Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 49
________________ 36 માટે કેટલો પ્રેમ ઉભરાતો હશે....! સુમિત્રાના આશીર્વાદ મેળવીને લક્ષ્મણ કૌશલ્યાને પ્રણામ કરવા ગયા. પડાવે આંસુ, તેનું નામ સાસુ.” કૌશલ્યા ક્ષત્રિયાણી હતી. ઉત્તમ કુળમાં જન્મી હતી. પૂર્વભવના પુણ્યથી તેમનું લગ્ન સૂર્યવંશમાં થયું હતું. એ જ કારણોને લીધે તેમના વ્યક્તિત્વમાં ઝલકતી સાહસિકતા દૃષ્ટિગોચર થાય છે. કૌશલ્યાની વાત સાંભળીને શોકરહિત સીતાજીએ તેમને પ્રણામ કરી કહ્યું,- “આપના પ્રત્યે મારી ભક્તિ સદા કલ્યાણકારી રહેશે. મારામાં કષ્ટ સહન કરવાનું અંશમાત્ર સામર્થ્ય નથી, પરંતુ આપની ભક્તિમાં મહાચમત્કારી શક્તિ ગુપ્તરૂપે રહેલી છે. આપની ભક્તિ અને આશીર્વાદના માધ્યમથી મારા બધા કષ્ટો સુસહ્ય બનશે. સુગંધ જેવી રીતે પવનનું અનુસરણ કરે છે, તેવી જ રીતે હું પણ દશરથનંદનનું અનુસરણ કરીશ.” કૌશલ્યાની આંખોમાંથી હજી પણ અશ્રુધારા વહી રહી હતી. તે બોલી- “મારા જેવી અભાગણીનો પુત્ર મને ત્યજીને વનવાસ માટે ચાલ્યો ગયો છે. તે લક્ષ્મણ ! મારા આકુળવ્યાકુળ હૃદયને તારો જ આધાર છે. પુત્ર...! રામ તો ગયો... કાંઈ નહિ, તું તો અહીંયા રહી જા.” લક્ષ્મણે કહ્યું- “આપ તો રામની માતા છો. સામાન્ય સ્ત્રીની જેમ દુઃખી કેમ થઈ રહ્યા છો ? હું સંદેવ રામને આધીન હતો, આધીન છું અને આધીન રહીશ. આપ ધારણ કરો અને મને અનુમતિ આપો.” વન પ્રયાણ કરતા રામ આદિને લોકો જોતા જ રહ્યા. રામના વનવાસના સમાચાર સાંભળીને લક્ષ્મણનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થયો. તે વિચાર કરવા લાગ્યા,- “મારા પિતાજીનો સ્વભાવ સરળ છે. તેઓ તો ભરતને રાજ્ય સોંપીને ઋણમુક્ત બની ગયા. પરંતુ હું શાંત નહિ રહી શકું. હું તો ભરત પાસેથી રાજ્ય છીનવીને પાછું રામને આપી દઈશ. પરંતુ જો હું એમ કરીશ, તો શું રાજ્યભવને તણખલા સમાન ગણીને ત્યાગ કરવાવાળા મારા ભાઈ રામ તેનો પુનઃ સ્વીકાર કરશે ? નહિ, ક્યારે પણ નહિ.... અને મારા મુમુક્ષુ પિતાશ્રીને એવું કરવાથી કેટલું કષ્ટ થશે ? તેથી વધારે યોગ્ય એ છે કે ભરતનો રાજ્યાભિષેક થાય. હું રામનો અનુજ છું, ભ્રાતૃસેવા મારું કર્તવ્ય છે. તેથી હું એક સેવકની જેમ મારા ભાઈનો પડછાયો બનીશ.” વન તરફ પ્રસ્થાન કરતા રામ, લક્ષ્મણ અને સીતાને જોઈ નગરજનોની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રામ, પતિસેવા માટે સીતા અને ભ્રાતૃભક્તિ માટે લક્ષ્મણ વન તરફ પ્રયાણ કરી રહ્યા હતા. તેઓને જોઈને એવું લાગતું હતું કે જાણે અયોધ્યાના પ્રાણ તે વ્યક્તિત્રયીની સાથે અયોધ્યાનો ત્યાગ કરીને અનંતયાત્રા માટે નીકળી રહ્યા હોય. આંસુ વહાવતાં અયોધ્યા નગરીના અભિજન, મહાજન તથા સામાન્યજન રામ, લક્ષ્મણ અને જાનકીની પાછળ પાછળ જઈ રહ્યા હતા. તેઓઝૂર કૈકેયી અને પોતાના ભાગ્યને દોષ દઈ રહ્યા હતા. મનમાં ને મનમાં નિશ્ચય કરીને લક્ષ્મણે પોતાના પિતા દશરથને પ્રણામ કર્યા. પછી માતા સુમિત્રાને પ્રણામ કરી વિનયપૂર્વક પૂછ્યું પિતૃવચન પૂર્ણ કરવા માટે ભ્રાતાશ્રી વન તરફ જઈ રહ્યા છે. હું તેમનો સેવક છું. તો શું હું પણ તેમનું અનુસરણ કરવા માટે વન તરફ પ્રયાણ કરું?” સુમિત્રાનું હૃદય વિશાળ હતું. તેમણે કહ્યું,- “પુત્ર!તારા જ્યેષ્ઠ ભ્રાતાનું અનુસરણ કરવા માટે તું તત્પર છે. તને હું કેવી રીતે રોકી શકું. હું તને આશીર્વાદ આપું છું. પરંતુ રામ તો ક્યારનાય વન પ્રસ્થાન કરી ચૂક્યા છે. તું સત્વર નીકળ. તેથી તમારા બંને વચ્ચેનું અંતર ન વધે.’ સુમિત્રા રામની અપરમાતા હતી. પરંતુ તેમના અંતઃકરણમાં રામને દશરથરાજા પણ પોતાની બધી રાણીઓની સાથે રામની પાછળ વનમાં પહોંચી ગયા. અયોધ્યાનગરી વેરાન બની ગઈ. રામે પોતાના માતા-પિતાને તથા નગરજનોને વિનયપૂર્વક વાણીથી સમજાવીને પુનઃ અયોધ્યાનગરી તરફ મોકલ્યા. અયોધ્યામાં ભરતે રાજ્યાભિષેક માટે અનિચ્છા વ્યક્ત કરી. પોતાના ભાઈના વિરહનો એને એટલો તીવ્ર આઘાત લાગ્યો કે, પુત્રની મર્યાદાઓનો પણ વિવેક ન રહ્યો. તે પોતાની માતા કૈકેયી પર અત્યંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142