Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 97
________________ 84 જાણી રામ ઘણા દુઃખી દુઃખી થઈ ગયા. છતાં પણ રાજપૂષોએ પોતાના મનના ભાવો પ્રદર્શિત કરવા ન જોઈએ. તેથી ધીમા અવાજે રામે તેમને કહ્યું- “તમે આ બાબતથી મને જાણકાર કર્યો, તે ઘણી સરસ વાત છે.” ગુપ્તચરોના ગયા બાદ રામ વિચાર કરવા લાગ્યા- “રાજધર્મ કેટલો અગાધ અને ગુંચવણ ભર્યો છે ? જો કે રાજ્યકર્તાના હાથમાં બધી સત્તા હોય છે, છતાં પણ છેવટ તો તે પ્રજાનો સેવક જ ગણાય છે. જેમ ભક્ત પોતાના આરાધ્યદેવને કોપાયમાન કરી શકતો નથી, તેમ રાજ્યકર્તા પણ પોતાની પ્રજાને નારાજ કરી શકતો નથી. સીતા સતી છે. કલંક વિનાની છે. છતાં પણ તેના કારણે મારી નામોશી થઈ રહી છે, જે હું પોતે તો સહી શકું એમ છું. પણ જ્યારે સૂર્યવંશની ઉજ્જવલ કીર્તિ ઉપર થતાં દોષારોપણનો પ્રશ્ન આવે, તો તે અત્યંત અસહ્ય બની જાય છે.” ગુપ્તચરોના અધિકારીએ જણાવ્યું - ‘પ્રભુ ! વિદ્વાનોનું માનવું છે કે સામાન્ય ગણાતી પ્રજામાં ચર્ચાનો વિષય બનેલી વાતો કોઈક વખત અયોગ્ય લાગતી હોય, તો પણ તેને લોકો વ્યાજબી અને સાચી માનતા હોય છે. હાલમાં આપણા નગરમાં અને સામાન્ય પ્રજામાં એક જાતની | ચર્ચા ચાલી રહી છે કે- સીતાજીનું અપહરણ કરીને રાવણ તેના મહેલમાં તો લઈ જ ગયો હતો અને તેમને ત્યાં લાંબા સમય સુધી રાખ્યાં પણ હતાં. સીતાજીએ રાવણને પ્રેમ કર્યો હોય કે ન કર્યો હોય, તો પણ રાવણ તો એક સ્ત્રી લંપટ અને બળવાન રાજા હતો. તેણે સામ-દામ-દંડ-ભેદ એ બધી રીતો અજમાવીને સીતાજીને મનાવવાનો પ્રયત્નો કર્યો જ હશે ને ? અથવા તો સ્વેચ્છા કે અનિચ્છાનો વિચાર કર્યા વિના બળપૂર્વક સીતાનું શીલ ભ્રષ્ટ કર્યું હોય, એ બધું શક્ય છે... લોકોમાં એક કહેવત છે કે : - स्त्रियाश्चरित्रं पुरुषस्य भाग्यम्। देवोऽपि न जानाति कुतो मनुष्यः ।। સ્ત્રીનું ચરિત્ર અને મનુષ્યનું ભાગ્ય કોઈ પણ સમયે ફરી શકે છે. દેવો પણ એ જાણી શકતા નથી, તો મનુષ્યો કઈ રીતે જાણી શકે ?” તેણે આગળ કહેતાં જણાવ્યું- “હજુ સુધી આ ચર્ચા સાચી મનાતી નથી. છતાં પણ વિચાર કરવા જેવો છે. આપ આવી લોક ચર્ચાને સાંખી લેતા નહિ. અન્યથા તે આપની નિર્મળ કીર્તિને ઝાંખી પાડી દેશે અને આપના સૂર્યવંશ ઉપર આવું કલંક લાગશે.” આવો મત ગુપ્તચરોએ રામને જણાવ્યો. શ્રીરામે ગુપ્ત વેશમાં ફરી સીતાની સાંભળેલી નિંદા સંધ્યાકાળે એક વાર રામચંદ્રજી ગુપ્તવેશમાં રાજમહેલમાંથી નીકળીને નગરીમાં ફરવા લાગ્યા. ત્યાં ચોરામાં થોડા માણસો બેઠા બેઠા સીતાજીની ચર્ચા કરી રહ્યા હતા. તેઓ અંદરોઅંદર કહેતા હતા“માની લઈએ કે સીતાજીની ઇચ્છા વિરૂદ્ધ રાવણ તેમનું અપહરણ કરીને ઉપાડી ગયો. પણ એવું કેવી રીતે માની શકાય કે તેમના ઉપર મોહિત થયેલા રાવણે આટલા બધા દિવસ સુધી પોતાની જાત ઉપર કાબૂ રાખી સીતાના શિયળનું ખંડન નહિ કર્યું હોય ? એમ પણ અનીતિનું બીજું નામ છે અસુર ! એ પણ બનવા જોગ છે કે રાવણે સીતાની સાથે બળપૂર્વક ગેરવ્યાજબી કામ કર્યું પણ હોય. છતાં ય રામને જુઓ.....તેમને સૂર્યવંશની પણ પડી નથી. આહાહા.... સૂર્યવંશ ઉપર કલંક ! તેમણે સીતાને હજી સુધી પોતાના મહેલમાં જ રાખી છે. કહેવાય છે ને કે ‘‘#ામાતુરાઈri ન મયં ન તૈના' સીતાના પ્રેમમાં પડેલા રામને નથી લોકોની લાજ કે નથી લોકોના તિરસ્કારનો ભય.” આવો વાદવિવાદ સાંભળીને દુઃખ પામેલા રામે મહેલમાં આવીને ગુપ્તચરોને ફરીથી નગરચર્ચા જોવા મોકલ્યા. પોતાના ગુપ્તચરોની વાતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142