________________
નાગમ સૂત્રસાર
૧૩. આઠ પ્રકારે કર્મ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગેત્ર અને અંતરાય-સંક્ષેપમાં આ આઠ કર્મો છે.
(૧૩) જન દશનમાં કમનું અનેક ભેદ-પ્રભેદ દ્વારા ખૂબ જ સૂક્ષ્મ વર્ણન કરવામાં આવેલ છે, પરંતુ અહીં આઠ પ્રકારના મુખ્ય કર્મો દર્શાવવામાં આવ્યા છે.
આપણી આસપાસના જગતમાં સામાન્ય અવલેકનથી પણ જોઈ શકાય છે કે સો માણસોમાં સમાન બુદ્ધિ હેતી નથી. જૈન દર્શન અનુસાર જ્ઞાનાવરણ (જ્ઞાનને આવરિત કરનાર) કર્મફળ અનુસાર બુદ્ધિની ન્યુનાધિકતા મનુષ્યને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે કેટલીક વ્યક્તિએ જીવનમાં વારંવાર અનેક પ્રકારના રોગે કે અકસ્માતની યાતનાઓમાંથી પસાર થાય છે જ્યારે કેટલીક વ્યક્તિઓ સામાન્ય રીતે તંદુરસ્ત અને યાતના વગરનું જીવન ભોગવે છે. જેના દર્શન અનુસાર આમાં વેદનીય કમ કારણભૂત છે. એવી જ રીતે આયુષ્ય કમ વિશે સમજવું. કયા કુટુંબમાં અને ક્યા કુળમાં જન્મ થવો એ ગોત્ર કમ અનુસાર પ્રાપ્ત થાય છે. આ પછીની ગાથામાં આ અંગે ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે.
૧૪. કર્મ સ્વરૂપ
આ કર્મોને સ્વભાવ પડદે, દ્વારપાળ, તલવાર, મદ્ય, હેડ (લાકડું), ચિતાર, કુંભાર અને ભંડારી જે છે.
(૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org