Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 69
________________ ૫૮ ત્યાં ધર્મઘોષસૂરિ મહારાજ પધારે છે. તે કોણ હતા ? પરિગ્રહ પરિમાણ પેથડનું : વડના વૃક્ષની નીચે પૂ. જગતચંદ્રસૂરિ મહારાજની આચાર્ય પદવી થઈ અને ગચ્છની સ્થાપના થઈ માટે વડગચ્છ કહેવાયો. વડની જેમ વિસ્તાર પામ્યો. આવા સ્થાનોમાં પણ પદવી વગેરે થતું. તે જગતચંદ્રસૂરિ મહારાજે જીંદગી સુધી બે જ દ્રવ્યના આંબિલ કરેલાં. ખૂબ જ તપસ્વી હતા માટે આધાટ નગરના રાણાએ તેમની આવી ઉગ્રતપશ્ચર્યા જોઈને તેમને ‘તપા’ એવી પદવી આપી. તેથી આજે તે ગચ્છ તપાગચ્છ તરીકે ઓળખાય છે. મૂળમાં આવા મહાતપસ્વીઓની ભાવના પડી છે તેથી આજે ચારે બાજુ તપધર્મની બોલબાલા છે. તેમના પછી દેવેન્દ્રસૂરિ મહારાજ આવ્યા. તેમના શિષ્ય ધર્મઘોષસૂરિ મહારાજ. નાની ઉંમરમાં છએ વિગઈનો ત્યાગ. ૬૪ જોગણીઓ તેમને વશ હતી. ભારે સિદ્ધિઓ તેમણે હસ્તગત કરી હતી. આવા પ્રખર ત્યાગી-તપસ્વી છે. દેશના ચાલી રહી છે. પરિગ્રહ પરિમાણ પર ગુરૂભગવંત દેશના આપી રહ્યા છે. વ્યાખ્યાનમાં પેથડશાહ પણ આવેલા છે. ગુરૂ ભગવંત શ્રાવકોને વ્રત ગ્રહણ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. કોઈ શ્રાવક ઉભા થતા નથી. ગુરૂ ભગવંતે કહ્યું કે છેવટે તમારી ઈચ્છાનું તો પરિમાણ કરો. આખી સભા સાંભળે છે પણ હજુ કોઈ ઉભું થતું નથી. ત્યાં પેથડશાહ ઉભા થયા. ગુરૂ મહારાજ પાસે આવી હાથ જોડીને કહે છે કે સાહેબ મને પરિગ્રહ પરિમાણ કરાવો. બીજા શ્રાવકો તેમના મેલાંઘેલાં કપડાં જોઈને મશ્કરીમાં કહે છે કે હા, હા સાહેબ પેથડને કરાવો. કરાવો. એટલામાં પેથડની હસ્તરેખા પર ગુરૂમહારાજની નજર પડે છે. ગુરૂ મહારાજ પૂછે છે કે કેટલું કરાવું ? ૨૦ રૂપિયાનું. ગુરૂ મહારાજે કહ્યું કે ભાઈ શ્રાવકને ૨૦ રૂપિયાનું પચ્ચખાણ ન હોય... પણ આજે તો એક રૂપિયાના જ્યાં સાંસા હોય ત્યાં ૨૦ તો અધધ થઈ જશે. ૩૦ રૂપિયાનું કરાવો. ગુરૂ મહારાજે ના પાડી. ખેંચતાં ખેંચતાં ૫ લાખ સુધી ખેંચી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118