Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 367
________________ ૩૩૦ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ બળમાં ચિડયાતા જણાય છે. વ્યવહારથી તે પણ જૈન જ છે; કારણ કે મહાવીરના જ અનુયાયી છે. તેથી ઉદારમતવાદીઓનું તો કહેવું છે કે તે પણ આપણા ભાઈઓ જ છે. તેમને પણ જૈનસંઘ કહેવામાં શું વાંધો ? પરંતુ ત્યાં શાસ્ત્રકારોએ કડક શબ્દોમાં લખ્યું કે, જેમણે આગ્રહપૂર્વક જિનવચનના સત્યને નકાર્યું છે, અનેકાંતના સિદ્ધાંતથી વેગળા થયા છે, તેવો `આશાનિરપેક્ષ સંઘ પ્રાણ વગરના કલેવર જેવો હાડકાંનો માળો છે. તમને આ શબ્દો વધારે પડતા કઠોર કે કડક લાગશે. પણ જ્ઞાનીઓએ યુક્તિપૂર્વક સમજાવ્યું છે કે જેમ દેહમાં પ્રાણ ચાલતા હોય, જીવનક્રિયા ગતિશીલ હોય, તો જ તે દેહ ઉપયોગી છે, તેમ તીર્થંકર સ્થાપિત ઉપાસકોનો સમૂહ શ્રીસંઘ, તેનો પણ પ્રાણ જિનાજ્ઞા જ છે. જો શ્રીસંઘરૂપ દેહમાંથી અતિ મહત્ત્વપૂર્ણ તારક જિનાજ્ઞા વિલીન થઈ જાય, તો તે શ્રીસંઘ તેની સ્વ કે પરને તારવારૂપ તારકશક્તિથી શૂન્ય ટોળું બની જાય છે. તેથી નિષ્પ્રાણ કલેવર તુલ્ય હાડકાંનો માળો એ ઉપમા તેવા સમૂહ માટે યોગ્ય જ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે, ટોલે પણ જો ભોલે, અંધ પ્રવાહ નિપાત; આણા વિણ નવિ સંઘ છે, અસ્થિ તણો સંઘાત. જિનાજ્ઞાની સદ્દહણા પર એટલો બધો ભાર મૂક્યો છે કે શાસ્ત્રોમાં ત્યાં સુધી વિધાન આવે છે કે, એક બાજુ સમૂહરૂપે આખો સંઘ ભેગો થાય, પરંતુ તેની વાત જિનાજ્ઞાવિરુદ્ધ હોય તો, સત્ય જિનાજ્ઞા સમજનાર એક વ્યક્તિ પણ તેનો અસ્વીકાર કરી શકે છે; એક સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા પણ વિનયથી અસ્વીકાર કરી શકે છે. હાથ જોડીને કહે કે આ જિનાજ્ઞા છે, તમારી વાત જિનાજ્ઞાવિરુદ્ધ છે. છતાં હું કાંઈ ભૂલતો હોઉં, મારી ગેરસમજ હોય તો સમજાવો, પણ ખાતરીપૂર્વક આજ્ઞા જાણ્યા પછી તેની વિરુદ્ધની વાત હું સ્વીકારીશ નહીં. અરે ! શ્રીસંઘને પણ તેવો સ્વીકારનો આગ્રહ કરવાનો અધિકાર નથી. સભા ઃ આવું કરનાર ઝઘડાખોરમાં ખપે. સાહેબજી ઃ નાસમજ એવું પણ વિચારે. જેમ મેં દિગંબરોની ટીકા કરી તો કદાચ સભામાં કોઈને લાગે કે મહારાજ દિગંબરોની નિંદા કરનારા છે. પણ મને તેમની નિંદામાં કોઈ રસ નથી. જ્યાં આજ્ઞાગુણ હોય, આજ્ઞાનુસારી આરાધના હોય તો અમે જરૂ૨ સ્વીકારીએ. પણ સત્ય તો કહેવું જ પડે કે દિગંબરમતમાં અનેકાંત સચવાયો નથી. પ્રત્યક્ષ જોવા છતાં વાસ્તવિકતા ન બોલીએ અને અવસરે છુપાવી રાખીએ તો સત્ય જાણ્યાનો મતલબ શું ? અમને વ્યક્તિગત કોઈ વાંધો નથી, પણ તટસ્થતાથી તુલના કરીએ તો કહેવું જ પડે કે તેમણે મહાવીરના સિદ્ધાંતોને છેહ આપ્યો છે. સર્વ તીર્થંકરો આ સ્યાદ્વાદને જ સ્થાપિત કરે છે, જ્યાં સ્યાદ્વાદ નથી ત્યાં સમકિત છે જ નહીં. સમકિતનું પાયાનું બીજ જ સ્યાદ્વાદ છે. જૈન થઈને આવા શ્રેષ્ઠ સિદ્ધાંતનો છેહ કરે તો અમે કહીએ કે તે જિનાજ્ઞાનો દ્રોહ છે. ૧ आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, (योगविंशिका श्लोक १४ टीका) ★ 'नाण'त्ति। यो ज्ञानचरणसङ्घातं रागद्वेषैः अनेकव्यक्त्यपेक्षया बहुवचनम्, विसङ्घातयति सः 'अबुद्धः' मूर्खो गृहिसङ्घा आत्मानं 'सङ्घातयति' मेलयति स परमार्थतो न सङ्घः, ज्ञानचरणसङ्घातलक्षणप्रवृत्तिनिमित्तभावात् तात्पर्यबललभ्यविशिष्टव्युत्पत्तिनिमित्तस्यैव प्रवृत्तिनिमित्तत्वात्, सङ्घातनमात्रव्युत्पत्तिनिमित्तापेक्षया त्वस्थिसङ्घातनरूपः स सङ्घ इत्युक्तं प्राक् । ।१४१ । । (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक १४१ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396