Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 65
________________ 52. ક્રોધથી લાલચોળ થયેલા જટાયુની સ્વામીભક્તિ અજોડ હતી. પોતાની અણીદાર ચાંચ અને પગના નહોર વડે તેણે રાવણની છાતી ચીરી નાંખી. જેમ ખેડૂત હળ વડે ધરતીને ખેડી નાંખે, તેવી રીતે તેણે રાવણની છાતી ચીરી નાંખી. છેવટે રાવણે ખગના પ્રહાર વડે તેની પાંખ કાપી નાંખી. જેથી તે જમીન ઉપર પડી ગયું. રાવણ તો બળવાન અને માયાવી હતો ! જ્યારે જટાયુ તો એક માત્ર પક્ષી હતું. રાવણની સરખામણીમાં તેની પાસે કાંઈ જ નહોતું. પરંતુ સૌથી બળવાન એવો ધર્મ હતો. જટાયુની માફક અધર્મને રોકવા માટે ધર્મી આત્માઓએ તેની વિરુદ્ધ લડવું જોઈએ, જેથી તેમને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ તો મળે ! તેઓએ પોતાના સન્માર્ગથી પાછા હટવું ન જોઈએ. એવું કહેવાયું છે કે : કરવા લાગ્યો- “હું રાવણ! આકાશમાર્ગે રહેતા અને પૃથ્વી પર વસેલા અગણિત રાજાઓનો સ્વામી છું. આપ મારી પટરાણી બનશો, તો મારું જેટલું સ્વામિત્વ છે, તે બધાની તમે સ્વામિની બનશો. તેથી હવે તમને શોકને બદલે આનંદ થવો જોઈએ. તમારું ભાગ્ય અત્યાર સુધી નબળું હતું. તેથી તમે આજ દિવસ સુધી રામની સાથે બંધાઈ રહ્યાં. રામે તો તમારા રૂપને જે શોભે, તેવું કાંઈક કરવું જોઈતું હતું. પણ તેણે કાંઈ કર્યું નથી. વાંધો નહિ! હું તે કરી દઈશ. હે દેવી ! હું તમારો સેવક છું. તમે મને જ તમારો પતિ માનજો. જ્યારે ત્રણ ખંડનો સ્વામી રાવણ તમારો સેવક બની શકે, તો વિદ્યાધરોની શું વિસાત છે ? તે બધા અને તેમની પત્નીઓ તમારા દાસ-દાસીઓ બનશે.” આવું આવું બોલતા રાવણ સીતાજીના પગમાં નમી પડ્યો. પરંતુ धर्मध्वंसे क्रियालोपेस्वसिद्धान्तार्थविप्लवे। पृष्टेन अपृष्टेन वा यतितव्यं निषेधितुं॥ અર્થાત્ ધર્મનો નાશ થતો હોય, ધર્મક્રિયાનો લોપ થતો હોય કે શાસ્ત્રાર્થનો નાશ થતો હોય, ત્યારે કોઈને પૂછ્યા વગર નિર્બળ માણસે પણ તેનો વિરોધ કરવો જોઈએ. અશક્ત વ્યક્તિએ જટાયુની માફક પોતાના પ્રાણને હોડમાં મૂકીને પણ સામનો કરવો જોઈએ. રત્નજી રાજાનો સામનો આકાશ માર્ગે જ્યારે રાવણનું વિમાન દરિયા ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સીતા કરણ સ્વરે હે રામ...! હે લક્ષ્મણ..! હે ભામંડલ ! એવી રીતે પોતાના પતિ, દિયર તથા ભાઈનું નામ લઈને કલ્પાંત કરતા હતા. સીતાનો આવો કલ્પાંત સાંભળીને કંબુદ્વીપના વિદ્યાધર રાજા રત્નજટીએ પોતાના શસ્ત્રથી રાવણ ઉપર હુમલો કર્યો. પરંતુ રાવણે પોતાની માયાવી શક્તિથી તેની બધી વિઘાઓ સંહરી લીધી. છેવટે રત્નજટી રાજા બેભાન થઈને નીચે પડ્યો. સમુદ્રની ઠંડી હવાથી તેને જ્યારે ભાન આવ્યું, ત્યારે તે કંબુપર્વત ઉપર હતો. વિમાનમાં બેઠેલો રાવણ ત્રણ ખંડનો સ્વામી, બળવાન તેમજ બુદ્ધિશાળી પણ હતો. છતાં તે વિષયસુખને આધીન હતો. તેથી તે શોક ગ્રસ્ત સીતાની સાથે મૃદુતાથી પોતાની સમૃદ્ધિની વાતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142