________________
૨૮
જેનાગમ સૂત્રસાર
નમાઝ અને ખેરાત અર્થાત બંદગી અને દાનને પાયાનું કર્તવ્ય ગણવામાં આવ્યું છે. એ રીતે એમ કહી શકાય કે જૈનદર્શને જ્ઞાન, -દર્શન, ચારિત્ર્ય અને તપ એ ચાર સાધનને જીવન માટે પથદર્શક ગણાવ્યા છે.
અહીં જ્ઞાનને અર્થ છે જીવ–અજીવ આદિ જગતના પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવું, એટલે કે આત્મદ્રવ્ય અને અનાત્મદ્રવ્ય વચ્ચેના ભેદને પારખવા. દર્શન દ્વારા જીવનની ક્ષણભંગુરતાને સમજીને શ્રદ્ધા કેળવવી અને અનાત્મકગ્ય પ્રત્યેની આસક્તિથી મુક્ત થવાનું લક્ષ્ય રાખવું. આપણે અગાઉ વારંવાર જોઈ ગયા કે જૈન ધર્મમાં કામ અને કર્મફળને સિદ્ધાંત કેન્દ્રમાં છે એટલે કે કશુંક નક્કર આચરણ કર્યા વગર ચાલે જ નહીં. અર્થાત જ્ઞાન અને દર્શન દ્વારા જે સમજ પ્રાપ્ત થાય એ અનુસારનું ચારિત્રય નવા કર્મોના બંધનથી આત્માને અળગો રાખે. આમ છતાં પૂર્વ સંચિત કર્મોની સમસ્યા તે ઊભી જ રહે છે, અને એ માટે અહીં તપ દ્વારા વિશુદ્ધ થવાની વાત છે.
૩૮. અજ્ઞાન (ત્રણેય એકબીજાના પૂરક છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે, ચારિત્ર વિનાનું જ્ઞાન, સમ્યગ્દર્શન વિનાનું મુનિપણું અને સંયમ વિનાનું તપશ્ચરણ નિરર્થક છે. (૩૮)
અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય એ ત્રણેય એકબીજાના પૂરક હોવાની વાત સુંદર રીતે દર્શાવવામાં આવી છે. જ્ઞાનની મોટી મોટી વાતે કોઈ કરે પણ જે ચારિત્ર્યનું ઠેકાણું ન હોય તે એને શું અર્થ ? એવી જ રીતે બાહ્યાચારથી મુનિપણું હોય તે પણ સમ્યફદર્શન વિનાનું મુનિપણું પિ કળ જ બની રહે છે. અહીં વધુમાં કહેવાયું છે કે “સંયમ વિનાનું તપ નિરર્થક છે.” આ વાતને બરાબર સમજી લેવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org