________________
જેનાગમ સૂત્રસાર
સ્પષ્ટ છે કે લેભ એ મૂળભૂત તૃષ્ણાઓનું જ એક સ્વરૂપ છે. આ તુણુઓનું એક સાતત્ય હોય છે. જયારે ક્રોધ, માન, માયા વગેરે કષાયમાં આવો સાતત્યભાવ નથી હોતું. પ્રમાણમાં ક્ષણિક કે સમયાંતરે આ કષાયે માથું ઉંચકે છે.
લેભ એ એક મૂળભૂત વૃત્તિ હોવાને કારણે ક્રોધ, માન, માયા આદિ અન્ય કલાને–દુર્ગણોને જન્મ આપવામાં પણ એ કારણભૂત બને છે.
ર૬. સંતેષ ક્ષામાથી ક્રોધને હણે, નમ્રતાથી માનને છત, સરળ સ્વભાવથી માયા ઉપર અને સંતોષથી લાભ ઉપર વિજય મેળવે.
(૨૬) લેભ ઉપર વિજય મેળવવો એ સૌથી પ્રથમ મહત્વનું કદમ છે અને સંતેષ દ્વારા લેભ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું અહી કહેવામાં આવ્યું છે. સંત તુલસીદાસે પણ કહ્યું છે :
ગોધન-રજધન–વાજધન ઔર રતનધન ખાન જબ મિલે સંતેષધન
સબ ધન સમાન. અર્થાત જેને સંતોષરૂપી ધન પ્રાપ્ત થયું છે એને માટે અન્ય સાંસારિક બધી જ સંપત્તિ ધૂળ સમાન છે.
એક ગુરુ શિષ્ય કયાંક જઈ રહ્યા હતા. શિષ્ય સહેજ પાછળ પાછળ ચાલતો હતો. શિષ્ય રસ્તામાં એક સોનામહોરોની ઢગલી જોઈ. સોનામહોરો ઉપાડવાની લાલચ ન થાય એટલે એના ઉપર એણે પગથી ધૂળ નાખી દીધી. ગુરુએ આ જોઈ લીધું અને શિષ્યને કહ્યું, “તને હજી સેનામહોરો અને ધૂળ એ બન્ને વચ્ચેને ભેદ દેખાય છે એટલો હજી તારો વૈરાગ્ય કાચા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org