Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 105
________________ ૯૪ ભેટ આપ્યા. અંતે બધા પ્રતિબોધ પામીને ખુદ્દગકુમાર પાસે પ્રવ્રજ્યા લે છે. ખુદ્દગકુમાર ગુરૂ પાસે આવે છે. ગુરૂ મહારાજ તેમની ખૂબ પ્રશંસા કરે છે. આમ દાક્ષિણ્યગુણથી લાંબા કાળ સુધી પ્રવ્રજ્યાનું પાલન કરીને અંતે મુક્તિ સુખના ભોક્તા બને છે. જો દાક્ષિણ્ય ગુણ ન હોત તો આટલા લાંબા સમય સુધી અનિચ્છાએ પણ સંયમ જીવનનું પાલન કરત નહીં. એક વ્યક્તિએ કેટલાને તાર્યા. જીવનમાં આ ગુણ ખૂબ જરૂરી છે. કોઈ પર્વના દિવસે આપણે કંઈ નહીં કરતા હોય અને કોઈક આવીને આપણને કહે કે ભાઈ ! આજે તો મોટો દિવસ છે પૂજા તો કરવી જ જોઈએ. અમુક તપ તો કરવો જ જોઈએ. જો આ ગુણ પડ્યો હશે તો આપણે આંખની શરમે પણ કરીશું. આમ ધર્મને યોગ્ય શ્રાવક એ દાક્ષિણ્યગુણથી યુક્ત હોવો જોઈએ. ભાદરવા સુદ-૧૪ ધર્મને યોગ્ય શ્રાવકનો નવમો ગુણ-લજ્જા જગતમાં પદાર્થોની ગમે તેટલી શોધો થશે, ગમે તેવા પદાર્થો આંખને આંજી દેવા માટે તૈયાર થશે પણ એ બધું ક્યાં સુધી ? આંખ મીંચાય ત્યાં સુધી જ ને ! બધી શોધો ભલે આશ્ચર્યકારક લાગતી હોય પણ છેવટે તેનું મૂલ્ય કંઈ જ રહેતું નથી. આ બધી શોધો કદાચ અમૂક કાળ સુધી અમૂક પ્રશ્નો ઉકેલી શકશે પણ શું જનમો-જનમના પ્રશ્નો ઉકેલી શકશે ? ના, જનમો-જનમના પ્રશ્નોને ઉકેલવાની તાકાત ધર્મમાં છે. બીજી કોઈ ગમે તેટલી અમૂલ્ય ચીજ હોય પણ તેમાં આ સામર્થ્ય નથી. ધર્મ માટે પહેલાં પાત્રતા કેળવો. શાસ્ત્રકારો કહે છે કે સંપત્તિઓ પાત્રમાં પોતાની મેળે આવીને ઉભી રહે છે. પાત્રતા આવશે તો મોક્ષ પોતાની મેળે મળશે એની ઝંખના શું? તું કોઈ વસ્તુની શોધ કરીશ નહીં, સંપત્તિઓ તારી શોધ કરી રહી છે. લક્ષ્મી એ સ્વયંવરા સ્ત્રી જેવી છે તે શોધવા જશો તો મળશે નહીં. પણ આજે માણસ ધર્મ ને બદલે ધનની પાછળ ઘેલો બન્યો છે. કદાચ કોઈ જીવાત્મા ધર્મને ઈચ્છે તો પણ ધર્મની સાચી સમજણ નહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118