Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 56
________________ ૪૫ સાડાતેર સંઘ કાઢશો... : એ સમયમાં તીર્થયાત્રા ખૂબ જ દુર્લભ હતી. સરહદો બદલાતી રહેતી તેથી લૂંટારાનો ભય ખૂબ રહેતો. ત્યારે સંઘની પ્રથા પડી. કોઈ મોટો ધનપતિ હોય તે સંઘ કાઢતો અને તેમાં હજારો યાત્રાળુઓ જોડાતા. વસ્તુપાળે સંઘ કાઢવાની તૈયારી કરી. સાત લાખ માણસો હતા. સંઘ લઈને નીકળ્યા. નગરની બહાર આવતાં જ ચકલીનો મોટો અવાજ કાને પડયો. વસ્તુપાળે જ્યોતિષને પૂછ્યું કે આ અવાજ શુકનવંતો છે તેનો અર્થ શું? જ્યોતિષે તપાસ કરી કે ચકલીનો અવાજ કેટલે દૂરથી આવે છે ? તપાસ કરતાં જણાયું કે સાડાતેરમા મકાનમાં ચકલી બોલી રહી છે. તે આધારે જ્યોતિષે કહ્યું કે તમે સાડાતેર સંધ કાઢશો. (ક્યાંક સાડા બાર સંઘની પણ વાત આવે છે.) જાઓ ફતેહ કરો. સંઘે પ્રયાણ કર્યું. દરેક ગામમાં દરેક સંસ્થાઓને મદદ કરતો કરતો સંઘ સિદ્ધાચલે પહોંચ્યો. ગિરિરાજ ચઢયો. બીજા એક પ્રસંગે વસ્તુપાલ યાત્રાએ ગયા હતા, ત્યારે દાદાના પ્રક્ષાલમાં જબરી ભીડ જામી હતી. લાખો યાત્રિકો હતા. જીવનમાં એકાદ વાર આવી યાત્રા થાય. લોકો ઉત્સાહમાં છે. પડાપડી થઈ રહી છે, ત્યાં પૂજારીએ જોયું કે કોઈના હાથમાંથી કયાંક કળશ છટકીને ભગવાન પર પડશે તો ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જશે. આવા ભયથી ભગવાનની નાસિકા સુધી ફૂલો ઢાંકી દીધા. કળશ આજના જેવડા નાના નહોતા ત્યારે તો ઘડા જેવડા મોટા કળશ હતા. વસ્તુપાળે આ જોયું તેમનું મન દ્રવી ઉઠયું. કળશ વગેરેના કારણે અથવા તો ભવિષ્યમાં મુસલમાનોનું જોખમ છે, તેથી ગમે ત્યારે મુસલમાન બાદશાહો ચડી આવે અને મારા ભગવાનને કંઈ નુકશાન થાય તો મારા સાધર્મિકો પ્રભુદર્શનથી વંચિત રહી જશે. ત્યાં પુનડશાહ નામનો બીજો એક શ્રીમંત માણસ પણ દિલ્હીથી સંઘ લઈને આવેલો છે. તેને વસ્તુપાળે કહ્યું કે તમારે બાદશાહ સાથે સારો મેળ છે ત્યાં દિલ્હીમાં મમ્માણી નામની આરસની ખાણ છે તો તેમાંથી મૂર્તિ માટે સારો પથ્થર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118