Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 331
________________ ૨૯૪ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પણ ચારિત્રનો જે આચાર છે તેમાં અમુક પ્રકારનો તફાવત આવે તો તેને સામાચારીભેદ કહેવાય. એક કુલની એક સામાચારી. 'સામાચારીભેદ કુલભેદનું નિયામક ધોરણ છે. સામાચારીનો ભેદ હોય તેવાં જુદાં જુદાં કુલોના સમૂહને ગણ કહેવાય છે. સમાન સામાચારીવાળા ગચ્છોના સમુદાયને કુલ, કુલોના સમુદાયને ગણ અને આવા અનેક ગણ ભેગા થાય એટલે શ્રીસંઘ કહેવાય. સભા : સામાચારીભેદ એટલે ? સાહેબજી સામાચારી એ આચારના by-laws-ગૌણ નિયમો છે. સર્વ સુસાધુઓ પંચમહાવ્રતધારી હોય અર્થાત્ પાંચ મહાવ્રતો તો દરેક પાળતા હોય. પરંતુ અમુક ક્ષેત્રમાં એવા સંયોગો હોય કે ગચ્છમાં સ્પેશિયલ નિયમ કરવો પડે. તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળની અપેક્ષાએ પેટા આચારના નિયમોમાં હિતકારી ફેરફાર થાય અને તેથી લાંબે ગાળે ગચ્છોમાં જે પરસ્પર વર્તનનો ભેદ દેખાય તે સામાચારીભેદ કહેવાય. સભા : દાખલો આપો. સાહેબજી : સાધુ પોરિસિ સમયે પાતરાં પડિલેહણ કરે, અને ભિક્ષાનો સમય થાય ત્યારે વહોરવા નીકળે આ સામાન્ય આચાર છે. હવે જ્યાં બહુ સાપ-વીંછી વગેરે જંતુઓનો ઉપદ્રવ હોય તેવા ક્ષેત્રમાં વિહાર કરતાં કરતાં ગયા હોય ત્યાં આવી જીવાતોના ઉપદ્રવના કારણે ગીતાર્થ ગુરુને કહેવું પડે કે, ભિક્ષા સમયે પાતરાઓનું ફરી પડિલેહણ કરવું. પણ આ નિયમ તે ક્ષેત્રના ગચ્છમાં જ લાગુ પડે. પરંતુ લાંબો સમય તેવા ક્ષેત્રમાં વિચરવાથી તે ગચ્છના રોજિંદા આચારમાં આ વણાઈ ગયું હોય. તેથી આ નિયમ સામાન્ય સાધુ રહસ્ય જાણ્યા વિના પણ નિયત પાળે. પછી બીજા ગચ્છના સાધુ ભેગા થાય એટલે કહે કે અમારો આ આચાર છે. બીજો સાધુ કહે કે અમારો આ આચાર છે. અમને ગુરુ તરફથી આ વ્યવહારની શિક્ષા મળેલ છે. તો આવા શાસ્ત્રઅબાધિત આચારભેદમાં કહી દે કે કોઈ વાંધો નહીં, ગચ્છભેદે આચારભેદ સંભવિત છે. આવા તફાવતથી કોઈનું મહાવ્રતરૂપ ચારિત્ર નિષ્ફળ થઈ જતું નથી. તેવી જ રીતે કોઈ ક્ષેત્રમાં અમુક દ્રવ્યનો ઉપયોગ સાધુને અજયણા આદિનું વિપુલ કારણ બનતું હોવાથી ગોચરીમાં તે દ્રવ્ય ન લાવવાનો નિશ્રાદાયક ગુરુએ આદેશ કર્યો હોય, જે લાંબા સમયે ત્યાગરૂપે રૂઢ થયો. જ્યારે બીજા ગચ્છમાં તે દ્રવ્ય ભિક્ષામાં વપરાતું હોય અને શાસ્ત્રનો પણ કોઈ બાધ ન હોય તો વાપરનાર ચારિત્રભ્રષ્ટ થતા નથી. આવા પેટા નિયમોમાં ગચ્છોમાં પણ અનેક તફાવત હોઈ શકે. કારણવશાત્ ઊભા થયા હોય, ગીતાર્થ ગુરુ ભગવંતે તે તે કાળને ધ્યાનમાં રાખીને લાભાલાભનો વિચાર કરીને ફરમાવ્યા હોય, તો આવા સામાચારીભેદમાત્રથી સંયમી સાધુઓને પણ શિથિલ કે અસંયમી માનવા તે ગેરસમજ છે. १ कुलं चान्द्रनागेन्द्रादि, गणस्त्रयाणां कुलानां समानसामाचारीकाणामत एव परस्परसापेक्षाणां समवायः, संघस्तु साधुसाध्वीश्रावकश्राविकासमुदाय इति ।।४१९ । । (उपदेशपद0 श्लोक ४१९ टीका) २ कुलं चन्द्रविद्याधरादि, कुलसमुदायो गणः, चतुर्वर्णः सङ्घः। (उपदेशमाला हेयोपादेया श्लोक ७० टीका) ★ कुलं नागेन्द्र-चन्द्रादि, गण: कुलसमुदायः, गणसमुदायः सङ्घः चतुर्वर्णरूपो वा, (बृहत्कल्पसूत्र0 श्लोक १६७२ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396