________________
પ્રતિમા હોય છે. વળી નવમી પ્રતિમા ૯ માસની છે તેમાં સર્વથા પ્રેય આરંભનો ત્યાગ કરે, પૂર્વોક્ત આઠે પ્રતિમાની ક્રિયા સહિત હોય, અને જીનેન્દ્ર પૂજા (જળથી નહિ પણ) કપૂર અને વાસક્ષેપથી કરે. વળી દશમી પ્રતિમાં ૧૦ માસની છે તેમાં ઉદિષ્ટકૃત આહારનું ભોજન ન કરે, સુરમુંડના (હજામત કરાવે એટલે કેશરહિત મસ્તકવાળો) થાય અથવા શિખા (ચોટલી) પણ રાખે અને પૂર્વોક્ત ક્રિયાઓ સહિત સ્વાધ્યાય ધ્યાન કરે. વળી આ પ્રતિમામાં જે દાટેલો ધન સમૂહ હોય તે સંબંધિ પુત્રો પૂછે અને પોતે જાણતો હોય તો તે ધનસમૂહ બતાવે-કહે અને જો ન જાણતો હોય તો. કહે કે હું જાણતો નથી. હવે અગિઆરમી પ્રતિમામાં ઉત્કૃષ્ટથી ૧૧ માસ સુધી સાધુ થઇને વિચરે તેમાં ક્ષરમંડન કરાવે અથવા તો લોચ કરે અને રજોહરણ તથા પાત્ર પણ ધારણ કરે. || ૧૦૧-૧૧ ||
ભીક્ષાને અર્થે પોતાના કુળની નિશ્રા વડે અથવા સાધર્મીઓની નિશ્રાવડે વિચરે અને પ્રતિમા प्रतिपन्नम्य मे भिक्षां
૧. અર્થાત આઠમી પ્રતિમામાં એ પ્રતિજ્ઞા પણ હોય છે.
૨. સેવક આદિ પાસે આરંભ કરાવવાનો ત્યાગ કરે જેથી કરવું અને કરાવવું એ બે કરણના ત્યાગ થાય છે. અને શ્રાવક હોવાથી અનુમતિનો ત્યાગ તો હોય નહિ.
૩. પોતાને માટે કરેલા આહાર દ્રષ્ટ ઉદાર કહેવાય.
૪. નિશ્રાવડે એટલે તેઓને ઘર અર્થાત પોતાના સ્વજનના ઘરોમાં અથવા તો શ્રાવકોને ત્યાં ભીક્ષાર્થે જાય.
૫. મને પ્રતિમાધારીને ભીક્ષા આપો કહેવાય પણ મુનિવત્ ધર્મલાભ ન કહે.
વત્ એ વચન બોલીને ભીક્ષા ગ્રહણ કરે. મનિના ઉપાશ્રયથી બહાર પૂર્વોક્ત સ્વાધ્યાય ધ્યાન પૂર્વક રહે, અથવા તો પ્રમાદ રહિત મુનિની પેઠે બીજે ગામ વિહાર પણ કરે. તથા પ્રકારના કાર્ય પ્રસંગે જો સહાય (કોઇની હાય) હોય તો નદી તરી પણ બીજે ગામ વિહાર કરે. વળી આ. પ્રતિમામાં કેવળ ભાવસવ-ભાવપૂજા યુક્ત હોય પણ અહિં દ્રવ્યસ્તવ-દ્રવ્યપૂજા ન કરે. આ ૧૧ પ્રતિમાઓ સેવીને (સમાપ્ત થયા બાદ) કોઇ શ્રાવક મહાન ક્ષેત્રમાં સર્વવિરતિ અંગીકાર કરે, અને શ્રાવક તથા પ્રકારના ભાવ થયે ગૃહસ્થાવાસ પણ અંગીકાર કરે. એ સર્વ (૧૧) પ્રતિમાઓ જઘન્યથી અન્તર્મહતકાળ પ્રમાણની હોય અને ઉત્કૃષ્ટથી તો ક્ષય પામેલ રાગદ્વેષવાળા શ્રી સર્વજ્ઞભગવંતોએ એ પ્રમાણે (ઉપર કહેલા કાળ પ્રમાણે) કહી છે. || ૧૧૧-૧૧૫ II.
|| તિ શ્રાવરુપ્રતિમાથBIR IT. પૌષધ વ્રતનાં ૮૦ ભાંણા
પોષધના ચાર પ્રકાર છે :
(૧) આહાર પોસહ, (૨) શરીરસત્કાર પોસહ, (૩) બ્રહ્મચર્ય પોસહ, (૪) અવ્યાપાર પોસહ. એ ચાર પ્રકારના પ્રથમ દેશથી અને સર્વથી એમ અસંયોગી આઠ ભાંગા થાય છે. તે એકેક હોવાથી તેને સંયોગી કહેવાતા નથી.
એ ચાર પ્રકારના દ્વિસંયોગી ૨૪ ભાંગા થાય છે, તે આ પ્રમાણે – (આ ભાંગામાં એકડો હોય ત્યાં દેશથી સમજવું ને બગડો હોય ત્યાં સર્વથી સમજવું)
પ્રથમ પ્રકારના પૌષધના બીજા પ્રકારના પૌષધ સાથે ૪ ભાંગા થાય.
Page 19 of 211