________________
TP આદરિયાણાના ચોમાસામાં પણ પૂજ્યશ્રીએ આ ગ્રંથ પર જ વિવેચન કરેલું છે
તેની અમુક નોંધી હતી તેના આધારે તથા અમદાવાદના ચોમાસામાં આપેલા પ્રવચનના અમુક મુદ્દાઓ લઈને આ બુક તૈયાર કરેલી છે.
અલ્પબુદ્ધિ એવી મારા માટે આ કામ ઘણું કપરું હતું છતાં પૂ. તારકગુરૂદેવની કૃપા અને સંઘમાતા, શતવર્ષાધિકાય એવા પૂ. બા.મ. શ્રી મનોહરશ્રીજી મ.સા. (પૂ. જંબૂવિજયજી મ.સા. ના માતૃશ્રી) તથા પૂ. સેવાભાવી ગુરૂદેવ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.ના શુભાશિષો એ મારું પ્રેરક બળ છે. વળી હાલ સંયમજીવનની અપ્રમત્તભાવે આરાધના કરતાં મારા પૂ. પિતાશ્રી ધર્મઘોષ વિજયજી મ.સા. તથા માતુશ્રી આત્મદર્શનાશ્રીજી મ.સા. ના નેહાશિષોનો મને સાથ મળ્યો છે. - પૂજ્ય ગુરૂદેવે છેલ્લા મુફ ઉપર નજર નાખીને રહેલી ક્ષતિઓને દૂર કરી તે બદલ તેમની હું ઋણી છું. તથા શિષ્ય પરિવારે મુફ વાંચનમાં મદદ કરી છે તે બદલ તેમનો પણ હું આભાર માનું છું અને પૂજ્ય ગુરૂદેવના નિખાલસ વિચારોને લોકોના દિલ સુધી પહોંચાડવા માટેની પ્રેરણા આપનાર શ્રી અજયભાઈનો હું ખૂબ-ખૂબ આભાર માનું છું.
અંતમાં આ પુસ્તક આજના યુવાવર્ગને પણ સાચો રાહ બતાવનારું બને અને અનેકોને સવિચાર આપનારું બને એજ મનઃકામના. બીજા ગુણો હવે અવસરે જોઈશું.
વીતરાગની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો વાચકગણ ક્ષમા કરે.
આ પુસ્તક વાત્સલ્યમયી ગુરૂમાતાના ચરણે સમર્પિત કરીને હું યત્કિંચિત ઋણ મુક્ત બનવા ઈચ્છું છું.
સંવત ૨૦૫૩ પોષ વદ - ૩ શંખેશ્વર તીર્થ
- મનોહરશિશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org