________________
પાણીમાં કમળ પર બેઠેલાં સીતાજી અને પાસે લવ અને કુશ.
એક જ ક્ષણમાં અગ્નિવાળાઓ શીતલ જળમાં પરિવર્તિત થઈ ગઈ. અગ્નિકુંડ જળથી ભરાઈ ગયો. જળમાં સુગંધિત કમળો ખીલ્યાં. એક વિશાળ કમળ પર સિંહાસન રચાયેલું હતું. તેના પર સીતાજી બિરાજમાન હતાં. તેમનું સુંદર દિવ્ય શરીર કુંદની જેમ ચમકી રહ્યું હતું. દિવ્ય વસ્ત્રોતથા આભૂષણોથી શોભતાં સીતાજી પાક્ષાત લક્ષ્મીજી લાગી રહ્યાં હતાં. થોડી જ ક્ષણોમાં કુંડનું પાણી ઉછળીને ચારે દિશામાં ફેલાઈ ગયું.
મંડપ તથા મોટા મોટા મંચ પણ પાણીમાં અદૃશ્ય થવા લાગ્યા. વિદ્યાધરો ભયભીત થઈને આકાશમાં ઉડવા લાગ્યા. ભયથી વિહળ બનેલા ભૂચરો પોકાર કરવા લાગ્યા- “હે મહાસતી! અમારી રક્ષા કરો.” સીતાજીએ આસન ઉપરથી ઉભાં થઈને જળ પ્રવાહનો સ્પર્શ કર્યો. તેથી પાણીનું વહેણ ફરીથી કુંડની દિશામાં વળી ગયું. હવે પાણી ફક્ત કુંડમાં જ હતું. તેથી તે એક વિશાળ તળાવ જેવું દેખાઈ રહ્યું હતું. આ કુંડમાં અગણિત કમળો અને હંસો તરી રહ્યા હતા. સીતાજીની પ્રશંસા કરતાં નારદજી અને અન્ય દેવગણો આનંદવિભોર બનીને નૃત્ય કરવા લાગ્યા. તેઓએસીતાજી પર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. “ધન્ય... ધન્ય...” ના જયઘોષ સાથે સીતાજીના સતીત્વની પ્રશંસા થવા લાગી... પરંતુ...
Jain Bauen
intamational
For Personal & Private Use Only
www.jainelibrary.org