Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 303
________________ ૨૯૮ ભાવતીર્થ - દ્વાદશાંગી સાક્ષાત્ ઉપકાર કરવામાં ક્ષેત્ર અને કાળની મર્યાદા આડે આવે છે; કારણ કે આયુષ્ય અને વિચરણક્ષેત્ર મર્યાદિત જ રહેવાનું. દા.ત. ઋષભદેવ ભગવાનનું ૮૪ લાખ પૂર્વનું વિશાળ આયુષ્ય હતું. તેઓ કેવલી અવસ્થામાં એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ વિચર્યા. તેટલા કાળમાં જેટલા પાત્ર જીવો તેમના વિચરણક્ષેત્રમાં સંપર્કમાં આવ્યા, તેમને તેમણે તાર્યા; પરંતુ તે સિવાયના દૂરના સ્થળ-કાળવર્તી પાત્ર જીવો ઉગારવાના રહી જ જશે. તીર્થકરોની તારકશક્તિમાં મર્યાદા નથી, તેમની શક્તિ તો અચિજ્ય છે, તેમના પુણ્યપ્રભાવ-સામર્થ્યનો પાર નથી, પણ ક્ષેત્ર-કાળ સીમિત છે. અરે ! પ્રભુ મહાવીર તો ત્રીસ વર્ષ જ કેવલી અવસ્થામાં વિચર્યા. તેથી તીર્થકરોને સાક્ષાત્ ઉપકારની મર્યાદા છે, પરંતુ તીર્થપ્રવર્તન દ્વારા સાક્ષાત્ અસંખ્ય અને પરંપરાએ અનંતા જીવોને પણ ઉગારી શકાય છે. તેથી જ અપેક્ષાએ દેશના કરતાં તીર્થપ્રવર્તન તીર્થંકરોનો ઉત્કૃષ્ટ ઉપકાર છે. ભગવાનને તીર્થ પ્રવર્તાવવાની લોકાંતિક દેવોની પ્રાર્થના : ગૃહસ્થ અવસ્થામાં રહેલા તીર્થકરોને લોકાંતિક દેવો દેવલોકમાંથી આવીને આજીજીપૂર્વક વિનંતી કરે છે કે “હે પ્રભુ! સમય પાક્યો છે, હવે આપ તીર્થ પ્રવર્તાવવા દીક્ષા લો.” અહીં લોકાંતિક દેવોનો કહેવાનો ભાવ એ છે કે “હે પ્રભુ! આપ દીક્ષા લો કે ન લો, આપનું કલ્યાણ તો નક્કી જ છે. તમારી સાધના તો તમારા હાથમાં જ છે. તમને તરવા કોઈની સહાયની જરૂર નથી, માર્ગદર્શનની પણ જરૂર નથી. માત્ર અમારા જેવા ભવિ જીવોના ઉપકાર માટે તીર્થ પ્રવર્તાવવા આપ સંયમ સ્વીકારો.” વિનંતીમાં અંતરનો ભાવ એ છે કે અમારા ઉપર અને આખા જગત ઉપર અનહદ ઉપકાર કરવાની આપનામાં ક્ષમતા છે, તે કરવાનો સમય આવ્યો છે, માટે આપ કટિબદ્ધ થાઓ. બીજા બધા ઉપકાર આની પાસે નાના છે. આ જ શ્રેષ્ઠમહાન ઉપકાર છે. નવ લોકાંતિક દેવો સમ્યગ્દષ્ટિ, આસન્નભવિ, એકાવતારી જીવો હોય છે. તેઓ શાસનના એટલા રસિયા હોય છે કે તેમને જગતમાં ધર્મ પ્રવર્તે, લાયક જીવ ધર્મમાર્ગમાં ક્રમસર ઉન્નતિ કરે અને પૂર્ણસુખને પામે તેવી તીવ્ર અભિલાષા હોય છે. તેથી ઉલ્લસિત થઈને ભગવાન પાસે વિનંતી કરવા આવે છે. વળી, આ તેમનો સમ્યગુ આચાર પણ છે. દ્વાદશાંગીની મહાનતા સમજી તેની માત્ર શ્રદ્ધા અને બહુમાનથી પણ તમે ઘણી આશાતનાથી બચી શકો છો અને પરિણામે દુર્ગતિથી બચી શકો છો? તીર્થકરોએ સમગ્ર તત્ત્વના અર્કરૂપ ત્રિપદી ગણધરોને આપી જેમાંથી સૂત્રાત્મક દ્વાદશાંગીની રચના થઈ. આ સૂત્રાત્મક દ્વાદશાંગી પણ જ્યાં સુધી વિદ્યમાન છે, ત્યાં સુધી અનેક જીવોને તારે છે. તે તરનાર જીવોની સંખ્યા સાક્ષાત્ તીર્થકરની વાણીથી તરનાર જીવો કરતાં અધિક હોય છે; અને અર્થાત્મક દ્વાદશાંગી તો સનાતન શાશ્વત હોવાથી સદાકાળ તારક જ છે. આ દ્વાદશાંગીમાં સર્વ તત્ત્વ અને સર્વ દર્શન સમાતાં હોવાથી તેને १ (व्या.) ग्रन्थार्थेत्यादि । ग्रन्थेऽर्थे वचने च पटुशब्दः प्रत्येकं योजनीयः, सन्ति हि केचिद् यथाधीतग्रन्थपटवो नार्थपटवः, केचिच्चानधीतग्रन्था अप्यर्थपटवः। अन्येऽनधिगतग्रन्थार्था अपि स्वविकल्पितवचनपटवोऽतो विशेषयति त्रिष्वपि ये पटवः, एवंविधा अपि नोदासीनाः प्रयत्नवन्तो विजिगीषोद्यता:, अथ च निपुणा न्यायकुशलाः, एतादृशैरपि अन्यैर्वादिभिस्तीर्थान्तरीयैर Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396