Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 84
________________ એટલામાં પોતાના તેજથી નભોમંડળને પ્રકાશિત કરતી બહુરૂપિણી વિદ્યા ત્યાં ઉપસ્થિત થઈ બોલી- “હે વત્સ રાવણ ! તારી સાધના સિદ્ધ થઈ ચૂકી છે. હું પ્રસન્ન છું. બોલ, હું તારા માટે શું કરું ? હું સંપૂર્ણ જગતને વશ કરી શકું છું, મારી સમક્ષ રામ અથવા લક્ષ્મણ કેવળ નામ માત્ર છે..” રાવણે કહ્યું- “માતા ! આપ સર્વશક્તિમાન છો, પરંતુ આ ક્ષણે મને તમારી આવશ્યક્તા નથી. આપત્તિ કાળે જ્યારે હું આપને યાદ કરું, ત્યારે મારી સહાય માટે પધારજો. એટલી જ વિનંતી છે.” “તથાસ્તુ' કહીને બહુરૂપિણી વિદ્યા અદૃશ્ય થઈ ગઈ. “મેં તને અનેક વખત નમ્રતાપૂર્વક સમજાવી છે. હવે હું તારા પતિનો વધ કરીશ અને નિયમભંગ કરીને પણ તારા ઉપર બળાત્કાર કરીશ.’ રાવણનું આ ભયભીતપૂર્ણ કથન સાંભળીને સીતા બેહોશ થઈ ગયાં. થોડા સમય પછી સીતાજી હોશમાં આવતાં કહેવા લાગ્યાં, “રામ અને લક્ષ્મણનું મૃત્યુ થઈ ગયું, તો હું પણ અનશન કરીને પ્રાણ ત્યાગ કરીશ.” સીતાજીની આવી વાત સાંભળીને રાવણ વિચાર કરવા લાગ્યો કે- “સીતાજીનો રામ પ્રત્યે પ્રેમ એટલો બધો ગાઢ છે કે તેનું વિસ્મરણ કરી તેના મનમાં મારા માટે અનુરાગ નિર્માણ કરવો. એ પથરાળ જમીનમાં રોપણી કરવા જેવું હાસ્યાસ્પદ કાર્ય થશે. મેં તો મારા કુળને પણ કલંકિત કર્યું છે. પણ કાલે સવારે યુદ્ધભૂમિમાં રામ-લક્ષ્મણને બંદી બનાવીને લઈ આવી તેઓને સીતા સોંપી દઈશ, તો મારું આ કાર્ય ધાર્મિક તથા નૈતિક પણ ગણાશે. જ્યારે અંગદ દ્વારા મંદોદરીના કરવામાં આવેલા અપમાનના સમાચાર રાવણને મળ્યા, ત્યારે એણે અંહકારપૂર્વક કહ્યું- “આ અંગદ કોણ છે ? હવે થોડાં સમયમાં જ તેનું મૃત્યુ થવાનું લાગે છે.’’ રાવણ સ્નાનાદિથી પરવારીને દેવરમણ ઉદ્યાનમાં જઈ સીતાને કહેવા લાગ્યો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.ord

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142