Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 110
________________ ૯૯ કહ્યું કે હવે માર્ગ બરાબર દેખાય છે માટે. આંખથી દેખાય છે કે જ્ઞાનથી ? તેણે કહ્યું કે જ્ઞાન દ્વારા. ગુરૂદેવ ચમક્યા... પૂછ્યું કે કયા જ્ઞાનથી ? આવીને ચાલ્યું જાય તેવું કે ન ચાલ્યું જાય તેવું? ગુરૂદેવ આપની કૃપાથી ચાલ્યું ન જાય તેવું અર્થાત્ કેવલજ્ઞાન... ત્યાં તો પ્રભાત થયું. શિષ્યના મસ્તક પર રહેલા લોહીના ડાઘ જોઈને તેમનું મન ખૂબ પશ્ચાત્તાપ અનુભવવા લાગ્યું. ગુરૂદેવનો આત્મા પશ્ચાત્તાપે ચડ્યો... અરેરે ! મેં કેવલીની આશાતના કરી.. તેમણે પોતાની જાતને ધિક્કારવા માંડી.. ધિક્કાર છે મારા પાંડિત્યને, ધિક્કાર છે મારા ઉંમરના પરિણામને અને ધિક્કાર છે મારા દીર્ઘશ્રમણપર્યાયને, કે જેના વડે મેં મારો ક્રોધરૂપી પિશાચ વશ ન કર્યો. જુઓ ને ! આ હજુ આજના જ દીક્ષિતે પોતાનું કાર્ય સાધી લીધું. આમ મહાવૈરાગ્યમાં ડૂબેલા ગુરૂદેવને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે લજ્જાળુ એવા શ્રેષ્ઠિપુત્રે સંયમજીવનને સ્વીકાર્યું અને સુંદર આરાધન કરીને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ લજ્જા એ અસંખ્ય પાપોમાંથી બચાવનાર. અને કેવળજ્ઞાન સુધી પહોંચાડનાર સર્વ ગુણોની માતા છે. ભાદરવા સુદ-૧૫ ધર્મને યોગ્ય અધિકારીનો દસમો ગુણ દયા રાજીનામું એ ચાવી સંસાર અને મોક્ષની ચાવીઓ ગુરૂભગવંત બતાવે છે પણ જ્યાં સુધી આપણા હાથમાં સાચી ચાવી આવતી નથી ત્યાં સુધી મોટા-મોટા ચાવીના ઝુડાઓ હોય તો પણ શું કરવાના ? કારણ.. કે જે તિજોરીને ખોલવી હોય તે તિજોરીની જ ચાવી લગાડવી પડે. બાકી જો ચાવીનો ખ્યાલ ના હોય અને એમને એમ મોટી-મોટી ચાવીઓ લગાડીને હેન્ડલ ઘુમાવ્યા કરીએ તો શું તિજોરી ખૂલશે ખરી ? ના, શેઠ રજા આપે એ પહેલાં જ નોકર પોતાની જાતે જ રાજીનામું આપી દે તો એ માનભેર ફરી શકે અને કહી શકે કે શેઠ પગાર બરાબર આપતા ન્હોતા. આવા હતા કે તેવા હતા... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118