Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 334
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પવિત્રતાના નામે હાથ જોડે છે. અમે નવા ગામમાં જઈએ તો ત્યાં અમારાં કોઈ સગાં-વહાલાં નથી હોતાં, છતાં લોકો ભક્તિથી હાથ જોડે, પગે લાગે, સેવા-સુશ્રુષા કરે. તેનું કારણ તેઓ માને છે કે આ પવિત્ર જીવન જીવનારા મહાત્મા છે. આ કારણે જ વિશ્વાસ કરે છે. અરે ! અમારી પાસે જે કોઈ શ્રદ્ધાથી જિનવાણી સાંભળવા આવે છે તેને પણ વિશ્વાસ છે કે ભગવાન જે કહી ગયા છે તે જ આ મહાત્મા કહેશે, તેમની પાસેથી ભગવાને કહે કહેલું તત્ત્વ જ ઉપદેશરૂપે મળશે. આ વિશ્વાસનું કારણ અમે મહાવીર પરમાત્માનો વેશ સ્વીકાર્યો છે. મહાવીરના સંતાન સાધુ તરીકે લોકમાં વિચરીએ છીએ, તેથી જ મહાવીરના અનુયાયીઓ અમને શ્રદ્ધાભક્તિની નજરથી જુએ છે. લોકો વિશ્વાસથી આવો વ્યવહાર કરે અને અમે જ મહાવીરનાં શાસ્ત્ર, તેમની આજ્ઞા કે તેમના બંધારણને સમર્પિત ન હોઈએ, તો વાસ્તવમાં અમને ધૂતારા કહેવાય કે સાધુ કહેવાય ? તેથી ચોરની પલ્લીની ઉપમા જરાય ખોટી નથી. " જે ઉપદેશક સાધુ ઉસૂત્રભાષણ કરે છે તે કસાઈ કરતાં પણ વધારે ભયંકર છે ? ઉપદેશ આપનાર જે સાધુ પાટે બેસીને ઉસૂત્રભાષણ કરે છે તેના માટે પણ લખ્યું છે કે, બકરાં કાપનાર કસાઈ ઓછો ખરાબ છે, આ સાધુ કસાઈ કરતાં વધારે ભયંકર છે. આ જ ઉપમા આપી છે; કેમ કે કસાઈ તો બકરાંને બળજબરીથી પકડી લાવે છે, બકરાં કાંઈ સામેથી કસાઈ પાસે આવતાં નથી. પરાણે લાવીને એનું એક ભવનું જ મોત કરે છે, જ્યારે અહીં તો ધર્મબુદ્ધિએ વિશ્વાસથી આવેલાને ઊંધા માર્ગે ચડાવીને તેના આત્માના એક ભવનું નહીં પણ ઘણા ભવનું મોત સર્જે છે. આ ભાવહિંસા છે, જે દ્રવ્યહિંસા કરતાં કઇ ગણી વધારે હાનિકારક છે. સભા : સાચો માર્ગ માની કહેતો હોય તો ? સાહેબજી : ઉપદેશક સાચો માર્ગ માનીને કહેતો હોય તો પૂર્ણજ્ઞાનીના વચનના અનુસારે કહે ને ? જે ભગવાનની આજ્ઞા મુજબ ઉપદેશ આપે તેને તો જગતમાં-કલિકાલમાં એક જ શરણ-આધાર કહ્યો છે. પૂ. આનંદઘનજી મહારાજાએ લખ્યું કે “ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો.” અહીં તો વિપરીત બોલે છે તેની જ વાત (ટીકા) છે. જૈનશાસ્ત્રો જ્યારે ઉપમા આપશે ત્યારે તે ઉપમા ભલે કડક-આકરી-સહન ન થાય તેવી તેજાબી લાગે, પણ અર્થ વિચારશો તો વેધક સત્ય હશે. શાસ્ત્રકારો ખોટી અતિશયોક્તિ કે મૃષાવાદ કરતા નથી. १ स्वयमक्रियाप्रवृत्तं जीवमपेक्ष्य गुरोर्न दृषणम्, तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेलिनो वचनम्-"जह सरणमुवगयाणं, जीवाण सिरो निकिंतए जो उ। एवं आयरिओ वि हु, उस्सुत्तं पण्णवेतो य" [उपदेशमाला-५१८] । (વોવિંશિવ સ્નો ૨૬ ટી) ★ न केवलं प्रव्राजयन् वितथं प्ररूपयन्नपीत्याह'जह' गाहा, यथा शरणं भयार्तप्राणलक्षणम्, उपगतानामभ्युपगतानां जीवानां देहिनां निकृन्तति छिनत्ति शिरांसि मस्तकानि यस्तु स तथा दुर्गतावात्मानं क्षिपतीति वर्त्तते, एवमनेनैवोपमानेनाचार्योऽपि गुरुरप्यास्तामपरः, हुरलंकारे, उत्सूत्रमागमादुत्तीर्णं प्रज्ञापयन् प्ररूपयन्, तु शब्दादाचरंश्च तान् आत्मानं च दुर्गतो क्षिपतीति ।।५१८।। (उपदेशमाला श्लोक ५१८ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396