Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 58
________________ ४७ : '? \ તું તો અહીં બેઠો બેઠો રાજ કરે છે પણ મને મારા ખરા દિકરાએ હજ છે ' કરાવી... મારી બધી જાતની સાર-સંભાળ રાખી અને અહીં સુધી મને મુકવા આવ્યો છે. મા તમારો ખરો દીકરો કોણ છે? તેને સાથે કેમ ન લાવ્યા ? નગરની બહાર પડાવ નાખીને રહ્યો છે. બાદશાહ વસ્તુપાળને સભામાં બોલાવે છે. સન્માન કરે છે અને કહે છે તમે મારી માની ખૂબ સંભાળ લીધી.. હું પ્રસન્ન થયો છું માંગો જે જોઈએ તે માંગી લો.. વસ્તુપાળ કહે છે કે રાજન્ ! મારે બીજું કંઈ જોઈતું નથી પણ મમ્માણી ખાણમાંથી પથ્થર જોઈએ છે. બસ, માંગી-માંગીને પથ્થર, માંગ્યા? બીજું કાંઈ જર-ઝવેરાત માંગો... ના, બસ આપની મહેરબાની.. પથ્થર કાઢવાની રજા મળી ગઈ.. ખાણમાંથી પાંચ પથ્થર કાઢયા. એ પથ્થરના ગામોગામ સામૈયાં થયાં. વાજતે-ગાજતે પૂજાતા એ પથ્થરો ગિરિરાજ પર લાવવામાં આવ્યા. અને ત્યાં ભોંયરામાં મૂકાવ્યા. એ પથ્થરમાંથી દાદાની મૂર્તિ કેવી રીતે બની તે હવે જોઈએ. શત્રુંજયનો ૧૫મો ઉધ્ધાર : પેથડશાહે શંત્રુજ્ય પર સોનાની ચીપોથી મઢેલું દહેરાસર બનાવેલું. મોગલ બાદશાહનું રાજ્ય ચાલતું હતું. ૧૪મી શતાબ્દીની મધ્યમાં અલ્લાઉદ્દીન ખીલજીનો ઉદય થયો. તેણે અસંખ્ય જિનમંદિરોને જમીનદોસ્ત કરી નાખ્યાં. એક લાખ સૈનિકો સાથે શંત્રુજય ચઢયો. દહેરાસરો લૂંટવા માંડ્યો. સોનાની ચીપો કાઢી લીધી, એટલું જ નહી પણ મૂળનાયક ભગવાનને ખંડિત કર્યા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. મુસલમાનોનું સામ્રાજ્ય પથરાયેલું. હિન્દુ રાજાઓ નબળા પડી ગયેલા. ગિરિરાજ પર ફરી પ્રતિષ્ઠા કોણ કરાવે ? બાદશાહો મૂર્તિભંજક હતા તેમની પાસેથી રજા મળવી મુશ્કેલ હતી. પાટણમાં સમરાશાહ નામે મોટો શ્રાવક હતો. તેને દિલ્હીના બાદશાહ સાથે સારો પરિચય. તેથી દિલ્હી પહોંચ્યો. રાજાને વિનંતી કરી. તેનો પ્રભાવ % પડતો હતો. તેથી બાદશાહ તેની વિનંતીને નકારી ન શકયા. મૂર્તિની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118