે, “Knowledge is Virtue.' અર્થાત્ જે મા'ને જાણે છે એ માડે-વહેલા, જ્યારે પશુ ચાલવાનું શરૂ કરશે ત્યારે એ લક્ષ્યને પહેાંચશે; પરંતુ જે માને કે લક્ષ્યને જાણતા જ નથી એ તે સદા બ્ય પણે અટવાતા જ રહેશે
અલખત્ત અહીં. અપેક્ષાએ આ સમજવાનું છે, આના થકી આચરણનું મહત્ત્વ જરા પણ ઓછુ થતું નથી. શાસ્ત્રજ્ઞાન ન હોવા છતાં સુ ંદર અને સદાચારપૂર્ણાંકનું જીવન જીવનારા ા હાઈ શકે છે.
૪૪. પિત્ત-બ્રહ્માંડે
33
જે એક આત્માને જાણે છે એ તમામ (જગત)ને જાણું છે. જે તમામને જાણે છે એ એકને જાણે છે, (૪૬) પિડે સે। બ્રહ્માંડે” એવું પ્રસિદ્ધ સૂત્ર અહી થડાક જુદી શબ્દોમાં કહેવાયુ છે. આજનું ભૌતિક વિજ્ઞાન પણ હવે કંઈક આવી જ વાત કહે છે. સુવ હેાય કે પથ્થર હોય પણ એના અંતિમ અણુની મૂળભૂત રચના કે સ્વરૂપમાં કશે। ભેદ હાતા નથી. જૈન દશને આત્મદ્રવ્ય અને અનામદ્રવ્ય વચ્ચેના ભેદ સમજવા ઉપર વારવાર ભાર મૂકર્યો છે. આત્માના સ્વરૂપને અને કર્માંના
3
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
જેતાગમ સૂત્રસાર
પુદગલના સ્વરૂપને જે જાણી લે છે–સમજી લે છે એને માટે બીજુ કશું જ જાણવાનું બાકી રહેતું નથી.
અગાઉ પણ એક ગાથામાં કહેવાયું છે અને પ્રાચીન ઋષિ મુનિઓએ પણ વારંવાર કહ્યું છે કે બાહ્ય જગતને–એના રહસ્યને જાણવાનું તે સહેલું છે, પરંતુ પોતાને જાણવો એ સૌ પ્રથમ મહત્વનું છે. અર્થાત પિતાની જાતની ઓળખ એ મેક્ષમાર્ગને આરંભ છે–પ્રથમ કદમ છે.
૪૫. જ્ઞાન અને આચરણ જેવી રીતે માર્ગને જાણકાર ધારેલ દેશમાં જવા માટે સમુચિત પ્રયત્ન ન કરે તો તે ત્યાં સુધી પહોંચી શકતા નથી અથવા અનુકૂળ પવનના અભાવમાં નૌકા ઈચ્છિત સ્થાન સુધી પહોંચી શકતી નથી તેવી રીતે શાસ્ત્રો દ્વારા મોક્ષમાર્ગને જાણું લીધા પછી પણ સકિયાથી રહિત જ્ઞાન ઈષ્ટ લક્ષ્ય પ્રાપ્ત કરાવી શકતું નથી.
(૪૭) જેવી રીતે અંધની આગળ લાખે કરોડો દીવા સળગાવવા વ્યર્થ છે તેવી રીતે ચારિત્રશૂન્ય પુરુષનું વિપુલ શાસ્ત્રાધ્યયન પણ અર્થહીન છે.
(૪૮) ચારિત્ર-સંપનનું અ૯પમાં અલ્પ જ્ઞાન પણ ઘણું કહેવાય અને ચારિત્રવિહિનનું ઘણું શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ
(૪૯) અહીં ચારિત્રયનું–આચરણનું મહત્વ વિસ્તારથી અને ઉદાહરણો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. સુજ્ઞ ગુરુને લાંબા લાંબા પ્રવચનો દ્વારા ઉપદેશ આપવાની જરૂર પડતી નથી. એ તે પોતાના
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૫
જેનાગમ સૂત્રસાર આચરણ દ્વારા અને જીવન દ્વારા જ ઘણું બધું મૌનપણે કહી શકે છે. આચરણ વિનાનું શુષ્ક શાસ્ત્રજ્ઞાન તે માત્ર બૌદ્ધિક કસરત બની રહે છે, અને વાદવિવાદ અને વિતંડાવાદમાં જીવન નિરર્થક વેડફાઈ જાય છે. સેંકડે શાસ્ત્રગ્રંથના અધ્યયન કરતાં થોડુંક પણ આચરણ બહેતર છે.
૪૬. ધ્યાનમાગે - જિનદેવના મત પ્રમાણે આહાર, આસન તથા નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી ગુરુકૃપા વડે જ્ઞાન મેળવી નિજમાનું ધ્યાન કરવું જોઈએ.
(૫૦) આ ગાથામાં ત્રણ મુદ્દાઓ ખાસ આપણું ધ્યાન ખેંચે છેઃ એ છે (૧) સંયમ, (૨) ગુરુકૃપા અને (૩) નિનામાનું ધ્યાન,
સંયમમાં મિતાહાર અને સાત્વિક આહારનું મહત્વ દરેક ધર્મોમાં અને સાધના માર્ગોમાં સ્વીકૃત જ છે. સ્થિર આસન આપણું જ્ઞાનેન્દ્રિોને બાહ્ય જગત તરફ દેડતી અટકાવીને અંતમુખી કરવામાં સહાયરૂપ થાય છે. એને બીજા અર્થમાં લઈએ તે વ્યર્થની દોડા– દેડ ઉપર અંકુશ મુકવાની વાત પણ એમાં સમાવિષ્ટ છે. આહાર સિદ્ધિ અને આસન સિદ્ધિ સ્વયં નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરાવશે.
- હવે બીજી વાત ગુરુકૃપાની છે. અહીં જ્ઞાન માટે ગુરુકૃપાનું મહત્તવ દર્શાવવામાં આવ્યું છે. ભારતીય ધમ-સંપ્રદાયમાં ગુરુશિષ્ય પરંપરાની પ્રણાલી સદીઓથી ચાલતી આવી છે. વ્યાવહારિક શિક્ષણ માટે પણ અનેક જુદા જુદા નિષ્ણાત શિક્ષકોની શાળાકેલેજોમાં આવશ્યકતા પડે છે. એ રીતે જ ધાર્મિક આધ્યાત્મિક માર્ગદર્શન માટે ગુરુ અને ગુરુકૃપાનું મહત્વ સ્વયંસિદ્ધ જ છે. અલબત્ત ગુરુ કે હોવો જોઈએ એ બાબતમાં અત્યંત સાવધાની વર્તવાની જરૂર છે. એ માટેનું–ગુરુની ઓળખ માટેનું પ્રારંભિક
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
જૈનાગમ સૂત્રસાર
પગથિયું એટલું જ હોઈ શકે, કે જે ઉપદેશ એ આપી રહ્યા છે એ મુજબનું એમનું પિતાનું જીવન છે કે કેમ?
હવે સૌથી મહત્વની વાત નિજાભાનું ધ્યાન કરવાની છે. સંયમ દ્વારા પ્રમાદ ઉપર કાબુ મેળવીને પછી ગુરુકૃપા દ્વારા શાસ્ત્રજ્ઞાન મેળવવાનું છે અને એ જ્ઞાન અનુસાર પિતાની જાતની ઓળખ અર્થાત્ આત્મધ્યાનને માર્ગ અહીં સૂચવવામાં આવ્યું છે.
૪૭. તૃણું અપરિમિત પરિગ્રહ અનંત તૃષ્ણાનું કારણ છે. એ બહુ જ દોષયુક્ત છે તથા નરક ગતિને માગે છે. એટલા માટે પરિગ્રહ-પરિમાણોણુવ્રતી વિશુદ્ધચિત્ત શ્રાવકે ક્ષેત્રમકાન, સોના-ચાંદી, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ તથા ભંડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અંગીકૃત પરિમાણનું અતિક્રમણ ન કરવું જોઈએ.
(૫૧) વધારે પડતા પરિગ્રહને અહીં અનંત તૃષ્ણાનું કારણ કહ્યું છે. આમ તે તૃષ્ણાઓને કારણે પરિગ્રહ પાછળની દેડ એવું દેખાય છે પરંતુ આ એક વિષચક્ર છે. એકવાર પરિગ્રહની લાલસામાં સપડાયા પછી તૃષ્ણ પણ વધતી જ જાય છે. અને પરિગ્રહને કારણે તૃણું અને તૃષ્ણને કારણે પરિગ્રહ આમ આ વિષે વધુ ને વધુ ફેલાતું જાય છે, એટલે જ પરિગ્રહને આ ગાથામાં નરક ગતિને માગ કહ્યો છે.
ધમને નામે ભારે જગી ઉત્સવોના ખર્ચ કરનારને પ્રતિષ્ઠા અને પુણ્યની લાલચ આપીને વધુ ને વધુ પરિગ્રહ માટેની પ્રેરણ ઊલટાની ઉપદેશક તરફથી જ જાણે કે આપવામાં આવી રહી છે. સવાર-સાંજ બે વખત પ્રતિક્રમણ દરમ્યાન બાર અતિચારમાંનું પાંચમાં અતિચાર પરિગ્રહ પરિમાણવ્રતનું રટણ આખું જીવન કરી કરીને પણ આખરે કયું શું ?
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈતાગમ સૂત્રસાર
૪૮. સમતાથી શ્રમણ
શકતા
માથું મુંડાવવા માત્રથી કાઈ શ્રમણ ખની નથી. ૩ ના જય કરવાથી કોઈ બ્રાહ્મણુ ખની શકતા નથી. અરણ્યમાં રહેવાથી કેાઈ મુનિ બની જતા નથી તેમજ દસના વચ્ચે પહેરવાથી તપવી થઈ જતા નથી, (૫૨)
પરંતુ એ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી બની શકે છે. (૫૩)
૩૭
વૈદિક સંસ્કૃતિના ક્રિયાકાંડ-યજ્ઞો અને જડ વણુ વ્યવસ્થાની જ્યારે ખેલબાલા હતી અને એ નિમિત્તે માનવ સમાજના મેટા ભાગતુ શેષણ અને અવમૂલ્યન થતું હતું ત્યારે એક પ્રતિક્રિયા તરીકે અને ક્રાંતિરૂપે શ્રમણુ સ ંસ્કૃતિએ ઇતિહાસમાં એક મહત્ત્વનું કા" અદા કર્યું. બ્રાહ્મણ કુળમાં માત્ર જન્મ લેવાથી બ્રાહ્મણું થઈ જવાતુ નથી કે બ્રાહ્મણુ તરીકેના કાર્ય વિશેષ અધિકારો પ્રાપ્ત થઈ જતા નથી એવા પડકાર સૌ પ્રથમ શ્રમણુ સંસ્કૃતિ દ્વારા જ થયેા. પર તુ સાથેાસાય આ સિદ્ધાંત ખુદ પેાતાને પણ લાગુ પાડવાની પ્રામાણિક વાત આ ગાથામાં દર્શાવવામાં આવી છે. અર્થાત્ માત્ર માથું મુંડાવવાથી કે સાધુવેશ ધારણ કરવાથી શ્રમણ-સાધુ ખેતી શકાતું નથી, એ વાત આ ગાથામાં ભારપૂર્વક દર્શાત્રવામાં આવી છે. ખીજી ગાથા દ્વારા સમતા, બ્રહ્મય, જ્ઞાન અને તપ એ ચારે ય ગુણોથી યુક્ત એક જૈન સાધુ હાય એવું સૂચવવામાં આવ્યુ' છે. ૪૯. સાધુનાં લક્ષણ
સાધુ મમત્વરહિત, નિરભિમાની, નિસ્સ ંગ, ગૌરવને ત્યાગી તથા ત્રસ અને સ્થાવર જીવે તરફ સમષ્ટિવાળે હાય છે.
(૫૪)
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૮
જૈનાગમ સૂત્રસાર
એક સાધુનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ એનું વર્ણન આપવામાં આવ્યું છે. આમાંના મુદ્દાઓ અંગે આ અગાઉ પણ કેટલુંક કહેવાઈ ગયું છે.
કહે છે કે આ વિષમ કાળ છે–પડતે કાળ છે એટલે એક સાધુ પાસેથી કેવી અપેક્ષાઓ રાખવી એ નક્કી કરવું મુશ્કેલ છે. આખરે તે દરેક વ્યક્તિએ એટલે કે દરેક સાધુએ જાતે જ પિતાની જાતને જ આ પાંચેય પ્રશ્નો પુછવાનો છે. માત્ર આખો દિવસ જેમાં આ વાત વારંવાર કહેવાઈ છે એવા સૂત્રોનું રટણ કરતાં રહેવું અને છતાં પણ પિતે કયાં છે અને શું છે એ બાબત પ્રત્યે ઈરાદાપૂર્વક આંખ મીંચવી એ પિતાના આત્માનો અને જૈન શાસનને પણ દ્રોહ કરવા સમાન છે.
૫૦. બધું જ યથ
શ્રમણ જે સમતા વિનાનો હોય તે તેને વનવાસ, કાય-કલેશ, વિચિત્ર ઉપવાસ, અધ્યયન અને મૌન–બધું જ નકામું છે.
(૫૫)
અગાઉની ગાથામાં જે કંઈ આપણને જોવા મળ્યું એ જ વાત અહી વધુ સ્પષ્ટતાથી અને કઠેરતાપૂર્વક કહેવામાં આવી છે. અર્થાત ત્યાગ-રાગ્યના નામે પિતાની જાતને કષ્ટ આપતું ગમે તેવું કઠેર જીવન હોય, ઉપવાસોની કઠિન તપશ્ચય હોય, અને ગમે તેટલા શાસ્ત્રો અધ્યયનના નામે ઉથલાવે તો પણ જે સમતા વિનાને સાધુ હોય તે એ બધું જ નકામું છે, એમ આ ગાથામાં કહેવામાં આવ્યું છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
જના ગમ સૂત્રસાર
પ. કયાં છે જેને આજે એક પણ “જિન” દેખાતા નથી અને જે માર્ગદર્શક છે તે દરેક એક મત ધરાવતા નથી એવું
કે ભવિષ્યમાં કહેશે. પરંતુ તેને તે આજે ન્યાયપૂર્ણ માર્ગ મળી ગયો છે તે માટે હે ગૌતમ એક ક્ષણને પ્રમાદ ન કર.
(૫૬) કેવી આશ્ચર્યની વાત છે કે આજે આપણી સામે જે અસંગત પરિસ્થિતિ છે અને ન છૂટકે જે કહેવાનું આવી પડે છે, એવી આગાહી આજથી બે હજાર વર્ષ પૂર્વે જ આ આગમસૂત્રના દષ્ટાએ કરી ગયા છે. અલબત્ત બહુરત્ના વસુંધરા છે. ક્યાંક અપ્રસિદ્ધ અપ્રગટ એવા આત્માઓ આજે પણ જરૂર હશે કે જેને જૈન શાસ્ત્રની કસોટીઓથી સાચા અર્થમાં જન કહી શકાય.
“હે ગૌતમ ! એક ક્ષણને પણ પ્રમાદન કર” એવું મહાવીરનું આ સૂત્ર સતત નજર સામે રાખવા જેવું છે, હૈયે અંકિત કરી રાખવા જેવું છે. કારણ કે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે– અંધકાર અને પ્રકાશ વચ્ચે–જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર એક ક્ષણ માત્રનું જ છે. ધર્મ અને અધમ વચ્ચેનું અંતર પણ ક્ષણ માત્રનું જ છે.
પર. વેશપૂજા લાકમાં સાધુઓ તથા ગૃહસ્થાના વિવિધ પ્રકારના લિંગ પ્રચલિત છે જેને ધારણ કરીને અમુક લિંગ (ચિહન) મોક્ષનું કારણ છે એવું મૂઢ જન કહેતા ફરે છે. (૫૭)
સંયમ માર્ગમાં વેશ પ્રમાણ નથી. કારણ કે એ તે અસંયત લોકોમાં પણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શું ખાધેલું વિષ (ઝેર) મારતું નથી?
(૫૮)
Page #53
--------------------------------------------------------------------------
________________
નાગમ સૂત્રસાર
સાધુઓ માટેના એક ખાસ પ્રકારના વેશ એ માત્ર એની સંયમ યાત્રાના વ્યાવહારિક નિર્વાહ અને એળખ માટે જ છે. તેમ જ ખાસ પ્રકારના એમના ઉપકરણા (રાજિંદા વપરાશની આવશ્યક ચીજ વસ્તુ) એ પણ ફક્ત એમના માટેની આચારસહિતાના સાધના છે. પરંતુ આ બધું એટલે કે ખાદ્ય વેશ, ચિહ્નો, ઉપકરણો અને ખાદ્યાચારને મેાક્ષનું કારણ કે સાધન માનવું એ મૂઢતા છે, એમ અહીં કહેવાયું છે. આ ગાથા આવા મૂઢજને તે સાવધાન કરવા
માટે છે.
૪.
પરંતુ અસાસની અને આશ્રયની વાત તેા એ છે કે ઉત્તમ માગ ની આળખનું ચિહ્ન એવા વેશ ધારણ કરનારા પોતે જ વારંવાર વેશનુ મહત્ત્વ અને પ્રાધાન્ય દર્શાવતા રહે છે અને એમના તરથી વાર વાર એવું પણ સાંભળવામાં આવે છે કે એક ઉત્તમ શ્રાવક કરતાં પણ એક નિકૃષ્ટ એટલે કે સાવ નિમ્ન દશામાં જીવનાર સાધુ વંદન કરવાને લાયક છે. આવી વાત મહાવીર વાણીની વિરુદ્ધની છે એટલુ જ નહિ પરંતુ પેતાની જાતને તેમજ ખીજાએને છેતરવા સમાન છે. ‘માત્ર ગુણા જ પૂજવા યાગ્ય છે, નહી કે વય યા ખાઘચિહ્નો' એવું સુભાષિત પ્રસિદ્ધ જ છે.
૫૩. ભાવદ્ધિ
ત્યાગ
ભાવની વિશુદ્ધિ માટે જ ખાદ્ય પરિગ્રહનેા કરવામાં આવે છે. જેનામાં પરિગ્રહની વાસના છે. એનેા બાહ્ય ત્યાગ નિષ્ફળ છે. (૫૯)
મેક્ષમાગ માં ભાવનાનું મહત્ત્વ દર્શાવતી આ ગાથા છે. અન્ય શાસ્ત્રમાં પ વાર વાર કહેવાયું છે કે ‘મન એ જ બંધનનુ` કે મેાક્ષનુ કારણ છે.' પરિગ્રહના ખાદ્ય રીતે ભલે ત્યાગ કર્યો હોય પરંતુ પરિગ્રહની વૃત્તિ જયાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી આવે
Page #54
--------------------------------------------------------------------------
________________
નાગમ સૂત્રસાર
૪૧ ત્યાગ નિષ્ફળ છે, એમ આ ગાથા કહે છે. એવી જ રીતે સવાદની-જીભની લોલુપતાની મૂળ વૃત્તિ જે વિશુદ્ધ ન થાય તે ગમે તેવું કઠેર તપ પણ નિષ્ફળ જ છે, એમ સમજવું.
ત્યાગ અને સંયમને નામે એક પ્રકારે સાંસારિક ત્યાગ કરીને પછી ધર્મને નામે અને શા સન પ્રભાવનાના નામે અનેક મોટાં પરિગ્રહની માયાજાળ ઊભી કરવી અને એ નિમિત્તે મોટે પાયે આરંભ-સમારંભને આશ્રય લે એ પણ આવી જ મૂઢતા છે અર્થાત્ મોક્ષમાર્ગમાં બાધક છે.
ભગવાન મહાવીરના પિતા તે રાજા હતા. મહાવીરે ઈછયું હેત તો પિતાના પિતાને ઉપદેશ આપીને ધર્મને નામે લાખ કરોડને ખર્ચે અનેક મોટા ઉત્સવો કરાવી શકયા હેત; અનેક ભવ્ય મંદિર અને ઉપાશ્રયે બંધાવી શક્યા હોત. પરંતુ એમણે તો સાધુ થઈને નગર બહાર ઉદ્યાનમાં કે જંગલમાં રહીને ઉપદેશ આપ્યો.
૫૪. સામાયિક તૃણુ અને સોનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવે એને સામાયિક કહે છે. એટલે કે રાગ, દ્વેષ,રૂપ અભિવંગ રહિત (ધ્યાન અથવા અધ્યયનરૂ૫) યોગ્ય પ્રવૃત્તિપ્રધાન ચિત્તને સામાયિક કહે છે.
(૬૦) જે વચન ઉચ્ચારણની ક્રિયાનો ત્યાગ કરી વીતરાગ ભાવપૂર્વક આત્માનું ધ્યાન કરે છે એને પરમ સમાધિ અથવા સામાયિક પ્રાપ્ત થાય છે.
(૬૧) જૈન ધર્મક્રિયાઓમાં સામાયિક એક નિત્ય કર્મને આવશ્યક એ ભાગ જ ગણાય છે. ૪૮ મિનિટ એક આસને બેસીને કેટલાક સૂત્રો વિધિવત ઉચ્ચારવાથી માત્ર સામાયિક કરવાને સંતોષ લઈ
Page #55
--------------------------------------------------------------------------
________________
જૈનગમ મૂત્રસારૂ
૪૨
શકાય નહીં એવા ચેતવણી દ્વારા આ ગાથામાં સામાયિકના મુખ્ય એ લક્ષણા ઉપર ભાર મૂકવામાં આવ્યા છેઃ (૧) સમભાવ અને (૨) વીતરાગભાવપૂર્ણાંક આત્માનું ધ્યાન. જ્યારે વિધિવત સૂત્રા ચ્ચારની બાબતને અહીં તદ્દન ગૌણુ ગણુામાં આવી છે.
રાજના એ સામાયિક એટલે કે મહિનાના ૬૦ અને વરસના ૭૩૦ આવા જડપણે યાંત્રિકપણે કરાતા સામાયિક કરતાં અહીં બન્ને ગાથાઓમાં વર્ણવેલ સમભાવપૂર્વકનું અને વૈરાગ્યપૂર્વક આત્મધ્યાન પ્રાપ્ત એવા એક સામાયિકથી પણ આ ભવસાગર તરી શકાય છે.
૫૫. તપસ્વી
જે શાસ્ત્રાભ્યાસ, (સ્વાધ્યાય) માટે થાડા મહાર કરે છે એને જ આગમામાં તપવી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશનતપ તા કેવળ ભૂખના આહાર-ભૂખે મરવુ કહેવાય છે. (૬૨)
મહી તપના મ` સમજાવવામાં આવ્યે છે. માત્ર કઠારપણે ભૂખ સહન કરીને દેહદમન કરવું એ ક ંઈ તપ નથી. આવા તપને અહીં સ્ત્રષ્ટપણે ‘ભૂખે મરવુ' કહ્યું છે.
અર્થાત્ અહીં પરસ્પર સબંધિત એ ભાખતાનુ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. વધુ આહાર કરવાથી આળસ થાય જેને પરિણામે શાસ્ત્રાભ્યાસમાં ચિત્તની સ્થિરતા ન રહે. એટલા માટે અલ્પાહાર કરનારને અહી' તપસ્વી કહેલ છે. ખીજી તે સ્વાધ્યાયશાસ્ત્રાભ્યાસ થકી જ યાગ્યાયેાગ્યના નિય અને વિવેક પ્રાપ્ત થશે. આથી અહીં એ વાતના નિર્દેશ કરવામાં આવ્યો છે કે તપ દરમ્યાન સ્વાસ્થાય સાથેાસાય ચાલે એ અત્યંત આવશ્યક છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૩
જૈનાગમ સૂત્રસાર
પ૬. ઉપવાસ ટૂંકમાં ઈન્દ્રીયોના ઉપશમનને જ ઉપવાસ કહેવામાં આવે છે. એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં ઉપવાસી જ કહેવાય છે.
(૬૩) અબકૃત અર્થાત અજ્ઞાનીની જેટલી વિશુદ્ધિ બે ચાર ઉપવાસોથી થાય છે તેથી વધારે – ઘણું વધારે– વિશુદ્ધિ જ્ઞાની તપસ્વી હંમેશા ભોજન કરે તે પણ એની હોય છે.
(૬૪) અહીં પણ બાહ્ય તપ અને દેહદમનને ગૌણ સ્થાન છે એમ કહીને આંતરિક વિશુદ્ધિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
આમ છતાં અહીં માત્ર “ભાવતું તું અને વૈદ્ય બતાવ્યું એવા બહાનાથી કોઈ પિતાને જ્ઞાની સમજીને આહાર-વિહારમાં બેફામ ન બની જાય એ વાતની ખાસ ચકાસણી અને સાવધાની રાખવાની છે.
જિતેન્દ્રિય સાધુ-જ્ઞાની એ જ છે કે જે પ્રત્યેક બાબતમાં વિવેકયુક્ત છે. આવા જિતેન્દ્રિય સાધુ જે કંઈ સાદે આહાર મળે એનાથી જ અને અલ્પાહારથી જ સંતુષ્ટ રહે છે. એમને કઠોર દેહદમન કે લાંબી ઉગ્ર તપશ્ચર્યાઓની આવશ્યકતા પણ નથી હોતી. કારણે કે આવી તપસ્યા દ્વારા આંતરિક વૃત્તિઓ ઉપર જે વિજય પ્રાપ્ત કરવાનો છે એવો વિજય તે એમણે પ્રાપ્ત કરી જ લીધે છે.
૫૭. ધ્યાનાગ્નિ જેને રાગ, દ્વેષ અને મોહ નથી તથા મન વચન કાયારૂપ વેગોને વ્યાપાર નથી તેનામાં તમામ શુભાશુભ કર્મોને સળગાવી નાખનારે ધ્યાનાગ્નિ પ્રકટ થાય છે. (૬૫)
Page #57
--------------------------------------------------------------------------
________________
નાગમ સુત્રસાર
મહી પણ ધ્યાનને એક આંતરદશા તરીકે કહેવામાં આવી છે. જેનામાં સાચા અમાં ધ્યાન પરિણુામ પામ્યું હોય એવા સાધકનાં લક્ષણે શુ હાય એ આ ગાથા દ્વારા સમજી શકાય છે. વળી જૈન દર્શનમાં મેાક્ષ માટે શુભ તેમજ અશુભ એવા બન્ને પ્રકારના કર્માંના અંત આવશ્યક હાવાનુ વાર વાર કહેવામાં આવ્યુ છે.
૪૪
મન દ્વારા, વચન દ્વારા અને કાયા દ્વારા એમ ત્રણે ય પ્રકારે કર્મોનું બંધન થવુ. રાગ, દ્વેષ, અને મેહ થકી જ હોય છે. અર્થાત્ રાગ-દ્રષ અને માહતે જીતવાથી એવા પ્રકારની ક્ષણેક્ષણની જાગૃત સ્થિતિ પરિણામ પામે છે કે જેના થકી ચિત્તની વૃત્તિને અંત
આવે છે.
અહીં એક રીતે જોઈ એ તેા ધ્યાન એ કાઈ સાધ્ય નથી પરંતુ સાધન છે. રાગ-દ્રેષ, માહ દ્ વૃત્તિએમાંથી નિવૃત્તિપૂર્વ ક જીવાતું જીવન ધ્યાનનું પરિણામ છે.
૫૮. શાંતિની શોધ
જેમણે પેાતાના ચાગ અર્થાત્ મન, વચન, કાયાને સ્થિર કરી વાળ્યા છે અને જેમનુ ચિત્ત ખરાખર નિશ્ચલ થઈ ગયું છે, એ મુનિએના ધ્યાનને માટે માણસેથી -ભરપૂર શહેર અથવા શૂન્ય અરણ્યમાં કશા ફેર નથી. (૬૬)
આજકાલ ધાર્મિક-આધ્યાત્મિક હેતુથી અને યાગને નામે · અનેક શિબિરો યોજાતી રહે છે અને શિબિર માટેના સ્થળ તરીકે મેટા શહેરથી દૂર અને પ્રકૃતિક સુંદરતાવાળુ વાતાવરણ પસંદ કરવામાં આવે છે. દેખીતી વત છે કે શહેરી જીવનમાંની ભીડ, ઘેઘાટ અને તનાવથી ત્રાસેલા મેટી સંખ્યાના લેાકા આવી શિબિરામાં દાખલ થવા આકર્ષાય-લલયાય, પરિણામે આવી શિબિરમાં ટોળેટોળાં
ઉભરાય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
४५
અલબત્ત મનને અને જીવનને સમજવા માટેની એક તાલીમ તરીકે આવી શિબિરનું ખૂબ જ મહત્વ છે. પરંતુ મુખ્ય લક્ષ્ય એ હોવું જોઈએ કે પાયાની સમજણ પ્રાપ્ત થયા બાદ સાધક માટે ભીડ, ઘેધાટ અને ધમાલવાળું શહેરનું વાતાવરણ કે શૂન્ય અરણ્ય નજીકનું સુંદર પ્રાકૃતિક સ્થળ એ બે વચ્ચે ભેદ રહે જોઈએ નહીં. ફરીફરીને વારંવાર આવી શિબિરમાં દેડી જવાની વૃત્તિ આવી સમજણને અભાવ દર્શાવે છે.
૫૮. સ્વાધ્યાય એ જ તપ જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. ધ્યાનથી બધા કર્મોની નિજ થાય છે. નિજાનું ફળ મોક્ષ છે માટે સતત જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ.
(૬૭) બાહ્ય અને અત્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું કંઈ તપ નથી, હતું નહીં અને હશે પણ નહીં.
બાર પ્રકારના તપમાં સ્વાધ્યામને શ્રેષ્ઠ તપ કહેવામાં આવ્યું છે. કારણ કે જ્ઞાન એ પ્રકાશરૂપ છે. પ્રથમ જ્ઞાન અને પછી દયા.” એવું મહાવીરનું સૂત્ર પણ જ્ઞાનનું મહત્ત્વ સ્થાપિત કરે છે. જ્ઞાન સ્વયં પ્રકાશિત છે; અર્થાત એ પિતાને પણ યોગ્ય માર્ગ ઉપર દોરે છે અને બીજાઓને પણ ઉચિત માર્ગ દર્શાવી શકે છે.
અહી બીજી એક વાત કહેવામાં આવી છે કે જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. અહીં ધ્યાનને અર્થ એ નથી કે અડધા-એક કલાક આસન લગાવીને આંખો બંધ કરીને બેસી જવું અને પછી બાકીના સાડાત્રેવીસ કલાક યથેચ્છ રીતે કે સ્વછંદીપણે જીવવું, “ક્ષણ માત્રને પણ પ્રમાદ નહીં" એવી ધ્યાનની પરિભાષા મહાવીરે ગૌતમને ઉપદેશ આપતાં કહી છે. જ્ઞાનને અર્થ છે જીવનની
Page #59
--------------------------------------------------------------------------
________________
જૈનાગમ સૂત્રસાર
૪
ક્ષણેક્ષણ પૂરી જાગૃતિ (જૈન પારિભાષિક શબ્દ છે ‘ઉપયાગ'). જેતુ' આખું જીવન જાગૃતિપૂવ કનુ` અને સાવધાનીપૂર્વક હોય તેા એના અવા જĒા ક્ષય થતે। જાય છે અતે મેક્ષા એ સહેજે અધિકારી બને છે.
૬૦. ક્ષણભંગુરતા
જન્મ મૃત્યુ સાથે સાથે, લક્ષ્મી ચંચળ છે. ક્ષણભંગુર છે— અનિત્ય છે.
જોડાયેલુ છે અને યૌવન ઘડપણ આ પ્રકારે (સંસારમાં) બધું જ (૬૯)
સંસારમાંની બધી જ વસ્તુએ અને ભાખતાની અતિત્યતા એટલે કે ક્ષશુભ ગુરતા ખાસ કરીને જૈનદર્શન અને બૌદ્ધદર્શીનમાં સ્પષ્ટ રીતે અને ભારપૂર્વ′ક દર્શાવવામાં આવી છે. મૃત્યુની વાસ્તવિકતા, વૃદ્ધાવસ્થા અંતે લક્ષ્મીની ચંચળતા એ વિશે કશુ કહેવાની આવશ્યકતા પણુ હાય નહી. આ બધી વાસ્તવિકતા પૂરેપૂરી રીતે સમજતા છતાં નાણુસ આખુ་જીવન જાણે કે મૂર્છાવસ્થામાં વીતાવે છે. મૃત્યુ જાણે કે કદી આવવાનુ` ન હેાય એ રીતે જીવનની છેલ્લી ક્ષણુ સુધી પણ માણસ અનેક યેાજના આ ઘડતે! રહે છે. યુવાવસ્થામાં જાણે કે ધડપણું કદી આવવાનું જ નથી એવી મૂર્ખતાપૂણૅ ભ્રાંતિમાં તે જીવે છે. ધનસ પત્તિ જ્યારે ઢગલાખ ધ આવે છે ત્યારે પોતાની આવડત અને ઢાંશિયારીથી એ પ્રાપ્ત થઈ હોવાનું માને છે અને અચાનક જ્યારે ધનસ ંપત્તિ ચાલી જાય છે ત્યારે પોતાના ભાગ્યને દેવ દેવા માંડે છે.
જો સસારની અતિત્યતા અર્થાત્ જીવનની તમામ ઘટનાની ક્ષણુભ ગુરુતા ખરાખર સમજાઈ જાય તે અનુકૂળ અને પ્રતિકૂળ એવી બધી જ પરિસ્થિતિઓ વચ્ચે મનુષ્ય સ્વસ્થતાપૂર્વક જીવી શકે, એટલુ' જ નહી સમ! જ માટે પણ તે અવરેધરૂપ કે સમસ્યારૂપ બને નહી.
Page #60
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
(૭૦)
૬૧. ૮૪ લાખ વાળના અગ્રભાગ જેટલી પણ આ લોકમાં એવી કેઈ જગ્યા નથી જ્યાં જીવે અનેકવાર જન્મ, મરણનું કષ્ટ ન ગયું હોય.
જન્મ-મરણ-પુન જનમની અનાદિ કાળથી ચાલી રહેલ ઘટમાળના અર્થ માં આ વાત કહેવામાં આવી છે. શાસ્ત્રમાં વર્ણવેલ ૮૪ લાખ નિઓમાંની એવી એક પણ યોનિ નથી કે જેમાંથી જીવ પસાર ન થયો હોય અને એ રીતે જન્મ અને મરણને ભયાનક કષ્ટ વારંવાર ભગવતે રહે છે.
મોક્ષનો અર્થ છે જન્મ-મરણની ઘટમાળને આ ઘટનાચક્રને ભેદીને એમાંથી મુક્ત થવું.
બૌદ્ધ દશનમાં જન્મ-મ૨ણની ઘટમાળના કારણોની હારમાળા (હાદસ નિદાન) વર્ણવી છે. જે નીચે મુજબ છે :
(1) અવિદ્યા (૫) પઠાયતન (૯) ઉપાદન (૨) સંસ્કાર (૬) સ્પશ" (૧૦) ભવ (૩) વિજ્ઞાન (૭) વેદના (૧૧) જાતિ (૪) નામરૂપ (૮) તૃષ્ણ (૧૨) જરા મરણ
ફરીથી જન્મ લેવો એ પણ મનુષ્યની પિતાની જન્મ લેવાની ઈચ્છા થકી જ છે. અર્થાત જ્યાં સુધી તૃષ્ણાઓ હશે ત્યાં સુધી જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ શકાશે નહીં.
૬ર. મોહ માંસ અને હફીના મેળામાંથી ઉત્પન્ન થયેલ, મળમૂત્રથી ભરેલું, અને નવ છિદ્રોમાંથી અસ્વચ્છ પદાર્થ વહાવનારે આ શરીરમાં ક્યાંથી સુખ હોઈ શકે? (૭૧)
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૮
જનાગમ સૂત્રસાર
સુખ પાછળની મનુષ્યની સમગ્ર દેડ શરીરને કેન્દ્રમાં રાખીને શરીરની આળપંપાળ અને એના દ્વારા વધુ ને વધુ સુખ-ઉપભેગેની પ્રાપ્તિ માટે હોય છે. શાસ્ત્રકારોએ સમગ્ર દુઃખનું મૂળ અને જીવન મરણની ઘટમાળનું કારણ રાગ-દોષ અને તૃણુ તેમજ આસક્તિએને ગણું છે.
આ આસક્તિઓથી મનુષ્યને વિમુખ કરવા માટે ઉપદેશકે એ– શાસ્ત્રકારોએ શરીરને અનેક દુગધપૂર્ણ ગંદકીના એક ઠામ તરીકે વર્ણવ્યું છે. બહારથી ગમે તેવા સુગંધિત પદાર્થોથી લેપાયેલ અને અનેક સુંદર વસ્ત્રાભૂષણથી સજજ શરીર હોય પરંતુ શરીરની અંદર તે સતત અનેક પ્રકારની દુગર્ભ ધપૂર્ણ અને જુગુપ્સાપ્રેરક ગંદકીઓ વહેતી હોય છે એ તો નરી વાસ્તવિક્તા છે મોહજન્ય આવી આસક્તિમાંથી મુક્ત કરવા માટે. વારંવાર શાસ્ત્રકારે અને ઉપદેશકે આ દૃષ્ટાંત દ્વારા હકીક્તનું દર્શન કરાવતા રહે છે.
આમ છતાં પણ શાસ્ત્રમાં શરીરને ધર્મનું સાધન પણ કહેવામાં આવ્યું છે. એટલે કે જે કંઈ નિર્ધારિત આયુષ્ય હેય એ. દરમ્યાન ઉત્તમોત્તમ ધર્મ સાધના થઈ શકે એ માટે શરીરને સ્વસ્થ રાખવાની વ્યાવહારિક આવશ્યકતા તરફ દુર્લક્ષ સેવવું જોઈએ નહીં. વળી, અસ્વસ્થ અને રોગીષ્ટ શરીર અંદરની ગંદકીને બહાર પણ ચારે તરફ ફેલાવે એ બાબત પણ સુજ્ઞજનોએ ધ્યાનમાં રાખવી. જોઈએ.
૬૩. સંસારસાગર શરીરને નાવ અને જીવને નાવિક કહ્યો છે. આ સંસાર સમુદ્ર સમાન છે. જેને મહર્ષિજન તરી જાય છે.
(૭૨)
Page #62
--------------------------------------------------------------------------
________________
નાગમ સૂત્રસાર
જ
આમ તે। આ સંસારના રહસ્યાતે જાણીને એનુ` સાચુ સ્વરૂપ સમજવું અત્યંત દુંમ છે. માટે જ જ્ઞાનીઓએ સામાન્યજને માટે જુદા જુદા અનેક દૃષ્ટાંતા, ઉપમાઓ અને રૂપકા દ્વારા સસારના સ્વરૂપને સમજાવવાના પ્રયત્ન કર્યાં છે.
સમુદ્રમાં ક્ષણેક્ષણે અનેક તરંગા અને મેાન એ ઉત્પન્ન થતાં રહે છે અને તદ્દન અણુધાર્યાં હવામાનના પલટાએ આવતા રહે છે, તેમજ ભયાનક તોફાના પણ સમુદ્રમાં ઉઠતા રહે છે. આ આવા વચ્ચેથી અનુભવી અને કુશળ નાવિક જ સલામત રીતે પાર થઈ શકે. એવી જ રીતે જીવનમાં ડગલે-પગલે અણુધારી આફ્તા અને પલટાએ આવતા રહે છે. જીવનનુ રહસ્ય જેણે જાણ્યું છે એવા વિવેકી સુજ્ઞ મનુષ્ય જ આ બધા તોફાના વચ્ચેથી સ્વસ્થતાથી પાર થઈ શકે.
૬૪. ૫હિત-મરણ
એક પતિ મરણુ (જ્ઞાનપૂર્વક મરણુ) સેંકડા જન્માના નાશ કરી નાખે છે. એટલા માટે એવી રીતે મરવુ જોઈએ જેથી મરણુ સુમરણુ બની જાય.
(૭૩)
વિરલાને જ વિદ્યાનાતે
અહીં વધુ વેલ જ્ઞાનપૂર્વકનું મરણુ તે કાઈક પ્રાપ્ત થાય છે. જીવન અને મરણના રહસ્ય। ભલભલા પણ મુંઝવી નાખે એવા છે! આશ્ચય'ની પરિસ્થિતિ તે। ત્યારે આવે છે કે જ્યારે એવા પ્રસંગેા પણ જોવા મળે છે કે જેમાં એક વ્યકિતનુ આખું` જીવન ત્યાગ અને વૈરાગ્યયુક્ત હેાય અને છતાં પણ મૃત્યુ વખતે અશાંતાપૂર્ણ અને હાય--વાયથી ગ્રસ્ત હેાય,
અલબત્ત આપણા થાય એ ઉપર આપણે
૪
ઈચ્છિત પ્રકારનું મરણ પ્રાપ્ત થાય કે ન કશા જ અકુશ નથી. પરંતુ કેવુ' જીવન
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦
જનાગમ સૂત્રસાર
જીવવું, એ તે ઘણે અંશે આપણું પોતાના હાથમાં જ છે. માટે જ “એક ક્ષણને પણ પ્રમાદ ક્યાં વગરનું જીવન” એ મહાવીર વાણીનું હાર્દ છે.
-
૬૫. બંધન અને મુકિત આત્મા (જીવ) અમૂત છે એટલા માટે એ ઈદ્રિ દ્વારા ગ્રાહ્ય નથી તથા અમૂર્ત પદાર્થ નિત્ય હોય છે, આત્માના આંતરિક રાગાદિ ભાવ જ નિશ્ચય દ્રષ્ટિએ બંધનના કારણે છે અને બંધનને સંસારને હેતુ કહ્યો છે.
(૭૪) અહી મુખ્ય બે વાતની ચર્ચા છે : (૧) આત્માનું સ્વરૂપ, (૨) બંધનનું કારણ
જેનું નામ તેને નાશ; જેને આકાર હેય તેનું કશુંક નામ પશુ હોય; અથત આત્માને અહીં અમૂર્ત (abstract) એટલે કે નિરાકાર કહ્યો છે.
જન દર્શનમાં છવ અને આત્મા એ બને શબ્દો એક જ અર્થમાં વપરાયા છે, એ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે.
આમ તો પિતે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. પરંતુ એના બંધનનું કારણુ રાગ-દ્વેષ આદિ ભાવ હોવાનું અહીં કહેવામાં આવેલ છે. અહીં પણ ભાવને વધુ મહત્વ ગણવામાં આવેલ છે. અર્થાત અગાઉ વારંવાર કહેવાયું છે એમ મન એ બંધન અને મોક્ષનું કારણ છે.
આ બાબત બીજી રીતે પણ સમજી શકાશે. મને જ્ઞાનિક દષ્ટિએ જોઈએ તે પ્રત્યેક ક્રિયા પ્રથમ વિચાર સ્વરૂપે ઉદ્દભવે છે; અને માટે જ શુભ ભાવ શુભ ક્રિયા તરફ પણ પરિણમી શકે.
Page #64
--------------------------------------------------------------------------
________________
નાગમ સૂત્રસાર
૫૧
૬૬. કર્મપ્રવાહ જેવી રીતે સમુદ્રમાં છિદ્રોવાળી નૌકામાં સતત પાણી ભરાતું રહે છે (અને અંતે નૌકા ડૂબી જાય છે, તેવી રીતે હિંસાદિ આસ્રવકારો દ્વારા હંમેશાં કમેને આસ્રવ થતો હે છે.
(૭૫)
આ સુંદર ઉદાહરણને જે સમજી લેવામાં આવે તો સ્વસ્થ અને ઉત્તમ જીવન જીવવાને માગ જડી જાય. સમુદ્ર માગે પ્રવાસે નીકળ્યા છીએ અને નૌકા આ પ્રવાસનું એક સાધન છે. પરંતુ આ નૌકામાં અશુભ કર્મો દાખલ થવાનું શરૂ થશે તે ડૂબવાને જ વખત આવશે. સુંદર રીતે આ યાત્રાને આનંદ માણીને તરીને પાર થવું છે કે ડૂબી મરવું છે એ એક રીતે આપણે હાથની જ વાત છે.
થોડાક જુદા શબ્દોમાં સંત તુલસીદાસે આવી જ વાત સુંદર રીતે કહી છે :
નાવમેં બાઢે પાની ઘરમેં બાઢે દામ દેને હાથ ઉલેચીએ યહી સ્થાન (ડાહ્યા પુરુષો) કા કામ.
૬૭. જ્ઞાનાગ્નિ અજ્ઞાની વ્યક્તિ તપ દ્વારા કરોડો જન્મ અથવા વર્ષોમાં જેટલા કર્મોને ક્ષય કરે છે તેટલા કર્મોને નાશ જ્ઞાની વ્યક્તિ ત્રણ ગુતિઓ દ્વારા એક શ્વાસ માત્રમાં કરે છે.
(૭૬)
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૨
જનાગમ સૂત્રસાર અહીં જ્ઞાનનું પ્રાધાન્ય દર્શાવવામાં આવ્યું છે. જેવી રીતે કપાસને ગમે તે મોટો ઢગલે અગ્નિની એક ચિનગારીથી જ ભસ્મીભૂત થઈ શકે છે, જેવી રીતે ગમે તેવા ગાઢ અંધકારમાં એક નાનકડે દીવડે પ્રકાશ પાથરી શકે છે તેવી જ રીતે જ્ઞાની વ્યક્તિ જન્માંતરના કર્મોને સંચય ક્ષણમાત્રમાં નષ્ટ કરી શકે છે.
અહીં જ્ઞાની વ્યક્તિ એટલે કેણુ? એ બરાબર સમજી લેવાનું રહે છે; નહીંતર કોઈ પિથી પંડિત પિતાને જ્ઞાની માનીને કે મનાવીને એમ સમજે કે હવે પિતાને કોઈ જ તપ-જપ કરવાની જરૂર નથી, તે એ પિતાને માટે તેમજ એનાથી પ્રભાવિત થયેલ તેમજ તેને અનુસરનારા સૌ કોઈ માટે ખતરારૂપ બનશે. અહીં જ્ઞાનીને અર્થ છે કે જેણે આત્મદ્રવ્ય અને અનાત્મદ્રવ્યના ભેદને સમજી લીધે છે એટલું જ નહીં પરંતુ એ સમજ મુજબનું જ એનું ક્ષણેક્ષણનું જીવન છે.
૬૮- નિર્વાણ જયાં નથી દુઃખ, નથી સુખ, નથી પીડા, નથી બાધા, નથી મરણ અને નથી જન્મ-આનું નામ જ નિર્વાણ.
(૭૭) નિર્વાણ અર્થાત મોક્ષ એટલે શું ? એ સ્થિતિ કેવા પ્રકારની હોય? આવા પ્રશ્નો હમેશાં પૂછાતા જ રહેવાના. અહીં એ સ્થિતિનું વર્ણન નિષેધાત્મક ભાષામાં કરવામાં આવ્યું છે.
જ્યાં દુઃખ નથી, સુખ નથી, પીડા કે કોઈ પ્રકારની બાધા નથી અને જન્મ-મરણનું કાઈ ચક્ર નથી–જન્મ-મરણની ઘટમાળનો જ્યાં અંત આવી ગયો છે એ સ્થિતિને નિર્વાણની સ્થિતિ કહી છે. - નિર્વાણનો અર્થ જ છે તમામ પ્રકારની બાધાઓથી કે મર્યાદાઓથી મુક્તિ. આથી આવી સ્થિતિનું વર્ણન ફક્ત નિષેધાત્મક
Page #66
--------------------------------------------------------------------------
________________
જૂનાગમ સૂત્રસાર
૫૩ (નકારની ભાષામાં) જ થઈ શકે. આથી જ વેદાનતે પણ બ્રહ્મતત્ત્વનું નિરૂપણ કરવા માટે આખરે “નેતિ નેતિ' (‘આ નથી–આ નથી') ને આશ્રય લીધો છે. અર્થાત બ્રહ્મતત્ત્વને અનિર્વચનીય એટલે કે અવર્ણનીય કહ્યું છે. નિર્વાણ શું છે એ શબ્દોથી વર્ણવી શકાય નહીં પણ નિર્વાણમાં શું શું નથી-એટલું જ શબ્દથી આમ નકારની ભાષામાં કહી શકાય.
૬૯. પુગલપિંડ વ્યક્તિ સુખદુઃખરૂપ અથવા શુભાશુભરૂ૫ કમ આચરે છે, અને પિતાના એ કર્મોની સાથે જ પરભવમાં જાય છે.
(૭૮) આ પ્રમાણે કર્મરૂપે પરિણત થયેલ એ યુગલોને પિંડ એક દેહથી બીજા દેહમાં-- નવીન શરીરરૂપ પરિવર્તનમાં-પ્રાપ્ત થતો રહે છે. અર્થાત્ પૂર્વે બાંધેલા કર્મોના ફળરૂપે નવું શરીર બને છે. અને નવું શરીર મેળવી નવીન કર્મો બાંધે છે. આ પ્રમાણે જીવ નિરંતર વિવિધ એનિએમાં પરિભ્રમણ કરતા રહે છે. (૭૯)
કમ અને કર્મફળની પ્રક્રિયા અહી સમજાવવામાં આવી છે. કેમ, કર્મફળ અને પુનર્જન્મ એ ત્રણેય બાબતો પરસ્પર સંકળાયેલી છે. એનું અત્યંત સૂક્ષ્મ વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે.
કમરૂપી પુગલોને પિંડ એક દેહથી બીજા દેહમાં-પુનર્જન્મ દરમ્યાન પ્રાપ્ત થતો રહે છે. એ વાત સમજવા માટે કંઈક ઉદાહરણ કે સરળ ભાષાને આપણે આશ્રય લઈશું.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪.
જનગમ સૂત્રસાર જૈન દર્શનમાં કર્મોને પણ એક પ્રકારના પુદગલ ગણવામાં આવ્યા છે. પ્રત્યેક કર્મ (action) સાથે એક વિચાર કે ભાવ તો સંકળાયેલો હોય જ. આથી આપણે અહીં એમ સમજવાનું છે કે કર્મ ભલે પુદ્ગલરૂપે પિંડ તરીકે બંધાતા રહે પરંતુ એ કામ સાથે સંકળાયેલ ભાવ સંગ્રહિત થતું જાય છે અને જ્યારે એ સંગ્રહિત કર્મને પાકવાને એટલે કે ફળપ્રાપ્તિનો સમય થાય છે ત્યારે એ સંગ્રહિત ભાવ પિતાને અનુરૂપ એવા પુદ્ગલોને આકર્ષે છે. અર્થાત એ ભાવનું ફરી પુદ્ગલોમાં રૂપાંતર થાય છે. અર્થાત મૃત્યુ સમયે આ ભાવાત્મક સંગ્રહનું સંક્રમણ પુનર્જન્મરૂપે થાય છે.
૭૦, સ્યાદવાદ તથા જેવી રીતે હાથીના બધા અવયવોના સમૂહને હાથી જાણનારા ચક્ષુમાન (દષ્ટિ સંપન)નું જ્ઞાન સફ બને છે તેવી રીતે સમસ્ત નાના સમુદાય દ્વારા વસ્તુના સમસ્ત પર્યાયોને અથવા એના ધર્મોને જાણનારાનું જ્ઞાન સમ્યફ કહેવાય છે.
“અંધ હસ્તિ ન્યાય' તરીકે ઓળખાતું આ ઉદાહરણ સર્વ પ્રસિદ્ધ જ છે. અને તેમાં પણ સ્વાદુવાદને સમજવા માટે તે આ એક જ ઉદાહરણ પૂરતું થઈ પડે છે. છ અંધ વ્યક્તિઓ વચ્ચે હાથીના આકાર અંગે મતભેદ થાય, એક અંધ વ્યક્તિ હાથીના પગને સ્પર્શ કરીને હાથીને આકાર થાંભલા જે હોવાનું કહે છે. અને આ રીતે એ છ એ છ વ્યક્તિ પિતાપિતાની રીતે હાથીના આકારનું વર્ણન કરે છે, પરિણામે એ છ અંધ વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય છે. આખરે એક દૃષ્ટિસંપન્ન વ્યક્તિ આવીને એમના મતભેદનું નિરાકરણ કરે છે.
એવી જ રીતે માનવીની સીમિત બુદ્ધિ અને પિતપોતાના કુંડાળાના સ્વાર્થોને કારણે આ જગતમાં પરાપૂર્વથી મતભેદો ચાલતા
(૮૦)
Page #68
--------------------------------------------------------------------------
________________
જૈનાગમ સૂત્રસાર
પ૭
આ ગાથામાં એક બીજી પણ મહત્ત્વની વાત સામે આવે છે કે અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી એવા ભગવાન મહાવીરે આ હિતોપદેશ આપે છે. અનુત્તરને અર્થ છે કે જેના વિશે કશે જ સંશય રાખી ન શકાય એટલે કે જેમના જ્ઞાન દર્શન અને ચારિત્ર્ય વિશે કશા જ સંશય માટે અવકાશ નથી એવા ભગવાન મહાવીરે આ પેિલ આ હિતોપદેશ છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પ૮
ામ સુત્રસાર
પશિશ
જન આગમ સાહિત્ય
જન ધર્મના તત્વજ્ઞાનને આવરી લેતા મૂળગ્રંથો આગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. જૈન તીર્થંકર ભગવાન મહાવીરે આપેલ ઉપદેશ એમાં સમાવિષ્ટ છે. વેતામ્બર મત પ્રમાણે આગમ સાહિત્ય મહાવીરપ્રણીત છે, અને ભગવાન મહાવીરના અગિયાર ગણધરોએ (પટ્ટ શિષ્યએ) એને સૂત્રબદ્ધ કર્યું છે, જ્યારે દિગમ્બર મત અનુસાર આગમ સાહિત્ય મહાવીરના મુખેથી ઉચ્ચારાયેલું છે; પરંતુ હાલ જે સાહિત્ય ઉપલબ્ધ છે તે મૂળ નથી. દિગમ્બર મત અનુસાર મૂળ આગમ સાહિત્ય ઘણું બધું નાશ પામ્યું છે, આમ છતાં એમના ગ્રંથોમાં પ્રાચીન આગમોને ઉલ્લેખ જોવા મળે છે.
આ આગમ સાહિત્ય મહાવીરના નિર્વાણ પછી સદીઓ સુધી મૌખિક પરંપરારૂપે રહ્યું. મહાવીરના નિર્વાણ પછી લગભગ ૮૦૦ વર્ષ બાદ આર્યઅંધિલના સાનિધ્યમાં મથુરામાં સંમેલન યોજાયું અને એમાં આ આગમ સાહિત્યના સંકલનને પ્રયાસ થશે. તેવી જ રીતે લગભગ એ જ અરસામાં વલભીમાં નાગાર્જુન નામે એક મૃતધર હતા; તેમણે વલભીમાં એક સંમેલન યોજ્યુ. એ સંમેલનમાં એકઠા થયેલ સાધુઓએ ભૂલાઈ ગયેલ સૂત્રે યાદ કરીને સંકલિત કર્યા, જેને વલભીવાચન તરીકે નામ અપાયું, અને તેને નાગંજનીય પાઠ તરીકે ઉલ્લેખ નંદીસૂત્ર અને સમવાયગસૂત્રમાં મળે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી આચાર્ય ભદ્રબાહુના સમયમાં પણ એક વાચના થઈ જેનો કાળ ઈસવીસનની બીજી સદીને ગણાય છે. આ વાચના નેપાળ દેશમાં થઇ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત આવી અન્ય વાચનાઓ પણ થઈ હોવાનું સંભવ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સૂત્રસાર
મહાવીર નિર્વાણુના આશરે ૯૦૦ વર્ષ પછી (ઈ. સ. ૪૫૩– ૪૬૬) વલભીમાં આચાર્ય દેવર્ધિગણિની નિશ્રામાં એક સંમેલન
જાયું અને એમાં મૌખિક પરંપરામાં સચવાઈ રહેલ આ આગમ સાહિત્યને લેખિત સ્વરૂપ અપાયું. જર્મન વિદ્વાન ડે. યાકેબીના મત મુજબ વલભીમાં આગમોને આ લેખનકાળ ઈ. સ. ૪૫ને છે.
શ્વેતામ્બર પરંપરામાં કુલ્લે ૪૫ આગમે માન્ય છે. પરંતુ, એમાં સ્થાનકવાસી પરંપરામાં માન્ય આગમોની સંખ્યા ૩ર ગણાય છે. કુલ્લે ૪૫ આગમોની સંક્ષિપ્ત વિગતો નીચે મુજબ છે :
(૧) અગિયાર અંગસૂત્રો : અંગસૂત્રો કુલે ૧૨ હતા પરંતુ
૧૨ મું અંગ દૃષ્ટિવાદ વિચ્છેદ પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગસૂત્ર વિદ્યમાન છે.
(૧) આચારાંગ
(૬) જ્ઞાતાધમ કથાગ (૨) સૂત્રકૃતાંગ
(૭) ઉપાસકદશાંગ (૩) સ્થાનાંગ
(૮) અંતકૃદ શાંગ (૪) સમવાયાંગ
(૮) અનુત્તરીપ પાતિક દશાંગ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી સૂત્ર) (૧૦) પ્રહ્મવ્યાકરણ
(૧૧) વિપાકમૃતાંગ
Page #71
--------------------------------------------------------------------------
________________
જનાગમ સૂત્રસાર
(૨) બાર ઉપાંગસૂત્રો - દ્વાદશાંગીમાં વર્ણવેલ અનેક વિષમાંથી
અમુક અમુક વિષય ઉપર વિશેષ
વિવેચન કરનારા શાસ્ત્રો તે ઉપાંગસૂત્ર. (૧) આપપાતિક
(૭) ચંદ્રપ્રાપ્તિ (૨) રાજપ્રશ્રીય
(૮) નિર થાવલિકા (૩) જીવાજીવાભિગમ (૯) કપાવતં સિકા (૪) પ્રજ્ઞાપના
(૧૦) પૂપિકા (૫) સૂર્ય પ્રાપ્તિ
(૧૧) પૂપિચૂલિકા (૬) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ (૧૨) વૃશુિદશા
(૩) છ છેદસૂત્રો : સંયમ માર્ગે પ્રયાણ કરતાં મુનિજીવનમાં થઈ
જનાર દેષની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત આદિની
વ્યવસ્થા દર્શાવનાર આ સૂત્રો છે. (૧) નિશીથ
(૪) દશાશ્રુતસ્કંધ (૨) બહ૭૮૫
(૫) છતક૯૫ (૩) વ્યવહાર
(૬) મહાનિશીથ
(૪) ચાર મૂલ સૂત્રો : શાસ્ત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણના
પ્રાણસમાં ચારિત્રના પાયાને મજબૂત કરનારા, શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બન– વાની યોગ્યતાનું ઘડતર કરનાર સંયમી
જીવનના આ મૂલસૂત્રો છે. (૧) આવશ્યક સૂત્ર (૩) ઘનિયુક્તિ-પિંડનિર્યુક્તિ (૨) દશવૈકાલિકસૂત્ર (૪) ઉત્તરાધ્યયનસૂત્ર
Page #72
--------------------------------------------------------------------------
________________
નાગમ સૂત્રસાર (૫) દસ પ્રકીર્ણ (૫યના) : ચિત્તના આરાધક ભાવને જાગૃત
કરનારા જે નાના નાના ગ્રંથ છે તે આવા દશ પ્રકીર્ણકા
નીચે મુજબ છેઃ (૧) ચતુશરણ
(૬) સંસ્મારક (૨) આતુર પ્રત્યાખ્યાન
(૭) ગચ્છાચાર (૩) મહા પ્રત્યાખ્યાન
(૮) ગણિવિદ્યા (૪) ભક્ત પરિણા
(૯) દેવેન્દ્રસ્તાવ (૫) તંદુલ વૈચારિક (૧૦) મરણસમાધિ (૬) બે ચૂલિકા સૂત્રો : આ બને આગમ દરેક આગમન અંગ
ભૂત છે. નંદીસૂત્ર દરેક આગમોની વ્યાખ્યાના આરંભે મંગલરૂપે છે અને અનુગારસૂત્ર આગમોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સૂત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમોનું સાચું રહસ્ય જાણું
શકાતું નથી. (૧) નંદીસૂત્ર (૨) અનુગદ્વાર સૂત્ર કુલે ૪૫ આગમનું ગાયા પ્રમાણે નીચે મુજબ છે. ૧૧ અંગસૂત્રો ૩૬૦૫૪ ગાથાઓ ૧૨ ઉપાંગસૂત્રો ૨૫૪૦૦ ૬ છેદસૂત્રો ૯૯૭૦ ૪ મૂલસૂત્ર ૨૨૬૫૬ ૧૦ પ્રકીર્ણ ૨૧૦૭ ૨ ચૂલિકા સૂત્રો ૨૫૯૯
९८७८४
Page #73
--------------------------------------------------------------------------
________________
નામ સૂત્રસાર
દર
આ ઉપરાંત જુદા જુદા મૂલસૂત્ર ઉપર અનેક ગ્ર ંથા નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે સ્વરૂપે લખાયા છે જેનુ કુલ્લે ગાથા પ્રમાણુ નીચે મુજબ છે:
નિયુક્તિ
ભાષ્ય
ટીકા
૪૫ મૂળ આગમોની ગાથા
૪૯૧૮
૮૨૬૭૯
૧૪૩૮૪૭
૩૭૧૮૩૮
૬૦૩૨૮૨
૯૮૭૮
કુલ ૭૦૨૦૬૮
આ ૪૫ આગમાના (૧) મૂળસૂત્રો, (૨) તેની નિયુ*ક્તિએ (૩) ભાષ્યા, (૪) ચૂર્ણિ અને (૫) ટીકા-વૃત્તિઓ એમ દરેકના પાંચ અંગ છે જે પંચાંગી કહેવાય છે, અને એ દરેક પ્રમાણભૂત ગણાય છે; આમ કુલ્લે સાત લાખ ગાથા પ્રમાણ જેટલું આ સાહિત્ય છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
અક્ષર ભારતી પ્રેરિત પ્રકારાને
૫-૦
-
૧૨૦૦
૫-૦૦
૦
ર
૦
ટ
૮-૦૦
૧૨-૮૫૦
૩૫-૦૦
૧૦-૦૦
૦
૦
૦
(૧) મંગળ કથાઓ
મનુભાઈ પંચોળી (૨) ધર્મચક્ર પ્રવતન () હંસગાન (૪) ગાંધીમાગ (૫) ગાંધી જીવન દર્શન વિમલાતાઈ ઠકાર (૬) અર્થકારણની આસપાસ બા. જ. પટેલ (૭) સ્થિર પ્રકાશવંત દીપ ભરત ના. ભટ્ટ (૮) કાગળના કેસૂડાં
ન. પ્ર. બુચ (૯) શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ મૂકે. ભટ્ટ (૧૦) જીવન રથ
ડે. સનત દવે (૧૧) મેદ ઘટાડે ડાયાબીટીસથી બચો , (૧૨) ચૂઈગગમ
પ્રા. નવનિધ શુકલ (૧૩) સમાજ જીવનના
મોહન દાંડીકર બિંબપ્રતિબિંબ (૧૪) આરોગ્યની સાચી સમજ અનુ. હરેશ ધોળકીયા (૧૫) મધુકેષ
સં. પુપા શાહ (૧૬) હસ્તકલા : કચ્છને વિજયલીમી કોટક
વારસાગત વૈભવ (૧૭) અડધા જગતની હીરજીભાઈ કોટક
સંસ્કૃતિને સંધરનાર કચ્છ
૪-૦૦
૦
૨ ૦-૦૦
'
૨૦-૦૦
૦
૬-૦૦
'૦.
૧૫-૦૦
૧૫-૦ ૦
Page #75
--------------------------------------------------------------------------
________________
(૧૮) કચ્છના કલાધર : દુલેરાય કારાણી
* (૧૯) બાળકનું ઘડતર (૨૦) જીવનરક્ષક જવારા (૨૧) સેકસ ગાઈડ (૨૨) નીતિશાસ્ત્ર
(૨૩) દૃષ્ટાંત દણું
૬૪
ગુણુવંત ભટ્ટ
તુલસીભાઈ પટેલ ડૉ. રવીન્દ્ર સંધવી
ડૉ. વી. સી. દવે
ડો. હરસદ જોષી મુનિશ્રી ભુવનચંદ્રજી
૨૫-૦૦
૧૬-૦૦
૫-૦૦
3-00
૧૦-૦૦
અક્ષર–ભારતી, ૫, રાજગુલાભ શોપિંગ સેન્ટર, વાણિયાવાડ ભુજ-કચ્છ
૮-૦૦
Page #76
--------------------------------------------------------------------------
________________
૦.
૨ ૦-૦૦
P
0
૧૨-૦ ૦
0 ૦ |
માવજી કે. સાવલાનાં પુસ્તકો
અપ્રાપ્ય (૧) ભારતીય દર્શન...... (૨) સનાતન સમસ્યા આ ફિલસૂફની આંખે (બીજી આવૃત્તિ) 1-૦૦ (૩) આભા સની આરપાર......
૫-૦ (૪) ગુજયેફને સાધના માર્ગ...(બીજી આવૃત્તિ) (૫) યાત્રિકની આંતર ક થા ...... (૬) ફિલસૂફી : એક ધાષણો પત્ર.......
૪-૦૦ (૭) ગુજયેફ : એક રહસ્યમય ગુરુ ... ...
૧૬-૦ ૦. (2) તમે જ તમારા ભાગ્યવિધાતા (બીજી આવૃત્તિi)... ૧૨-૫૦ - (૯) રથનું પુષ્પ...., (૧૦) સ વાદને સવારે. (૧૧) રજનીશ મીમાંસા .. (૧૨) લેગોથેરાપી-જીવનનો અર્થની શોધ... ... .. (૧૩) આમએ (સ્વ જયરામ ઠક્કર સાથે અનુવાદ).... (98) A Manifesto of Philosophy...... (૧૫) સર જ બાયોકેમિક ચિકિત્સા... ... (૧૬) ગાવિદ કહે છે... ... - (૧૭) એન માગ સિદ્ધાંત અને સાધના ... ... (૧૮) શ્રી ધનજીબાપુના સાનિધ્યમાં... (૧૯) પુનરાવતાર ... ... •••
| ...
૨૯-૦૦ (૨૦) તા તત્વ - - - - (૨૧) જૈનાગમ સુત્ર સાર... ... .
| સિ ધી ભાષામાં અનુવાદિત (૨૨) સનાતન સમરયાએ : અનું. તેજ કાબિલ
| જાપાનીસ ભાષામાં અનુવાદ્રિત A Manifesto of Philosophy અનુવાદક SETEL
NISHIMURA
૦
|
o ૦ |
| o ૦
૧૦ ૦ ૦
o ૦ |
૧ ૦
o | )
૦ ૩
3
6 | | (
પ્રાપ્તિસ્થાન : અક્ષર - ભારતી, ૫, રાજગુલાબ, વાણિયાવાઇ,
ભુજ-કચ્છ ૩૭૦ ૦૦૧
lain Education