Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 111
________________ પાણીમાં કમળ પર બેઠેલાં સીતાજી અને પાસે લવ અને કુશ. એક જ ક્ષણમાં અગ્નિવાળાઓ શીતલ જળમાં પરિવર્તિત થઈ ગઈ. અગ્નિકુંડ જળથી ભરાઈ ગયો. જળમાં સુગંધિત કમળો ખીલ્યાં. એક વિશાળ કમળ પર સિંહાસન રચાયેલું હતું. તેના પર સીતાજી બિરાજમાન હતાં. તેમનું સુંદર દિવ્ય શરીર કુંદની જેમ ચમકી રહ્યું હતું. દિવ્ય વસ્ત્રોતથા આભૂષણોથી શોભતાં સીતાજી પાક્ષાત લક્ષ્મીજી લાગી રહ્યાં હતાં. થોડી જ ક્ષણોમાં કુંડનું પાણી ઉછળીને ચારે દિશામાં ફેલાઈ ગયું. મંડપ તથા મોટા મોટા મંચ પણ પાણીમાં અદૃશ્ય થવા લાગ્યા. વિદ્યાધરો ભયભીત થઈને આકાશમાં ઉડવા લાગ્યા. ભયથી વિહળ બનેલા ભૂચરો પોકાર કરવા લાગ્યા- “હે મહાસતી! અમારી રક્ષા કરો.” સીતાજીએ આસન ઉપરથી ઉભાં થઈને જળ પ્રવાહનો સ્પર્શ કર્યો. તેથી પાણીનું વહેણ ફરીથી કુંડની દિશામાં વળી ગયું. હવે પાણી ફક્ત કુંડમાં જ હતું. તેથી તે એક વિશાળ તળાવ જેવું દેખાઈ રહ્યું હતું. આ કુંડમાં અગણિત કમળો અને હંસો તરી રહ્યા હતા. સીતાજીની પ્રશંસા કરતાં નારદજી અને અન્ય દેવગણો આનંદવિભોર બનીને નૃત્ય કરવા લાગ્યા. તેઓએસીતાજી પર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. “ધન્ય... ધન્ય...” ના જયઘોષ સાથે સીતાજીના સતીત્વની પ્રશંસા થવા લાગી... પરંતુ... Jain Bauen intamational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142