Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 18
________________ નારદજીનો સાધર્મિકપ્રેમ નારદજીનું હૃદય સદાકાળ સાધર્મિકપ્રેમથી છલકાતું હતું, તેથી જ તેઓ રાવણની રાજસભામાંથી ઉઠીને સીધા જ દશરથ રાજાની રાજધાની અયોધ્યામાં પહોંચી ગયા. નારદજીને જોતાવેત તેઓ ઉભા થઈ ગયા અને સન્માન પૂર્વક ઉચ્ચ આસન ઉપર બેસાડીને દશરથ રાજાએ વિનયપૂર્વક ખબરઅંતર પૂછી. નારદજીએ કહ્યું – “હું શ્રીસીમંધરસ્વામીનો દીક્ષા મહોત્સવ જોવા પુંડરીકિણીનગરે ગયો હતો, ત્યાંથી મેગિરિ ઉપર બિરાજમાન સર્વે તીર્થકર ભગવંતોની મૂર્તિઓના દર્શન વંદનાદિ કરીને લંકાનગરીમાં ગયો. ત્યાં શ્રી શાંતિનાથ સ્વામીના જિનપ્રાસાદમાં બિરાજમાન મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુના દર્શન વંદનાદિ કરીને રાવણની રાજસભામાં ગયો હતો. ત્યાં નિમિત્તશે એવી ભવિષ્યવાણી ભાખી કે- દશરથરાજાનો પુત્ર અને જનકરાજાની પુત્રીના નિમિત્તથી રાવણનો વધ થશે. આવી ભવિષ્યવાણી સાંભળતાં જ ક્રોધીલા બિભીષણે આપની તેમજ જનકરાજાની હત્યા કરવાની પ્રતિજ્ઞા રાજસભામાં જ કરી છે. આ બધું સાંભળતાં જ હું ત્યાંથી સીધો આપને સાવધાન રહેવાની વિનંતિ કરવા આવ્યો છું. આપની નગરીમાંથી નીકળી હું સીધો જનકરાજાને પણ આ બાબતથી વાકેફ કરી સાવધ રહેવાનો સંદેશો આપીશ.” આટલું કહીને તુરંત શ્રી નારદજીએ મિથિલાનગરી તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને તેમણે મિથિલાનરેશ જનકરાજાને આ સમાચાર વિસ્તારપૂર્વક કહ્યા. નારદજી જેવા મહાન આત્માઓના મનમાં ધર્મ અને સાધર્મિકો પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રકારની ભાવના અને લાગણી હતી. આ શુભભાવ એટલો હૃદયપૂર્વકનો હતો કે તેઓ પોતાનું અન્ય કાર્યભૂલીને સાધર્મિકની મદદ કરવા માટે નીકળી પડ્યા હતા. અંગત કામો કરતાં સાધર્મિકના કાર્યોને તેઓ ઘણું જરૂરી અને મહત્ત્વપૂર્ણ ગણતા હતા. દશરથ રાજા અને જનકરાજા કેટલા પુણ્યશાળી હશે કે એમના જપુણ્યોદયથી નારદજીનું રાવણની રાજસભામાં આગમન થયું અને એવા પુણ્યના યોગેનારદજી દ્વારા તેમને મરણથી બચાવનારાઆવા મહત્ત્વપૂર્ણ સમાચાર જાણવા મળ્યા! એકબાજુ પાપબાંધવામાં પાવરધો જીવ ભયંકર પ્રકારની યોજનાઓ કરી ગાઢ કર્મનો બંધ કરે છે, તો બીજી બાજુ પુણ્યવાનોનું પુણ્ય આવી બધી યોજનાઓ ઉપર પાણી ફેરવી દે છે. જો નારદજીએ ધાર્યું હોત, તો જનકરાજાને સંદેશો પહોંચાડવાનું કામ દશરથરાજાને પણ આપી શક્યા હોત. પરંતુ સાધર્મિક ભક્તિ જ જેમના માટે સ્વધર્મ રહ્યો છે, એવા નારદજીએ પોતે જાતે જ મિથિલાનગરી જઈને જનકરાજાને બધી ઘટનાથી વાકેફ કરી દીધા. ધન્ય છે...... આવા સાધર્મિક ભક્ત નારદજીને ! દશરથ અને જનક રાજાનો વનવાસ Jain Education Integrational For Persone www.ainelibrary. SON

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142