________________
૨૪
જેનાગમ સૂત્રસાર
અધ્યયન અને શાસ્ત્રાભ્યાસનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહિ પરંતુ ચિત્તની એકાગ્રતા અને જ્ઞાન માટેનું સાધન પણ શાસ્ત્રાભ્યાસને ગણવામાં આવ્યું છે.
આશ્ચર્યની વાત તે એ છે કે આજકાલ અનેક ગ્રંથ અને શાસ્ત્રોને અભ્યાસ કરીને ધર્મ સભાઓ ગજવનારા મોટેભાગે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ઉત્તમ ગ્રંથના વાંચનને વ્યર્થ ગણાવીને પિતાના શ્રોતાએ તેમજ અનુયાયીઓને જડ ક્રિયાકાંડમાં જ રચ્યાપચ્યા રાખે છે.
મહાવીરે તે સ્પષ્ટ કહ્યું છે :
પઢમં નાણું
તઓ દયા.” અર્થાત પ્રથમ જ્ઞાન અને પછી જ દયા.
દેખીતું જ છે કે જેને જ્ઞાન નથી, યોગ્ય-અયોગ્ય નિર્ણય કરવાને વિવેક નથી એવી વ્યક્તિ કશુંક સત્કર્મ કરવા જશે તો પણ પરિણામ ઘાતક અને હાનિકારક આવે એવો સ્પષ્ટ સંભવ છે.
ધર્મને જ નામે આજે જે વૈમનસ્ય, ઈર્ષ્યા અને લડાઈઓ ફૂલ્યાં-ફાલ્યાં છે એ શું સૂચવે છે?
૩ર. હું-મારું આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાવાળે તથા પરકીય (આત્મ-વ્યતિરિકત, ભાવને જાણવાવાળો એવો કર્યો જ્ઞાની હશે જે “આ મારું છે” એવું કહેશે. (૩૨)
કામ, ક્રોધ, મોહ, લોભ, રાગ, દ્વેષ આદિ સાંસારિક આસક્તિઓમાં ડૂબેલાઓનું આખું જીવન જ “આ મારું–આ પરાયું” વગેરે અજ્ઞાનમૂલક ખેંચાખેંચીમાં વેડફાય છે. વળી, આને કારણે સામાજિક-આર્થિક સ્તરે પણ ભારે વિષમતાઓ અને સંઘર્ષો જન્મે છે. સમાજમાંના મોટાભાગના ગંભીર ગુનાઓ પણ આ પરિસ્થિતિએની નીપજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org