Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 73
________________ ૬ ૨ છે ઈનામમાં આપી. ગુરૂમહારાજને વાંદવા માટે જાય છે. વિનંતી કરે છે કે , પ્રભુ ! મારે પરિગ્રહના પરિમાણ કરતાં ઘણું ઘન વધારે છે તેથી આપ આજ્ઞા કરી કે તેનો વ્યય ક્યાં કરવો ? ગુરૂ મહારાજની આજ્ઞાથી માંડવગઢની અંદર અઢાર લાખ રૂપિયાના ખર્ચે સોનાના કળશ અને ધ્વજાદંડ સહિત “શત્રુંજયાવતાર' નામનું બહોંતર જિનાલયવાળુ દહેરાસર બનાવ્યું. બીજા પણ ઘણાં સારાં કામો કર્યા. એક દિવસ પેથડને સાધર્મિકભક્તિ કરવાનું મન થયું. માંડવગઢમાં લાખો જૈનોની વસ્તી... બધાની યાદી કરાવી. તેમાં દુઃખી કોણ છે? કોને કેટલી જરૂરીયાત છે વગેરે પૃથક્કરણ કર્યું. પછી સમકિત મોદકની પ્રભાવના કરી, ઘડાની અંદર લાડુ ભરીને દરેક કુટુંબની જરૂરિયાત પ્રમાણે અંદર સોનામહોરો નાખી. આમ ગુપ્ત રીતે તેમણે સાધર્મિક ભક્તિ કરી. વળી ગામમાં કોઈ નવા શ્રાવકને રસ્તામાં સામે આવતો જુએ તો રસ્તામાં ઘોડા પરથી નીચે ઉતરીને તેને પ્રણામ કરતા... આવું અજબકોટિનું બહુમાન તેમને સાધર્મિકો તરફ હતું. ભેટથી બ્રહ્મચર્ય સ્વીકાર : તામ્રાવતી નામની નગરીમાં ભીમ નામે એક શ્રાવક હતો. બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર આ ભીમે સાધર્મિક ભક્તિને માટે બ્રહ્મચર્યને ધારણ કરનાર સાતસો ભાઈઓ પર પૂજાની જોડી મોકલી. મંત્રી તરીકે એક જોડી પેથડશાહને ઘેર પણ આવી. પેથડશાહે તે જ વખતે તેને નગરની બહાર મોકલી. અને પછી મોટા પ્રવેશોત્સવ પૂર્વક તેને ઘેર આણી. પેથડશાહ રોજ આ જોડીની પૂજા કરે છે પણ શરીર પર ધારણ કરતા નથી. તે જોઈને તેમના પત્ની પ્રથમિણીને શંકા થઈ કે સાધમિક આ જોડી પહેરવા માટે મોકલી છે પણ આ કેમ પહેરતા નથી ? કેમ મૂકી રાખે છે? પ્રથમિણીએ પોતાના પતિને વાત કરી. પેથડશાહે કહ્યું કે હે દેવી! ને બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનારા તે ભીમે બ્રહ્મચર્યને ધારણ કરનારાને જ આ 6 આ ચીજ મોકલી છે. હું તો તેવા બ્રહ્મચર્ય વ્રતવાળો નથી, તેથી તેને પહેરતો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118