Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 276
________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૪૧ છે. છબસ્થ ગણધરો કરતાં તીર્થકરોની પ્રમાણભૂતતા વધારે છે, તેથી સૂત્રમય શાસ્ત્ર કરતાં અર્થમય શાસ્ત્ર મહાન છે. અર્થનું જ્ઞાન ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન છે. જે અર્થનું જ્ઞાન પામ્યો તે શ્રુતના ઔદંપર્યને (રહસ્યને) પામ્યો. શાસ્ત્રમાં આચાર્યને અર્થના વેત્તા કહ્યા છે, ખાલી સૂત્રના જાણકારને આચાર્ય ન કહેવાય. સૂત્રજ્ઞાન ધરાવનાર ઉપાધ્યાય છે, અર્થજ્ઞાન ધરાવનાર આચાર્ય છે. ભાવાચાર્યની નવ પ્રકારે તીર્થકર સાથે તુલના કરી છે. તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્યને તીર્થકર સમાન કહ્યા. તીર્થકરની જવાબદારી તે આચાર્યની જવાબદારી કહી. તીર્થકરની હાજરીમાં ગણધરો સૂત્રની વાચના આપે, તેમ ઉપાધ્યાય સૂત્રજ્ઞાન પ્રદાન કરે. તીર્થકરો સ્વયં દેશનામાં અર્થમય તત્ત્વનો પ્રબોધ કરે, તેમ આચાર્યો અર્થનો જ ઉપદેશ આપે. આ શક્તિ ભાવાચાર્યમાં અવશ્ય હોય. શાસ્ત્રમાં ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે. નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય. ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છે; કારણ કે તે અર્થમય દ્વાદશાંગીના ધારક છે. અર્થજ્ઞાન સર્વોપરી છે, વિષયરૂપે સનાતન-શાશ્વત છે. પ્રત્યેક તીર્થકરોના શાસનમાં સૂત્રરૂપે બદલાતી દ્વાદશાંગી ધ્રુવ અર્થનું જ્ઞાન કરાવવા માધ્યમ છે. 'પ્રાયઃ સૂત્રજ્ઞાન પામીને જ અર્થજ્ઞાન તરફ જઈ શકાય છે. સૂત્ર-અર્થમય શાસ્ત્ર સમાન આ જગતમાં પરમ સત્યને પામવાનું બીજું કોઈ સાધન નથી. સમગ્ર કલ્યાણકારી તત્ત્વ કે કલ્યાણનો માર્ગ દિશાસૂચનરૂપે તેમાં જ સમાયેલો છે. તેના અવલંબન વિના સાચી દિશા બતાવનાર કોઈ નથી. શાસ્ત્રનું કામ તમને જીવનમાં ઉન્નત દૃષ્ટિ આપવી, તેને પામવાનો આચારમાર્ગ પૂરો પાડવો, તેમ જ તેની આધારશિલારૂપ સિદ્ધાંતો સમજાવવા તે છે. કોઈ પણ વચન સર્વજ્ઞનું (પૂર્ણજ્ઞાનીનું) છે કે નહિ તેની ખાતરી આ પરીક્ષા જ છે. જે શાસ્ત્રવચનમાંથી સાચો આદર્શ ઉદ્ભવતો હોય, વળી તે આદર્શને જીવનમાં ચરિતાર્થ કરે તેવો આચારમાર્ગ જેમાં દર્શાવ્યો હોય, અને તેને અનુરૂપ જ પદાર્થવિજ્ઞાન ફલિત થતું હોય તે શાસ્ત્રવચન નિયમથી સાચું. તેમાં એકાંતે કલ્યાણકારિતા છે જ. ૨ જૈનશાસ્ત્રોમાં કોઈ પણ વચન લેશો તો તેમાં અવશ્યપણે ઉન્નત આદર્શ, તેની સાધક ક્રિયા અને તેને અનુરૂપ પાયાનો સિદ્ધાંત અવશ્ય ફલિત થતો હોય છે. દા.ત.“કરેમિ ભંતે १ (षिच्)षिंच क्षरणे' सिञ्चति क्षरति यस्मादर्थान्, ततो निरुक्तविधिना सूत्रम्। अथवा, निरुक्तविधिनैव सूचयति, स्रवति वाऽर्थानि ति सूत्रम्। श्रूयत इति वा सूत्रम्। सीव्यते विशिष्टघटनामानीयत इति वा सूत्रम्। सरति वाऽर्थमनुगच्छति यस्मात् ततः સૂત્રમતા૩િ૬૮ાાં તથાअर्थव्याख्यानतो यावदद्याप्यविवृतं तावत् सूत्रं सुप्तमिव सुप्तमुच्यते, प्राकृतशैल्या च ‘सुत्तं' इति। अथवा, सुस्थितत्वात् प्रमाणाबाधितत्वात्, व्यापितत्वाच्च (सूक्तं)सूत्रम्, प्राकृतत्वादेव च ‘सुत्तं' ।... (વિશેષાવશ્વમાગ ફ્લોર ૨૬૮-૨૩૬૨ ટી) २ 'श्रुतस्ये'ति-प्रवचनस्य सामायिकादिचतुर्दशपूर्वपर्यन्तस्य, 'भगवतः'समग्रैश्वर्यादियुक्तस्य । सि(शु)द्धत्वेन समग्रैश्वर्यादियोगः। न ह्यतो विधिप्रवृत्तः फलेन वञ्च्यते; व्याप्ताश्च सर्वे(प्र0 व) प्रवादा एतेन; विधिप्रतिषेधाऽनुष्ठानपदार्थाविरोधेन च વર્તતા (१) 'स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यम्, सर्वे जीवा न हन्तव्या' इतिवचनात्; (२) 'समितिगुप्तिशुद्धा क्रिया असपत्नो योग' इतिवचनात्; (३) 'उत्पादविगमध्रौव्ययुक्तं सत्, एकद्रव्यमनन्तपर्यायमर्थ' इतिवचनादिति। (ललितविस्तरा टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396