Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રકાશકીય ઐતિહાસિક કાર્યનું સર્વોપયોગી સંસ્કરણ
યુગપુરુષ આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા.એ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ’ ચાર ભાગોમાં લખીને ઐતિહાસિક દૃષ્ટિથી મહાન કાર્ય કર્યું છે. તેઓના આ ઉપકારને સમાજ કદી ભૂલી નહિ શકે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ' ગ્રંથમાળાના આ ત્રીજા ભાગને, સુવિશ અને સહૃદય વાચકોનાં કરકમળોમાં પ્રસ્તુત કરતા અમોને પરમ સંતોષ અને ગૌરવનો અનુભવ થઈ રહ્યો છે. આ ભાગમાં વી. નિ. સં. ૧૦૦૦ થી વી. નિ. સં. ૧૪૭૫ સુધીના કાળનો ઇતિહાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ ભાગમાં દિગંબરસંઘના ભટ્ટારક પરંપરાનો ઉદ્ભવકાળ, એના ઉદ્ભવની રોમાંચક વાર્તા (કહાણી) અને આ પરંપરાના વિકાસ પર પ્રકાશ પાડતા જૈન જગતની સમક્ષ તે મહત્ત્વપૂર્ણ તથ્યોને પ્રસ્તુત કરવામાં આવેલ છે, જેનાથી જૈનસમાજના બધા સંઘ તેમજ તે સંઘોના વિદ્વાન અને શોધકર્તા સુધ્ધાં બિલકુલ અજાણ (નિતાંત અનભિજ્ઞ) હતા.
આ ત્રીજા ભાગના આલેખનનું કાર્ય શરૂ કરતાં પહેલાં અમે સર્વ પ્રથમ ‘મથુરા’ના સંગ્રહાલયથી આ વિષયને સંબંધિત સામગ્રી ભેગી કરવાનો પ્રયાસ કર્યો. ત્યાંથી યથેષ્ટ ઉપયોગી સામગ્રી મળી આવી. જેનો મહત્ત્વપૂર્ણ ઉપયોગ આ ગ્રંથની રચનામાં કરવામાં આવ્યો છે.
ત્યાર પછી રાજસ્થાનના અનેક ગ્રંથાલયો અને જ્ઞાનભંડારોમાંથી સામગ્રી એકત્રિત કરવામાં આવી. આમાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ સામગ્રી લબ્ધ-પ્રતિષ્ઠિત ઇતિહાસકાર (ઇતિહાસજ્ઞ) પંન્યાસ શ્રી કલ્યાણ વિજયજીના જાલોરનગરના જ્ઞાન ભંડારમાંથી, અમોને પ્રાપ્ત થઈ, જ્યાં અમારા વિદ્વાન સંપાદક શ્રી રાઠૌડે સ્વયં ઘણા સમય સુધી અહર્નિશ અથાગ પરિશ્રમ કરીને ઐતિહાસિક સામગ્રીનું આલેખનરૂપી સંકલન કર્યું.
આ શોધકાળમાં પંન્યાસજીના સંગ્રહમાં તિત્થોગાલિ પઈશય' નામના ગ્રંથની એક અતિ પ્રાચીન હસ્તલિખિત પ્રત મળી. આ ગ્રંથ ધાર્મિક તેમજ ઐતિહાસિક બંને દૃષ્ટિથી અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ગ્રંથની ગાથાઓનું સંશોધન, પુનઃ આલેખન, સંસ્કૃત છાયા, હિન્દી અનુવાદ અને તેનાં કેટલાંક નિગૂઢ સ્થળો પર સંપાદકીય ટિપ્પણી આપવી વગેરેનું કાર્ય શ્રી રાઠોડે આચાર્યશ્રી હસ્તીમલજી મ.સા. કે જે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) FFFFFF૭૭૭૭૭-૧