Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 130
________________ 11 ઉપરાંત વાનરો પર શ્રીકંઠ રાજા વધુ સ્નેહ રાખતો હતો. તેથી તેણે નાના-મોટા વાંદરાઓની કોઈએ હિંસા ન કરવી તેવો પડહ વગડાવ્યો. રાજાના આદેશથી રાજ્ય તરફથી વાનરોને ભોજનાદિ અપાતું. ‘અથા રાના તથા પ્રજ્ઞા'' એ ઉક્તિ અનુસાર પ્રજા પણ વાંદરાઓને ભોજન આપતી અને તેમના ઉપર પ્રેમ રાખતી. રાજાએ ધ્વજ, છત્ર વગેરે ઉપર વાંદરાઓના ચિન્હ બનાવ્યા. આ પ્રમાણે વાનરદ્વીપમાં રહેવાથી અને ધ્વજ વગેરે પર વાંદરાઓના ચિન્હ બનાવવાથી વિદ્યાધર મનુષ્ય પણ વાનર કહેવાયા. તેઓનો વંશ વાનરવંશ કહેવાયો. આ પ્રમાણે વાનરવંશની સ્થાપના થઈ. વાનરવંશનો પ્રારંભ શ્રીકંઠ રાજાથી થયો. શ્રીકંઠનો મહાપરાક્રમી પુત્ર વજ કંઠ હતો. એકવાર ઇન્દ્રદેવોની સાથે નંદીશ્વરદ્વીપની તીર્થયાત્રા માટે જઈ રહ્યા હતા. તેઓને જોતાં જ શ્રીકંઠ રાજાને પણ યાત્રાના મનોરથો થયા. તે પણ વિમાનમાં બેસીને ઇન્દ્રના વિમાનને અનુસરવા લાગ્યો પરંતુ માનુષોત્તર પર્વતની આગળ વિમાન ચાલતું અટકી ગયું. તેથી શ્રીકંઠને ઘણું દુઃખ થયું અને યાત્રા કરવાના મનોરથો પૂર્ણ ન થયા. તેણે ચિંતનસાગરમાં મંથન કરતાં વિચાર્યું કે મેં પૂર્વભવે તપની સાધના ન કરી, તેથી યાત્રાના મનોરથો અધૂરા રહ્યા. જો મારો યાત્રાનો મનોરથ સફળ ન થયો, તો રાજ્ય પણ શા કામનું? પુત્ર આદિ પરિવાર પણ શા કામનો ? પત્ની પણ શા કામની? રાજદરબાર પણ શા કામનો ? આ પ્રમાણે નિદ પામીને તેણે વિચાર્યું. “હવેહંતપની સાધના કરી લઉં. પરંતુ શુદ્ધ તપ તે જ છે કે જ્યાં કષાયોનું શમન, ભગવાનનું ભજન, બ્રહ્મચર્યનું પાલન અને ભગવાનની આજ્ઞાનું પાલન થાય. આ બધુ દીક્ષા લીધા સિવાય સંભવ નથી.” તેથી પોતાના પુત્ર વજકંઠને રાજ્ય સોંપી શ્રીકંઠે ચારિત્ર અંગીકાર કર્યું. કઠોર તપ કરી સર્વકર્મોનો ક્ષય કરી તેઓ મોક્ષે ગયા. ત્યારબાદ વાનરવંશમાં ઘનોદધિરથ, કિષ્કિન્ધ, આદિત્યરજ, વાલી, સુગ્રીવ વગેરે રાજાઓ થયા. જો કે વાલી, સુગ્રીવ વાનરવંશના હતા. પણ પવનંજય, હનુમાનજી વગેરે વાનરવંશના નહોતા. તે તો વિદ્યાધરવંશના હતા, તો પણ ઉત્તરપુરાણ, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર આદિ રામાયણના ગ્રંથોના અનુસાર સુગ્રીવે પોતાની પુત્રી પદ્મરાગાનો વિવાહ હનુમાનજી સાથે કર્યો હતો, માટે તેઓનું સાસરું વાનરવંશમાં હોવાથી તેઓ વાનરવંશના કહેવાયા. એવુ રામાયણ ગ્રંથોના ચિંતનથી લાગે છે. વાલ્મિકી આદિ રામાયણ ગ્રંથોના અનુસાર હનુમાનજી બાલબ્રહ્મચારી હતા. તેઓએ વિવાહ નહોતો કર્યો. તત્વ તો કેવળજ્ઞાની જાણે... પરિશિષ્ટ - ૬ ઇન્દ્રજિત, મેઘવાહન અને મંદોદરીનો પૂર્વભવ કૌશાંબી નગરીમાં પ્રથમ અને પશ્ચિમ નામના બે ગરીબ ભાઈ ' કરીને તેને પ્રતિબોધ કરવા આવ્યો. ભાઈના સ્નેહના કારણે તેણે રહેતા હતા. એક વખત ભવદત્ત મુનિની પાસે ધર્મ સાંભળીને બન્ને પૂર્વભવનો સંપૂર્ણ વૃત્તાંત કહ્યો. ત્યારે તેને જાતિસ્મરણ થવાથી ભાઈઓએ દીક્ષા લીધી. એક વાર વિહાર કરતાં-કરતાં તેઓ કોશામ્બી નિયાણાનો પશ્ચાતાપ કરવાપૂર્વક વૈરાગ્યવાસિત થઈને દીક્ષા ગ્રહણ નગરીમાં આવ્યા. ત્યાં વસંતઋતુના ઉત્સવની ખુશીમાં નંદીઘોષ રાજા કરી. કાળધર્મ પામીને રતિવર્ધન મુનિ પાંચમા દેવલોકના દેવ બન્યા. પોતાની પત્ની સાથે ક્રીડા કરતો હતો. તેને જોઈને પશ્ચિમ મુનિએ જો કે નિયાણું કરવાવાળા પ્રાણીઓ પાપાનુબંધી પુણ્યથી વસ્તુ પ્રાપ્ત 'નિયાણું કર્યું કે મારા તપના પ્રભાવથી ભવિષ્યમાં હું આવી ક્રીડા થયા પછી નરકાદિ દુર્ગતિમાં જાય છે. પરંતુ પશ્ચાતાપથી પાપનો કરવાવાળા રાજાનો પુત્ર બનું. જો કે બીજા સાધુઓ દ્વારા સમજાવવા અનું બધ તોડીને પુણ્યાનુબંધી પુણ્યથી દેવ બન્યા. ત્યાર પછી છતાં તે મુનિ નિયાણાથી નિવૃત્ત ન થયા. કાળધર્મ પામીને પશ્ચિમ મહાવિદેહમાં વિબુદ્ધનગરમાં બન્ને ભાઈ, રાજા બન્યા. પછી દીક્ષા લઈને મુનિનો જીવ ઇન્દુમુખી રાણીની કુક્ષિથી રતિવર્ધન નામનો પુત્ર થયો. ૧૨ મા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને રાવણના પુત્રો ઇન્દ્રજિત્ અનુક્રમે યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં પિતાની જેમ પત્નીઓ સાથે ક્રીડા અને મેઘવાહન બન્યા. રતિવર્ધનની માતા ઇન્દુમુખી અનેક ભવભ્રમણ કરવા લાગ્યો. મોટાભાઈ પ્રથમ મુનિ નિયાણા રહિત તપ કરવાથી કરીને મંદોદરી બની. આ પ્રમાણે પૂર્વભવ સાંભળીને કુંભકર્ણ, ઇન્દ્રજિતુ, પાંચમા દેવલોકમાં ઘણી ઋદ્ધિવાળા દેવ બન્યા. પોતાના ભૂતપૂર્વભાઈ મેઘવાહન અને મંદોદરી વગેરેએ દીક્ષા ગ્રહણ કરી. રાજપુત્ર બન્યા છે, એવું અવધિજ્ઞાનથી જાણીને તે દેવ મુનિનું રૂપ ધારણ તાલિકા ઇન્દ્રજિતું મેઘવહન | મન્દોદરી પ્રથમ (ભાઈ) પશ્ચિમ (ભાઈ) રતિવર્ધન (પુત્ર) | ઇન્દુમુખી (માતા) ૫ મો દેવલોક ૫ મો દેવલોક | અનેક ભવ રાજા રાજા, ૧૨ મો દેવલોક ૧૨ મો દેવલોક ઇન્દ્રજિત્ (પુત્ર) મેઘવાહન (પુત્ર) | મન્દોદરી (માતા) Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142