Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 75
________________ લંકાસુંદરી સાથે હનુમાનજીનું યુદ્ધ લંકાના રક્ષણ માટે કિલ્લો બનાવ્યો હતો. માટીના ઘલાની માફક હનુમાનજીએ પળવારમાં તોડી ફોડીને તેનો ભૂક્કો બોલાવી દીધો. કિલ્લો તૂટવાના અવાજથી કિલ્લાના રક્ષક વજમુખે ક્રોધથી હનુમાનજી ઉપર હુમલો કર્યો. હનુમાને તેને એક પલકારામાં મારી નાંખ્યો. વજમુખની પુત્રી લંકાસુંદરી પોતાના પિતાના મરણથી ઘણી કોપાયમાન થઈ. તેણે હનુમાનજી ઉપર હુમલો કર્યો તથા તેના શરીર ઉપર ઘણા ગદાના પ્રહાર કર્યા. હનુમાનજીએ એક ગદાના પ્રહારથી તેના હથિયારોના ચૂરેચૂરા કરી નાંખ્યા. અચાનક તે લંકાસુંદરીના ગુસ્સાએ શરમનું સ્થાન લીધું. તેણે હનુમાનજીને પૂછ્યું- “હે વીર ! આપ કોણ છો? મારા પિતાના મરણથી હું નકામી ક્રોધે ભરાઈ, કારણ કે મને એક મુનિરાજે કહેલું કે તારા પિતાને મારનારો તારો પતિ બનશે. માટે હે નાથ ! મારા ભાગ્યોદયથી આપ મને મળ્યા છો. હનુમાનજીએ સન્માનપૂર્વક તેની સાથે ગાંધર્વવિવાહ કર્યો. એટલામાં સૂર્યાસ્ત થયો. હનુમાનજી લંકા તરફ જવા રવાના થયા. - બિભીષણના મહેલમાં હનુમાનજી સૂર્યોદય થતાં તેમણે લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં સૌથી પહેલા તે બિભીષણના મહેલમાં ગયા. બિભીષણે તેમને જોતાં જ આદર સત્કાર કર્યો અને માનપૂર્વક તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું – “આપના વડીલ બંધુએ સતી સીતાજીનું અપહરણ કરેલ છે. તેથી આપને મારો આગ્રહ છે કે આપ આપના ભાઈને સમજાવો. - - • ... •. • રાજલ [STER RE bb69056 EEK . *". • : S80 ઇgU75 ancionatore o f & PrWate Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142