Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 119
________________ 106 રામચંદ્રજીને પ્રતિબોધ આપવા માટે ચોથા દેવલોકમાંથી સ્વયં જટાયુદેવ પૃથ્વી પર આવ્યો. (૧) રામચંદ્રજીની સામે એક સુકાઈ ગયેલા વૃક્ષ પર પાણી છાંટવા લાગ્યો. તેમની આ ચેષ્ટા જોઈને રામચંદ્રજી બોલ્યા- “હે મિત્ર! આ અચેતન વૃક્ષને આપ ગમે તેટલું પાણી પીવડાવો, તે નવપલ્લવિત થવાનું નથી. તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જ રહેશે.’’ (૨ ) ત્યારે તે દેવ પથ્થર પર છાણ, બકરીની લીંડી વગેરે ખાતર નાંખીને કમલિનીને રોપવા લાગ્યો. ત્યારે રામચંદ્રજી બોલ્યા- “બંધુ ! પથ્થર ઉપર ગમે તેટલું ઉત્તમ ખાતર નાંખવામાં આવે તથા ઉત્તમમાં ઉત્તમ વૃક્ષને રોપવામાં આવે, તો પણ તે નિષ્ફળ પ્રયત્ન જ કહેવાશે.’' (૩) પછી દેવ ઘાણીમાં રેતી નાખીને પીલવા લાગ્યો. રામે આ હકીકત દેવલોકમાં રહેલા કૃતાંતવદન દેવના જીવે અવધિજ્ઞાનથી જાણી. તે દેવ માનવરૂપ ધારણ કરી પોતાના ખભા પર એક સ્ત્રીનો મૃતદેહ ઉપાડીને રામચંદ્રજીની પાસે આવ્યો. રામચંદ્રજીએ કહ્યું- “હે મુગ્ધ ! આ રીતે એક સ્ત્રીના મૃત શરીરને પોતાના ખભા પર ઉપાડીને કેમ ફરી રહ્યો છે ?’’ માનવ દેહધારી દેવે કહ્યું- ‘આપ આવી અમંગળ વાત કેમ કરી રહ્યા છો ? આ તો મારી પ્રેમાળ પત્ની છે. મારી જીવિત પત્નીને આપ મૃત્યુ પામેલી કેમ કહી રહ્યા છો ? મારા ખભા પર Jain Education International તેમને પૂછ્યું- “બંધુ ! આપ આમ કેમ કરી રહ્યા છો ? શું કાંઈ અયોગ્ય પ્રયાસ કરવાથી સાધ્ય સિદ્ધ થઈ શકે ? તો પછી રેતી પીલવાથી તેલ કઈ રીતે મળશે ?’’ (૪) પછી દેવ મરેલા બળદને હળ સાથે જોડી જમીન ખેડવા લાગ્યો. આ અજુગતું વર્તન જોઈ રામચંદ્રજીએ કહ્યું- “ભલા માણસ ! મરેલા બળદથી કાંઈ ખેતર ખેડી શકાય ખરૂં ?'’આ સાંભળીને જટાયુદેવ હસીને બોલ્યા- “આપ તો મહાજ્ઞાની છો. આટલું બધુ જાણો છો કે સુકાઈ ગયેલા વૃક્ષઉપર પાણી છાંટવું આદિ નિરર્થક છે, છતાં સાક્ષાત્ અજ્ઞાનના પુરાવા રૂપ આ મૃતદેહને ખભા ઉપર લઈને કેમ જઈ રહ્યા છો?’’ ત્યારે લક્ષ્મણજીના મૃતદેહને આલિંગન આપી રામચંદ્રજી બોલ્યા“આપ આવી અમંગળ વાણી કેમ બોલો છો ? અહીંથી ચાલ્યા જાઓ.'' જે સ્ત્રી છે તે મૃત્યુ પામેલી છે, એ જો આપ સમજી શકો છો, તો આપના ખભા પર જે પુરુષ છે, તે પણ મૃત્યુ પામેલો છે, એ કેમ સમજી શકતા નથી ?'' રામચંદ્રજી ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા. અંતે તેમણે એ વાસ્તવિક્તાનો સ્વીકાર કરી લીધો કે મારો લધુબંધુ લક્ષ્મણ હવે જીવિત નથી. ત્યારે જટાયુદેવે તથા કૃતાંતવદનદેવે રામચંદ્રજીને પોતાનો સાચો પરિચય આપ્યો અને દેવલોક તરફ પ્રયાણ કર્યું. રામચંદ્રજીએ લક્ષ્મણજીનો અગ્નિસંસ્કાર તથા અંત્યેષ્ટિની વિધિ પૂર્ણ કરી. HELL DILIP SON

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142