________________
નાગમ સત્રસાર
જે કંઈ સ્વાથ્યને હાનિકારક આહાર કર્યો હશે એનું પરિણામ રોગ અને પીડા રૂપે અવશ્ય ભોગવવું જ પડે છે.
જેમ રોગ થાય જ નહિ એ માટે સ્વાથ્ય અંગે આપણે જાગૃત રહીએ છીએ- રોગને આવતો અટકાવવામાં જ ડહાપણ છે એમ લાચારીપૂર્વક પરવશ થઈને કર્મફળ ભોગવવાનો વખત આવે એને બદલે જીવનની પ્રત્યેક પળ ઉપગપૂર્વક એટલે કે સાવધાનીથી વીતાવીએ.
૧૨. આમધ્યાન ઈન્દ્રિયાદિ ઉપર વિજય મેળવીને જે ઉપયોગમય (જ્ઞાન-દર્શનમસ્ય) આત્માનું ધ્યાન કરે છે તેને કર્મબંધન નથી. માટે દિગલિક પ્રાણ એની પાછળ-પાછળ કેવી રીતે જઈ શકે ? (અર્થાત એને ન જન્મ લે પડતું નથી.
(૧૨) જેના જીવનની પ્રત્યેક પળ જાગૃતિપૂર્વક વીતે છે એને માટે કર્મબંધનને પ્રશ્ન જ રહેતો નથી. સંચિત કર્મો ભગવાઈ જાય અને નવા કર્મબંધન થાય નહિ એટલે દેખીતું જ છે કે એવા આત્મા માટે જન્મ-મરણની આ ઘટમાળને આખરી અંત આવેઅર્થાત મોક્ષને પામે.
જેવી રીતે આજે વૈજ્ઞાનિક દષ્ટિએ રોગને સંબંધ જુદા જુદા રોગના જંતુઓનું (બેકટીરીઆ-વાયરસ) શરીરમાં લેવું અથવા તે શરીરમાં પ્રવેશવા સાથે છે, તેવી રીતે જૈન દર્શન અનુસાર કર્મનું સ્વરૂપ પુદગળ રૂપે છે. શુભ-અશુભ કર્મરૂપી પુદગળ આપણું નજીક ખેંચાઈને આવે જ નહિ એવું નિત્ય વિવેકપૂર્વકનું અને અપ્રમાદયુક્ત જીવન જીવવું એ જ મહાવીરઅણુત મોક્ષમાર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org