________________
જૈનાગમ સૂત્રસાર
૨૩.
તમય જીવન જીવનાર પણ જ્યારે ધમને નામે પિતાના અહમ સંતોષવા અને સત્તા ભોગવવા રાગ-આદિ કષાયોને આશ્રય લેતા રહે ત્યારે તીર્થકરોની વાણી સાંભળવા-સમજવા ક્યાં જવું ?
૩૦, મૃત્યુ આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા આ મારે કરવું છે અને આ નથી કરવું – આ પ્રમાણે મિથ્યા બકવાસ કરનાર પુરુષને ઉઠાવી લેવાના સ્વભાવવાળે, કાળ ઉઠાવી લે છે.
(૩૦) - જીવનની ક્ષણભંગુરતા, તૃષ્ણાઓની વ્યર્થતા અને મેહગ્રસ્ત મનુષ્યની બેહેશીભરી આંધળી દોટનું અહીં દર્શન કરાવવામાં આવ્યું છે.
માણસ સતત જાણે કે કદી મૃત્યુ પામવાને જ ન હોય એમ ભવિષ્ય માટેની યોજનાઓ કરતે રહે છે. સાવ સીધી સાદી વાસ્તવિકતા એ છે કે જીવન અને મૃત્યુ વચ્ચેને ફાસલો એક ક્ષણ માત્રને છે. માણસ ઈરાદાપૂર્વક એને નજર અંદાજ કરતો રહે છે. રોજે-રોજ આ વાસ્તવિકતાનું સ્મરણ કરાવતા અનેક આધ્યાત્મિક પ્રવચને સાંભળવા છતાં, ધ્યાન અને યેગને નામે ચાલતી અનેક શિબિરોમાં આંટાફેરાઓ કરવા છતાં, અનેક ધર્મગ્રંથ અને ફિલસૂફીઓનું વાંચન કરીને પણ મનુષ્ય પોતે સ્વેચ્છાએ ઓઢી લીધેલ આ બેહશીમાંથી બહાર આવવા તત્પર નથી.
૩૧. શાસ્ત્રાભ્યાસ વ્યક્તિને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. એ પોતે ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે, તેમજ અનેક પ્રકારના શાસ્ત્રોનું અધ્યયન કરીને એ શ્રુતસમાધિમાં લીન બની જાય છે.
(૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org