SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સીતાજીની દીક્ષા સીતાના મનમાં કાંઈક બીજા જ વિચારો ચાલી રહ્યા હતા. શાંત સ્વરમાં તે બોલ્યાં “હૈ સ્વામી ! સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં મારા પર કલંક લગાડવામાં આવ્યું. ગાઢ જંગલમાં નિર્દોષ હોવા છતાં મારે જે દુ:ખો ભોગવવા પડ્યાં, તેના માટે આપ કે અયોધ્યાવાસી દોજિત નથી. પતિવ્રતા હોવા છતાં મારે બે વાર લાંબા સમય સુધી વિસ્તની અગ્નિમાં તડફડવું પડ્યું, તેના માટે આપ કે રાવણ અપરાધી નથી. પરંતુ આ બધામાં મારા જ અશુભ કર્મોનો દોષ છે. એક જન્મમાં કર્મ બાંધવા, બીજા જન્મમાં એ કર્મનું ફળ ભોગવી નવા કર્મ બાંધવા... ક્યાં સુધી ચાલતું રહેશે કર્મનું આ ચક્ર ? આ સંસાર પર મને હવે વૈરાગ્ય થઈ ગયો છે. તેથી મેં કર્મોનો નાશ કરવા મોક્ષમાર્ગની સાધનાભૂત દીક્ષાને અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો છે. '' આટલું બોલીને સીતાજીએ પોતાના કોમળ કેશનો લોચ કરીને રામના હાથમાં આપ્યા. PILIP Jain Education International For Personal & Private Use Only TO 99 આ જોતાં જ ઉપસ્થિત જ્નસમુદાયને ભગવાનની દીક્ષાનો પ્રસંગ યાદ આવી ગયો. કારણ કે ભગવાને નિર્વિકાર ભાવે સ્વયં પોતાના દેશનો લોંચ કરી ઈન્દ્ર મહારાજાના હાથમાં આપ્યા હતા. આ દશ્ય જોઈને શમચંદ્રજી બે હોવા થઈ ગયા. તે સ્વસ્થ થાય, તે પહેલાં જ સીતાજી કેવળજ્ઞાની જયપણ મુનિ પાસે પહોંચી ગયાં. ત્યાં જઈને સીતાજીએ વિધિવત્ દીક્ષા અંગીકાર કરી, સુપ્રભા નામના સાધ્વીજીની નિશ્રામાં ીને નુતન સાધ્વી સીતાજી કઠોર સાધના તથા તપર્યા કરવા લાગ્યાં. www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy