Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 52
________________ જના ગમ સૂત્રસાર પ. કયાં છે જેને આજે એક પણ “જિન” દેખાતા નથી અને જે માર્ગદર્શક છે તે દરેક એક મત ધરાવતા નથી એવું કે ભવિષ્યમાં કહેશે. પરંતુ તેને તે આજે ન્યાયપૂર્ણ માર્ગ મળી ગયો છે તે માટે હે ગૌતમ એક ક્ષણને પ્રમાદ ન કર. (૫૬) કેવી આશ્ચર્યની વાત છે કે આજે આપણી સામે જે અસંગત પરિસ્થિતિ છે અને ન છૂટકે જે કહેવાનું આવી પડે છે, એવી આગાહી આજથી બે હજાર વર્ષ પૂર્વે જ આ આગમસૂત્રના દષ્ટાએ કરી ગયા છે. અલબત્ત બહુરત્ના વસુંધરા છે. ક્યાંક અપ્રસિદ્ધ અપ્રગટ એવા આત્માઓ આજે પણ જરૂર હશે કે જેને જૈન શાસ્ત્રની કસોટીઓથી સાચા અર્થમાં જન કહી શકાય. “હે ગૌતમ ! એક ક્ષણને પણ પ્રમાદન કર” એવું મહાવીરનું આ સૂત્ર સતત નજર સામે રાખવા જેવું છે, હૈયે અંકિત કરી રાખવા જેવું છે. કારણ કે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે– અંધકાર અને પ્રકાશ વચ્ચે–જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર એક ક્ષણ માત્રનું જ છે. ધર્મ અને અધમ વચ્ચેનું અંતર પણ ક્ષણ માત્રનું જ છે. પર. વેશપૂજા લાકમાં સાધુઓ તથા ગૃહસ્થાના વિવિધ પ્રકારના લિંગ પ્રચલિત છે જેને ધારણ કરીને અમુક લિંગ (ચિહન) મોક્ષનું કારણ છે એવું મૂઢ જન કહેતા ફરે છે. (૫૭) સંયમ માર્ગમાં વેશ પ્રમાણ નથી. કારણ કે એ તે અસંયત લોકોમાં પણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શું ખાધેલું વિષ (ઝેર) મારતું નથી? (૫૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80