Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 20
________________ ૯ ધંધો ધર્મ કયારે બને ? શ્રાવક કુલક્રમથી આવેલો ધંધો કરે પણ કેવી રીતે અને કેવો કરે ? શાસ્ત્રકારો કહે છે કે જગતમાં જે ધંધો અનિંધ હોય તે જ કરે, વળી પોતાની મૂડીના પ્રમાણમાં ન્યાયપૂર્વક કરે. શાસ્ત્રકારોએ ધંધાને પણ ધર્મ કહ્યો છે કારણ કે ગૃહસ્થને ધંધા વગર તો ચાલે જ નહીં પણ તે ન્યાયયુકત હોવો જોઈએ. ન્યાયથી મળેલું દ્રવ્ય માણસને સન્માર્ગે વાળે છે. સન્મતિ આપે છે જ્યારે અન્યાયથી મળેલા ધનથી જીવનની શાંતિ હરાઈ જાય છે. અન્યાયના પૈસાથી - ધનથી ઉભા થયેલાં આજના દેરાસરોમાં પ્રભાવકતા જ દેખાતી નથી. મૂળ પાયો જ પવિત્ર નથી. તેથી તેના પર થયેલાં તીર્થો કેવી રીતે પવિત્ર બની શકે ? આપણે રોજ જેની બનાવેલી આરતી બોલીએ છીએ તેના કર્તા મૂળચંદ પોતે વડનગરના વતની હતા. જાતે ભોજક હતા. દર પૂનમે પગે ચાલીને તેઓ કેશરિયાજી જતા. ઘરમાં ગરીબી પણ ખૂબ જ. આવા ગરીબ ભોજકની બનાવેલી આરતી આજે ગામોગામ ગવાય છે. એમાં એમના પવિત્રભાવ રહેલા છે માટે. આજે બોલીઓમાં કરોડો રૂપિયા ખર્ચાય છે પણ ભાવશૂન્ય. ઘણીવાર દેખાદેખી અથવા ચડસાચડસીથી જ ખર્ચાતા હોય છે. અન્યાયનું ધન ચાલ્યું તો જાય છે સાથે ન્યાયથી મેળવેલા ધનને પણ લેતું જાય છે અને બદલામાં અશાંતિ, ફ્લેશો - રોગો વગેરે આપતું જાય છે. માટે પાપભીરૂ શ્રાવકે અનેક પાપોને ખેંચી લાવનારા... અનેક અશાંતિઓને લાવનારા ધંધાનો ત્યાગ કરવો જોઈએ. ચાહે તે કુલક્રમથી આવતો હોય તો પણ... જેમ સુલસે ત્યાગ કર્યો હતો તેમ. તે સુલસ કોણ હતો ? પાપભીરૂ સુલસ : રાજગૃહ નગરમાં કાલસૌકરિક નામનો કસાઈ રહેતો હતો. તેને સુલસ નામનો પુત્ર હતો. આ કસાઈ રોજ ૫૦૦ પાડાનો વધ કરતો હતો. આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118