________________
જનાગમ સૂત્રસાર
યુદ્ધમાં હારે અને લાખેની દુશ્મન સેનાને જીતવી સહેલી છે. પરંતુ પિતાની જાત ઉપર વિજય મેળવે એ કેટલું કઠિન છે, એ વાત આપણે સૌ જાણીએ છીએ (અને જાણવા છતાં પણ આપણે કદી ગંભીરપણે એને અનુસરતા નથી.)
જેન તીર્થકરે માટે “જિન' શબ્દ વપરાય છે અને એને અર્થ જ આ ગાથા મુજબનો સ્પષ્ટ છે કે જેણે પિતાના આંતરશત્રુઓ ઉપર–અર્થાત રાગ-દ્વેષ-કામ-ક્રોધ-લભ-મોહ-તૃષ્ણાઓ આદિ પર વિજય પ્રાપ્ત કર્યો છે. “જૈન” શબ્દ પણ આ જિન ઉપરથી પ્રચારમાં આવ્યો છે. વાસ્તવમાં પોતાને જન કહેવડાવવાને અધિકાર એ જ વ્યક્તિને છે કે જેણે પિતાના આંતર શત્રુઓને જીત્યા હોય.
ચોવીસ વર્ષ પહેલાં થઈ ગયેલ ગ્રીસ દેશના સેક્રેટિસે પણ know thyself” દ્વારા આ જ વાત બીજા શબ્દોમાં કહી છે. અહીં પિતાની જાતને જીતવાને બદલે પોતાની જાતને ઓળખવાની વાત છે. ઉપનિષદેના દષ્ટા ઋષિઓએ પણ “બ્રહ્મતત્ત્વને જાણે એ જ બ્રાહ્મણ.” એવી વ્યાખ્યા દ્વારા આ જ વાત કરી છે. પરંતુ જૈન દર્શન એક વાસ્તવવાદી અને કર્મવાદી દશન છે એટલે એક ડગલું આગળ વધીને કહે છે કે માત્ર પિતાની જાતને ઓળખીને ત્યાં અટકવાનું નથી પરંતુ એ ઓળખ પછી કશુંક નક્કર કરવાનું પણ છે; અર્થાત નક્કર કાર્ય–આંતર શત્રુઓને જીતવાનું કાર્ય.
૨૫, સર્વનાશ કોઇ પ્રીતિને, માન વિનયને, માયા મૈત્રીને અને લોભ તમામનો નાશ કરે છે.
ક્રિોધ, માન, માયા અને લોભ એ ચારેયમાં લોભ એ સૌથી વિશેષ હાનિકારક હોવાનું અહીં કહેવામાં આવે છે. આનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org